(નવલરામ ૧૮૩૬-૧૮૮૮)
નવલરામ પંડયા વિવેચક, નાટ્યકાર, કવિ, નિબંધકાર, શિક્ષણશાસ્ત્રી અને પત્રકાર હતા.
(ગોવર્ધનરામ ત્રિપાઠી ૧૮૫૫-૧૯૦૭)
ગુજરાતી મીડીયમમાં ભણેલી દરેક વ્યક્તિએ ગો.મા.ત્રિ. ના સરસ્વતીચંદ્રના ચાર ભાગ જરૂર વાંચ્યા હશે.
(રમણભાઈ નીલકંઠ ૧૮૬૮-૧૯૨૮)
મહીપતરામના સુપુત્ર અને ભદ્રંભદ્રના સર્જક રમણભાઈ નીલકંઠને કોણ નથી ઓળખતું?
(કલાપી- સુરસિંહજી તખ્તસિંહજી ગોયેલ-૧૮૭૪-૧૯૦૦)
કોઈપણ ગુજરાતીને કલાપીની ઓળખાણ આપવી એ એના અપમાન કર્યા સરખું છે.
(આનંદશંકર ધ્રુવ ૧૮૬૯-૧૯૪૨)
તત્વચિંતક આનંદશંકર બાપુભાઈ ધ્રુવના ગોવર્ધનરામ ત્રિપાઠી, આચાર્ય કૃપલાણી, મહાત્મા ગાંધી જેવા અનેક વિદ્વાનો સાથે તેમને આત્મીય હતા.
(અરદેશર ફરામજી ખબરદાર ૧૮૮૧-૧૯૫૩)
કવિ, વિવેચક, નાટ્યકકાર. “ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત ! નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત !” યાદ છે એમની આ કવિતા?
દરેક ચિત્રમાં કલાગુરૂએ પ્રાણ પૂરી ચિત્રોને બોલતા કરી દીધા છે. આ ચિત્રો વિષે હું શું બોલું?