સોમાલાલ શાહ (૧૯૦૫-૧૯૯૪)
૧૯૨૬ માં મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટસ્માં ક્લાવિભાગમાં પ્રવેશ મેળવ્યો. ત્યાંનો અભ્યાસ પુરો કરી તેમણે કલકત્તામાં અભાનિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત ઈન્ડિયન સોસાયટી ઓફ ઓરિએન્ટલ આર્ટમાં વધુ અભ્યાસ કર્યો.
કલાગુરૂએ એમને નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત દક્ષિણામૂર્તિમાં કલા શિક્ષક તરીકે જોડાવાની સલાહ આપી, જેમનો એમણે સ્વીકાર કર્યો. દક્ષિણામૂર્તિએ એમનો રંગરેખા નામનો ૧૫ ચિત્રોનો સંગ્રહ ૧૯૩૫ માં પ્રકાશિત કર્યો. ભાવનગરના રાજકુટુંબના એ માનીતા કલાકાર હતા. દક્ષિણામૂર્તિ સંસ્થાએ ૧૯૩૯ માં ભાવનગરથી સ્થાનંતર કર્યું ત્યારે સોમાલાલ શાહે કુમારશાળા અને ઘરશાળામાં થોડો સમય શિક્ષણ આપ્યું. ભાવનગરના રાજવી કુટુંબની સલાહથી તેઓ ૧૯૪૪ માં આલ્ફ્રેડ હાઈ સ્કૂલમાં જોડાયા, જ્યાં તેમણે વીસ વરસ સુધી કલાશિક્ષણ આપ્યું.
એમના ચિત્રોમાં સૌરાષ્ટ્રના વિસ્તારની સંસ્કૃતિના અને કચ્છ અને સૌરાષ્ટ્રના પક્ષીઓના ચિત્રો જોવા મળે છે. ૧૯૪૯ માં એમને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૮૮ માં અમદાવાદ નગરપાલિકા દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું અને ૧૯૯૦ માં ગુજરાત સરકાર તરફથી રવિશંકર રાવળ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ગુજરાત લલિતકળા અકાદમીએ પણ એમને પુરસ્કૃત કર્યા હતા.
૧૯૯૪માં એમનું અવસાન થયું. એમના થોડાક જાણીતા ચિત્રો અહીં આપ્યા છે.
ખૂબ જણીતા ચહીતા કલાકારને વંદન
LikeLike