પ્રકરણ 3–મહત્ત્વાકાંક્ષાનો મહારોગ
કોઈને પણ પૂછો તો કહેશે કે મારી જીવનયાત્રા એક નીવડેલા અને સફળતા પામેલા માણસની છે. છતાં મને એમ કેમ થયા કરે છે કે મેં જિંદગી વેડફી છે? આજે જીવન સંધ્યાએ મને નિષ્ફળતાનો ડંખ કેમ સતત પજવે છે? દિવસ ને રાત આ જ વિચાર આવ્યા કરે છે કે મેં જિંદગીમાં શું ઉકાળ્યું? આ સમસ્યાના મૂળમાં છે બીજાઓ સાથે હંમેશ સરખામણી કર્યાં કરવાની મારી ખરાબ આદત. હું જયારે બીજા સિદ્ધહસ્ત લોકોની–લેખકો, વિચારકો, કવિઓ, ઉદ્યોગપતિઓ, નેતાઓ, સંશોધકો વગેરેની વાતો વાંચું સાંભળું છું ત્યારે ઈર્ષાથી સમસમી ઊઠું છું. થાય છે કે એ લોકોની સિદ્ધિઓની સરખામણી સામે મેં કાંઈ જ મેળવ્યું નથી. એક અત્યંત મહત્ત્વાકાંક્ષી માણસની તીવ્ર અસંતોષવૃત્તિથી હું સતત પીડાઉં છું. જે મળ્યું છે તેનો સંતોષ અને આનંદ સાવ નથી એવું નથી, પણ એ ક્ષણિક જ હોય છે. તત્કાલ સંતોષની લાગણી અનુભવીને તરત મારું મન છટકીને જે નથી મળ્યું તે તરફ વળે છે અને નથી મળ્યાનું દુઃખ પેટ ચોળીને ઊભું કરે છે. અર્ધા ભરાયેલા પાણીના ગ્લાસને જોઉં છું તો મને ભરેલો ભાગ નથી દેખાતો, ખાલી ભાગ જ દેખાય છે! આ દ્વિધાનું મારે શું કરવું?
એક અત્યંત મહત્ત્વાકાંક્ષી માણસની તીવ્ર અસંતોષવૃત્તિથી સતત પીડાતા મા શ્રી નટવર ગાધીની વેદનાની અનુભૂતિ કરાવી.જાણે અમારી જ વેદના હોય તેમ લગ્યું.!
જ્યારે મહાત્મા ગાંધીજીની આત્મકથાના સામાન્ય માનવ અનુભવો જે એમના ચારિત્ર્ય અને એમના નિત્ય પરિવર્તનશીલ જીવનની પણ ઝાંખી કરાવી.તેમાનું જિંદગીભરનું Asymptotic–approaching a given value as an expression containing a variable tends to infinity.જે થોડે ઘણે અંશે આપણા સૌમાં હોય છે પણ આપણે નિખાલસ નથી થઇ શકતા !
યાદ આવે એક નગરવધુએ આત્મકથા લખવાનું નક્કી કર્યું તે જાણતા જ મોટા રાજકારણીઓ અને આગેવાનોએ તેમના નામ ન આવે માટે ધનની વર્ષા કરેલી તો માલ્કમ મગરીજને ‘Chronicles of Wasted Time.’લાગ્યું
ખૂબ સુંદર લેખ
ધન્યવાદ
LikeLike
આટલી તથસ્તતાથી જીવનના લેખા-જોખા કરવા સરળ ક્યાં છે? જે કોઇ આ કરી શકે, પોતાનું નબળું પાસુ પણ સબળતાથી સ્વીકારી શકે એને સલામ…..
LikeLike
Natawar bhai,
Highly perfect human feeling you expressed -honestly- like under Mahatma Gandhiji’s influence-and taken to climax of human weaknesses. depicted all great people of world. Awaiting your further chapters soon. this will inspire many hearts in time to come.
LikeLike