સંપાદકીય-૬ (કિશોર દેસાઈ)


સંપાદકીય

૧૯૬૮૧૯૭૦ ની આસપાસના ગાળામાં આવેલા ગુજરાતીઓની જે પેઢી અમેરિકા આવીને સ્થાયી થઈ છે તેમાંથી ગુજરાતીનો અભ્યાસ કરનારાઓમાંથી ભાગ્યે કોઈ એવો ગુજરાતી હશે જેણે ઉમાશંકર જોશીની કોઈ વાર્તા, નાટક, કાવ્ય, ગીત કે નિબંધ વાંચ્યાં હોય. કમસે કમ ટીવી વગરના જમાનામાંભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા કર્ણપ્રિય ગીત ઉમાશંકરનો સ્પર્શ પામવા માટેનું સૌથી મોટું માધ્યમ હતું.

ગુર્જરી ડાયજેસ્ટનો બહોળો વાચકવર્ગ વ્યવસાયે ગુજરાતી સાહિત્યકાર હોવા છતાં ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવે છે દિલચશ્પીથી રસ લઈને એના સંવર્ધન માટે હમેશાં સહાયભૂત થતો રહે છે. વિશેષાંક ખાસ તો એવા વાચકો માટે છે અને રીતે એમની સમક્ષ ઉમાશંકરની એક છબી રજૂ કરવાનો પ્રયાસ છે.

પૃથ્વીના પટ પર ઉમાશંકર જોશીનો સમયગાળો જુલાઈ ૨૧, ૧૯૧૧ થી ડીસેમ્બર ૧૯, ૧૯૮૮ નો રહ્યો છે. સિત્તોતેર વર્ષના ગાળામાં ઉમાશંકર જોશી, ગુજરાતપુત્ર, ભારતપુત્ર અને એથીય આગળ વિશ્વપુત્ર સ્વરૂપે ઝળાહળા થતા રહ્યા છે. ચંદ્રકાન્ત શેઠેઉમાશંકરનો વાગ્વૈભવનામે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રકાશન હેઠળ ત્રણ ખંડમાં ઉમાશંકરનું કાવ્યસર્જન, ગદ્યસર્જન અને વિવેચનને પ્રગટ કર્યું છે. તેમાં તેમણે શ્રધ્ધાબહેન ત્રિવેદી સાથે સંકલન કરીને ઉમાશંકર જોશીની જીવનક્રમિક અને વાંગમયસૂચિ તૈયાર કરી છે અને માનશો, એમાં કેટલાં પાનાં થાય છે? સુચિનાં પૂરાં ૯૯ જેટલાં પાનાં થાય છેમાત્ર સૂચિનાં. એમના વિશે અને ઉમાશંકરે પોતે લખેલાં સાહિત્યસર્જનને ગ્રંથસ્થ કરવામાં આવે તો એનો જથ્થો વિપુલ પ્રમાણમાં થાય. અને જાન્યુઆરી ૧૯૪૭ થી આરંભ કરેલા સામયિકસંસ્કૃતિદ્વારા ૧૯૮૪ ની સાલ સુધીનાં ૩૮ વર્ષના ગાળામાં જે અજોડ સાહિત્યસામગ્રી એમણે ગુજરાતને ચરણે ધરી ગુજરાતી સામયિકના ઇતિહાસમાં બેનમૂન છે.

એક વાર અમેરિકાના એક મિત્રે પોતાનો પ્રમાણિક અભિપ્રાય દર્શાવતાં કહ્યું કે, ‘ઉમાશંકરને વિશ્વસાહિત્યના કવિઓ સાથે મૂકી શકાય.’ તે સમયે . જો. વિશે મારૂં વાંચન એવું વિસ્તૃત નહોતું એટલે મારે પક્ષે ચર્ચાને કોઈ અવકાશ નહોતો. પણ મને હંમેશાં એમ લાગ્યું છે કે તેમના સાહિત્ય સર્જનમાં એવું કૌવત જરૂર છે. હાલમાં વિશેષાંક નિમિત્તે શ્રી ચંદ્રકાન્ત શેઠ દ્વારા લખાયેલાંઉમાશંકરનો વાગ્વૈભવના ત્રણ ખંડો, ઉમાશંકર સંકલિતસમયરંગ’, સમગ્ર કવિતા, ઉમાશંકરના પત્રો, હરીન્દ્ર દવે તથા સુમન શાહની પુસ્તિકાઓ જોતાં ઉમાશંકરના સાહિત્યવૈભવનો વિસ્તૃત પરિચય થયો અને પ્રતીતિ દૃઢ થી કે વિશ્વસાહિત્યમાં બેસી શકે એવી ક્ષમતા ઉમાશંકરના સાહિત્યસર્જનમાં છે . સામાન્ય રીતે નોબેલ પારિતોષિક જેવા ચંદ્રકો સાહિત્યકારોને માપવા માટેનો માપદંડ ગણવામાં આવે છે પણ આજે તો આવાં મોટાં પારિતોષિકો પણ વિવાદાસ્પદ બની રહ્યાં ચે અને રાજકારણની આંટીઘૂંટીથી ખરડાઈ રહ્યાં છે ત્યારે પ્રશ્ન થાય છે કે . જો. જેવા કોઈ મોટા ગજાના સર્જકને વિશ્વસ્તરે મૂલવવાનો માપદંડ કયો? શાંતિ માટેનું નોબલ ગાંધીજીને મળ્યું? મળ્યું. એમ કહેવાય કે રવીન્દ્રનાથ ટાગોરને નોબેલ મળ્યું તેમાં એમની સર્જનની ગુણવત્તા ઉપરાંત તેમના પશ્ચિમના વગદાર મિત્રો પણ કારણભૂત હતા.

1 thought on “સંપાદકીય-૬ (કિશોર દેસાઈ)

  1. “ વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,
    પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ”
    ગુર્જર ગિરાના શબ્દ શિલ્પી અને ગાંધીયુગના ગુજરાતી ભાષા સાહિત્યના મહાન સર્જક, બહુમુખી પ્રતિભા ધરાવતા ગુજરાતી કવિ ઉમાશંકર જોશીને વંદન
    તેમના આ પ્રશ્ન….
    ફાંસી દીધી ગોડસેને અમોએ
    ગાંધીજીના દેહના મારનારને.
    ગાંધીજીના જીવ-ને જીવતાં ને
    મૂઆ કેડે મારતું જે ક્ષણેક્ષણે
    પડ્યું અમોમાં : સહુમાં કંઈક
    તેને હશે કે કદી મૃત્યુદંડ ?
    આપની આ વાત વિચારવમળ મા અંટવાય -‘કોઈ મોટા ગજાના સર્જકને વિશ્વસ્તરે મૂલવવાનો માપદંડ કયો?’

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s