જગન મહેતાએ ભારતભરનાં તિર્થસ્થાનો તથા કુદરતી સૌંદર્ય ધરાવતાં સ્થળોનો પ્રવાસ કર્યો અને ત્યાંનાં દૃશ્યોને પોતાની આગવી સૂઝ અને સમજથી કેમેરામાં ઝડપી લીધા. ગુજરાતના આદિવાસીઓના જનજીવનને તેમણે દસ્તાવેજી સ્વરૂપ આપ્યું છે. તેમના લેન્ડસ્કેપના ફોટોગ્રાફોએ તથા તેમની પોટ્રેટ તસવીરોએ તો તેમને તસ્વીર જગતમાં અનેરું સ્થાન પ્રાપ્ત કરાવ્યું છે. જગતભરના શ્રેષ્ઠ પોર્ટેટ ફોટોગ્રાફરોમાં અગ્રિમ હરોળમાં તેમનું સ્થાન જરૂર આવી શકે. સુંદર પ્રિન્ટ, ક્વોલિટી, બ્લેક એન્ડ વહાઈટ ટોનની ખૂબી અને કુદરતી પ્રકાશરચનાથી તેમના પ્રોટ્રેટ મનોહર લાગે છે. આછા પ્રકાશમાં મંદિરો અને ગુફાઓની અંદર સ્લો ફિલ્મનો ઉપયોગ કરી લાંબો એકસ્પોઝર આપે. એક સેંકડ, બે સેંકડ, ત્રણ સેકંડ, વગેરે. લાંબા એકસ્પોઝરની ટેક્નિકથી તેઓ નરી આંખે ઝાંખા દેખાતા શિલ્પસ્થાપત્યને પ્રકાશિત કરી શકતા અને જરૂરી બારીકી મેળવી શકતા.’’
જગનભાઈનું અવસાન તા. ૧૦ મી ફેબ્રુઆરી ૨૦૦૩ ના થયું હતું.
2 thoughts on “ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૧૨ (અંતિમ)”
‘આ જગન એક ચાહવા લાયક માણસ હતો’ એ રીતે તમારા દિલના ખૂણે મને સાચવો તો એ મારો મોંધામૂલો એવોર્ડ છે.”
jagan mehta will ever remain in our hearts and for that you are instrumental davda saheb .Many thx for this great series
‘આ જગન એક ચાહવા લાયક માણસ હતો’ એ રીતે તમારા દિલના ખૂણે મને સાચવો તો એ મારો મોંધામૂલો એવોર્ડ છે.”
jagan mehta will ever remain in our hearts and for that you are instrumental davda saheb .Many thx for this great series
LikeLike
ખરેખર આ જગન એક ચાહવા લાયક માણસ
LikeLike