સંદેશ:૩
એક રાતે ‘સંદેશ’નું પહેલું પાનું અને એનું અનુસંધાનનું પાનું પૂરું કરી હું ઘેર આવવા નીકળ્યો. ત્યારે મારું ભાષાવિજ્ઞાન સાથે એમ.એ. પૂરું થઈ ગયું હતું. હું એમ.એસ. યુનિવર્સિટીના ભાષાવિજ્ઞાન વિભાગમાં અદ્યાપક પણ બની ગયો હતો. મારું લગ્ન થઈ ગયું હતું. એક દીકરો પણ હતો. પેલી રાજદૂત મોટરસાયકલ વેચાઈ ગઈ હતી. એનું સ્થાન રાતા રંગની યામાહા મોટરસાયકલે લીધું હતું. એ રાતે ‘સંદેશ’ કાર્યાલયમાંથી બહાર આવી, મોટરબાઈક પર સવાર થઈ, ઑફિસની નજીકમાં આવેલી ચાની લારી પાસે આવ્યો. ત્યાં કેટલાક લોકોએ ત્રણ ચાર મોટરસાયકલો આડીઅવળી ઊભી રાખી રસ્તો બ્લોક કરેલો હતો. મેં એ મોટરસાયકલવાળાઓનું ધ્યાન ખેંચવા હોર્ન વગાડ્યું. એ સાથે જ ત્રણચાર જણ મારી પાસે આવ્યા. એ લોકોએ મારી મોટરસાયકલ પકડી. “અલ્યા એ નથી”, “એ તો અમારા પ્રોફેસર છે” એમ કોઈકે કહ્યું. હું એ સાંભળતો રહ્યો ને ત્રણચાર જણ મારા પર તૂટી પડ્યા. એક જણે મને કપાળ પર ડાબી બાજુએ એટલું જોરથી કશુંક મારેલું કે મને લોહી નીકળવા માંડેલું. એ ઘટના બનતાં જ ત્યાં ચાની લારી પાસે ઊભેલા પાંચ સાત જણા, દેખીતી રીતે જ મને પેલા લોકોથી બચાવવા, મારી ઉપર પડેલા. એમણે મને એમના શરીરથી ઢાંકી દીધો હતો. એ બધા જોડેના યાદવનગરમાં રહેતા હતા અને એમ.એસ. યુનિવર્સિટીમાં ભણતા હતા. એ એજ લોકો હતા જેમણે “અલ્યા એ નથી”-ની બૂમો પાડેલી. પછી થોડી વારમાં જ પેલા લોકો એમની મોટરબાઈક લઈને ભાગી ગયા.
Navin Banker
Today, 1:46 PM
નામો સહિત આટલું બોલ્ડ લખનાર બાબુ સુથાર સાચે જ અભિનંદનના અધિકારી છે.મેં ય સંદેશ અને ગુજરાત સમાચારમાં કામ કર્યું છે. સરકારી ઓફીસમાં પણ ૨૬ વર્ષ નોકરી કરી છે. ઘણાં અનુભવો છે. લખવા પણ છે પણ મારી બહેનો અને મારી પત્ની કહેશે-‘ નવીન હવે કેટલા વર્ષ જીવવાનું છે ? નાહક બળિયાઓ સાથે બાથ ભીડીને દુઃખને સામેથી શા માટે આમંત્રણ આપવું છે ? તારા લખવાથી કશું બદલાવાનું નથી. દુનિયા જેમ ચાલે છે એમ જ ચાલવાની છે.માટે લખારા કુટ્યા વગર શાંતિથી જીવ, ભાઈ !’
બાબુભાઈને મારા સલામ.
મને તમારા આંગણાંમાં પ્રતિભાવ લખતા નથી ફાવતું.
(By email)
LikeLiked by 1 person
વડોદરામાં રાજુ રીસાલદાર કહે તે કાયદો બની જતો હતો, જેના કારણે લોકો પોતાના પ્રશ્નો લઈ તંત્ર પાસે જવાને બદલે રાજુ રીસાલદાર પાસે જતા હતા અને તેના ગુંડાઓએ વડોદરામાં આંતક ફેલાવી દીધો હતો,તેમના પર ચીમનભાઈના ચાર હાથ હતા…તે જાણીતી વાત -ફાનુસ બનકે હવા હીફાજત કરે વૉ શમા ક્યા બુઝે ?
ચારે તરફની વિકટ સ્થિતીમા તમારો-‘ તણખલાને તલવાર માની એના વડે આ ચક્રવાતની સામે લડવાનો પ્રયાસની દાદ આપવી પડૅ ! પ્રોફેસર થવાની તક જતી કરી તે બદલ ધન્યવાદ.
એક નો IPS અધિકારી મા સિંગસાહેબે અંત લાવ્યા હતા જેને હજુ પણ બધા યાદ કરે છે !
મા ચીમનભાઇ ને સ્વપ્નદૃષ્ટા નેતા અને આધુનિક ઔદ્યોગીક ગુજરાતનાં નિર્માતા તરીકે યાદ રખાયા. તેમણે મુખ્યમંત્રી તરીકેની પોતાની પ્રથમ મુદ્દતમાં ‘સરદાર સરોવર બંધ પરિયોજના’ની પરિકલ્પના કરી અને બીજી મુદ્દતમાં નર્મદા બંધનું અસરકારક બાંધકામ કરાયું. તેમણે નર્મદા બંધને ગુજરાતની જીવાદોરી સમાન ગણાવેલો.આ ઉપરાંત તેઓ એવા પ્રથમ મુખ્યમંત્રી હતા જેમણે ગુજરાતના ઔદ્યોગીકરણની મહાયોજનાના ભાગરૂપે ખાનગી ક્ષેત્રો મારફત ગુજરાતના બંદરો, રિફાઈનરીઓ અને વિજ ઉત્પાદન મથકોના વિકાસના અમલકર્તા બન્યા હોય. પોતાની બીજી મુદ્દત દરમિયાન તેઓ સમગ્ર ભારતમા પ્રથમમાંના એક એવા મુખ્યમંત્રી હતા જેમણે ગૌવધ, અને મહત્વના જૈન તહેવાર પર્યુષણના દશ દિવસો દરમિયાન દરેક પ્રકારના પ્રાણીઓના વધ અને માંસના વેચાણ, પર પ્રતિબંધ મુકતો કાયદો પસાર કર્યો ‘ પણ બાળકોની વાનરસેનાના ૧૯૭૪માં ભ્રષ્ટાચાર વિરુદ્ધના નવનિર્માણ આંદોલનને કારણે તેમણે પદ છોડવું પડેલું !
હવે ઘરની અને સાહીત્યની ગમતી વાતના ચક્રવાતની ગતિ . કોરિઓલિસ અસરના પરિણામે, ધ્વસં પામશે અને જીવન સરળ સુખમય બનશે
LikeLiked by 1 person
i remember vadodara- as going in vacation and attending maneklal akhada- and there came to know few leading person like resaldar- who were famous for murder..so i can visualise their super boss. And as pragnya bahen said about your decision not to be professor and tanakhla ne talvar banavi jeevan sangarsha par padvo..appreciate it all
LikeLiked by 1 person
Babu Suthar……
You rocks…
Unfortunately, I am not able to type in Gujarati here.
LikeLike