જાણીતા ચિત્રકારોના મૂળ ચિત્રો ક્યારેક મોટા સંગ્રહસ્થાનો, રાજ મહેલો કે કોઈ અતિ ધનાઢ્ય વ્યક્તિઓના ખાનગી સંગ્રહાલયોમાં સ્થાયી થાય છે. છેલ્લા થોડા વરસથી જાણીતા કલાકારો પોતાના ચિત્રોની L/E (Limited Edition) નકલો Sherigraphy, photo-mechanical process, inkjet printers કે અન્ય કોઈ છપાઈની ટેકનીકથી તૈયાર કરાવે છે, જેની કીમત મૂળ ચિત્રોની કીમત કરતાં ઘણી ઓછી હોય છે. જો આવા ચિત્રો S/N (Signed and Numbered) હોય તો એની કીમત થોડી વધારે હોય છે. જેમ નકલ વધારે હોય તેમ કીમત ઘટતી જાય છે. હાલમાં થોડા સમયથી આવી નકલ કેનવાસ ઉપર પણ રજૂ કરી શકાય છે, જેથી એ Original painting લાગે.
જ્યોતિભાઈના ચિત્રોની Sherigraphy Process થી તૈયાર કરેલી L/E and S/N નકલ પણ ખૂબ ઊંચી કીમતે વેંચાય છે.
૧૯૪૬ માં માત્ર બાર વર્ષની વયે જ્યોતિભાઈએ પ્રથમ ચિત્ર દોરેલું. એક હરિજન માથે મળનો ડબ્બો અને બગલમાં ઝાડુ લઈને જાય છે. બાજુમાં જ જે સંડાસની સફાઈ કરેલી એ સંડાસના પગથિંયા, દરવાજો, દિવાલ અને ઉપરના વેંટીલેટરનો નીચલો ભાગ દર્શાવ્યો છે. આ ચિત્ર જુગુપ્સા પ્રેરક છે કહીને લોકોએ એને વખોડેલો. આવું ગંદું ચિત્ર દોરાય?
પણ જ્યોતિભાઈને ત્યારે એ ન સમજાયું કે ચિત્રનો વિષય ગંદો છે, કે ચિત્ર ગંદું છે. આજે આ ચિત્રના વિષય અને ચિત્રકળા બન્નેના વખાણ થાય છે. કદાચ એમના આ ચિત્રની કીમતની રકમ ઘણી મોટી હશે.
મૂળચિત્રકાગળઉપરવોટરકલરમાંછે. ૯” X ૧૨” નુંઆચિત્રએમણેએમનાશિક્ષકજગુભાઈશાહનીદેખરેખમાંતૈયારકર્યુંહતું. આચિત્ર૧૯૪૬નાભારતિયઇતિહાસનોઅરીસોછે.
મારી વિનંતીને માન્ય રાખી શ્રી બાબુ સુથારે આ ચિત્રનું વિગતવાર અવલોકન કરી આપ્યું છે, એ હું અહીં રજુ કરૂં છુ.
“હું કોઈ પણ ચિત્ર જોઉં ત્યારે પહેલો પ્રશ્ન આ પૂછું: એક બાજુ વાસ્તવવાદ અને બીજી બાજુ અતિવાસ્તવવાદ. એ બેની વચ્ચે જે તે ચિત્રને હું ક્યાં મૂકી શકું અને શા માટે? એ જ પ્રશ્ન આપણે આ ચિત્રના સંદર્ભમાં પણ પૂછી શકીએ: આ ચિત્રને આપણે વાસ્તવાદ અને અતિવાસ્તવાદની વચ્ચે ક્યાં મૂકીશું? દેખીતી રીતે જ આ ચિત્ર વાસ્તવવાદ તરફ વધારે ઢળેલું છે. પણ, એના રંગો, તથા એમાંની દરેક imagesની કિનારી જોતાં આપણને તરત જ ખ્યાલ આવશે કે આ ચિત્ર તદ્દન વાસ્તવવાદી નથી. ચિત્રનું શીર્ષક છે: આઘાં રહેજો મા-બાપ. ચિત્રકારે આ ચિત્ર બનાવેલું ૧૯૪૬માં. ત્યારે ભારત આઝાદ ન’તું થયું. હજી સ્વતંત્રતાની ચળવળ ચાલી રહી હતી. ચિત્રમાં એક પુરુષ છે. એના માથે ડબલું છે. કાખમાં સાવરણી છે. પગ ઉઘાડા છે. નીચે પોતડી, ઉપર બંડી પહેરેલાં છે. માથે માથાબંધણું છે. એને પાઘડી તો ન જ કહેવાય. બધાંના રંગ ભડકદાર. શા માટે ચિત્રકારે આવા ભડકદાર રંગ વાપર્યા હશે? ‘આઘાં રેહેજો બાબાપ’. જેનાથી આઘા રહેવાનું છે એ તરત જ દેખાઈ જાય એ પણ એટલું જ જરૂરી છે. પુરુષે માથે મેલું ઉપાડેલું છે. એટલે જ તો ચિત્રકારે માથા પરના ડબલા પરથી નીચે ઉતરતા પીળા રેલા બતાવ્યા છે. સાવરણી કથ્થાઈ છે. પુરુષનો દેહ પણ. બન્ને પગ જોતાં તરત જ ખ્યાલ આવી જાય કે એ પુરુષ ઊભો નથી. ચિત્રમાં ગતિ બતાવવાનું કામ ઘણું અઘરું છે. અહીં ઊંચકાયેલો જમણો પગ ગતિનું સૂચન કરે છે. એ જે રસ્તે થઈને જઈ રહ્યો છે ત્યાં કોઈ છે નહીં. પુરુષની પશ્ચાદભૂમિકામાં ઘર છે, પગથિયાં છે. બધું જ ભૌમિતિક. આ ભૂમિતિ નગર સંસ્કૃતિનું સૂચન કરી જાય છે. દરેક આકૃતિની કિનારી જે તે આકૃતિને કશામાં ભળી જવા દેતી નથી. એને કારણે આપણને બધું સ્પષ્ટ દેખાય છે. જો કે, આપણને અહીં બે પ્રશ્નો થાય: (૧) “આઘાં રહેજો માબાપ” કોણ બોલે છે? ચિત્રકાર કે ચિત્રમાંનું પુરુષ પાત્ર? અને (૨) એ વાક્ય કોને સંબોધીને કહેવામાં આવ્યું છે? પહેલા પ્રશ્નનો જવાબ ખૂબ સરળ છે. ‘માબાપ’ શબ્દ સૂચવે છે એમ એ વાક્ય આ પુરુષના મુખમાં મૂકવામાં આવ્યું છે. ચિત્રકાર એ વાક્ય ચિત્રમાં જ મૂકી શક્યા હોત. પણ એમ નહીં કરીને એમણે આ ચિત્રને બોધાત્મક ચિત્ર બનતાં અટકાવી દીધું છે. જો એ વાક્ય ચિત્રમાં જ હોત તો જેને આઘા રહેવાની વિનંતી કરવામાં આવી છે એ માણસો પણ ચિત્રની ફ્રેમમાં જ છે એવું આપણે માનવું પડતું. એ વાક્ય હકીકતમાં તો આપણને, પ્રેક્ષકોને, સંબોધીને કહેવામાં આવ્યું છે. મેં પહેલી વાર આ ચિત્ર જોયું ત્યારે મને આઘાત લાગેલો. કેમકે ચિત્ર જોતાની સાથે જ ‘માબાપ’માં મેં મારો પણ સમાવેશ કરી નાખેલો. અહીં પાત્ર કોઈ ફરિયાદ કરતું નથી. ચિત્રકાર એને બોધાત્મક ચિત્ર બનાવી શક્યા હોત. પણ એમ નહીં કરીને એમણે આ ચિત્રને એક જુદા જ પ્રકારની ઊંચાઈ પર મૂકી આપ્યું છે. ચિત્રમાં image અને language કઈ રીતે એકબીજા સાથે કામ કરે છે એ વિષય પર અત્યારે ઘણું કામ થઈ રહ્યું છે. કેમ કે એવાં અનેક ચિત્રો છે. પણ, ચિત્રની બહાર ભાષા હોય અને એ ચિત્રનો અનિવાર્ય અંગ બની જાય એવું બહુ ઓછાં ચિત્રોમાં બનતું હોય છે. આ એમાંનું એક ચિત્ર છે.” (બાબુ સુથાર)
ઇ.સ. ૧૯પ૪માં નેહરુએ સંસદ ભવનમાં ભારતના ઇતિહાસને દર્શાવતાં સો ચિત્રો મૂકવાનું નક્કી કર્યુ. એમાં જ્યોતિભાઇ ભટ્ટનું પણ એક ચિત્ર સામેલ હતું.
( જ્યોતિભટ્ટ )
૧૯પ૯થી ૧૯૯૨ સુધી સળંગ તેત્રીસ વર્ષ જ્યોતિભાઇ એમ. એસ. યુનિવર્સિટીમાં કલાશિક્ષક રહ્યા. એક્સચેન્જ ઓફ સ્ટુડન્ટ ફેલોશિપ મળતાં ઇટાલીમાં એક વર્ષ અને અમેરિકામાં બે વર્ષ રહ્યા, અને ત્યાંનાં મ્યુઝિયમોમાં ઘૂમી વળ્યા. પ્રતિષ્ઠિત ફૂલબ્રાઇટ અને રોકફેલર સ્કોલરશિપ/ફેલોશિપ અને ટ્રાવેલ ગ્રાન્ટ મળતાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ગ્રીસનીમુલાકાતોપણલીધી. ન્યૂ ર્યોકમાં બેસીને ચિત્ર, ફોટોગ્રાફી અને લેખોનું સર્જન કર્યું.
૧૯૬૭થી ત્રીસ વર્ષસુધી છબીકલામાંકાર્યરતરહ્યા. ‘કુમાર’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’ વગેરેમાં કલાસર્જનવિષે નિયમિત લેખો લખ્યા. શેખ અને ભૂપેન ખખ્ખર સાથેરહી જ્યોતિભઈએ ફોકકલ્ચર ઉપર ઊંડું કામ કર્યું.
૧૯૭૯માં આંતરરાષ્ટ્રીય બાલવર્ષ દરમિયાન તેમણે ‘શૈશવ’ નામનુંએક પ્રદર્શન કર્યું. તેમાં એમનાએકફોટોગ્રાફને પુરસ્કાર મળ્યો. એક લંગડી છોકરી ઊભી છે ને પાછળ ‘બ્લર’માં દોડતાં બાળકો છે, તેવો ફોટોગ્રાફ હતો. જ્યોતિભાઈને વિચાર આવ્યો કે: ‘આ પુરસ્કાર મને મળ્યો કે પેલી છોકરીને?’ એમણે મથામણ કરી એ છોકરીને શોધી કાઢી અને પુરસ્કારની રકમ તેને આપી દીધી. પોલિયોના કારણે પગ ગુમાવનાર એ છોકરીના પિતા ગુજરી ગયા હતા. તે છોકરીએ પેલી રકમમાંથી ભણવાનું શરૂ કર્યું. જ્યોતિભાઈ કહે છે: ‘કપડાંમાંથી ફાડી કોઇને ટુકડો આપીએ તો આપણો ટુકડો જાય છે, પણ આનંદ શેર કરવામાં આપણું ક્યાં કંઇ ઓછું થાય છે?’
I was a classmate of Jyotibhai and also in Jagubhai’s art class, when he painted this and exhibited in our art show. I remember that there were stron negative reactions, including it being described as being
“jugupsa prerak”! I was surprised and shocked at the insensitivity then and even now
70 years later!
માથા પરના ડબલા પરથી નીચે ઉતરતા પીળા રેલા બતાવ્યા છે.
મારા હીસાબે હીન્દુઓએ દલીતો ઉપર કરેલ અત્યાચારના આ રેલા છે. આ દાગ નીકળે એમ નથી…
LikeLiked by 2 people
મા દાવડાજીના રસ દર્શન સાથે મા જ્યોતિ ભટ્ટના Baroda Art શૈલીના સુંદર ચિત્રો માણવાની મઝા આવી.
‘છેટા રહેજો મા–બાપ’ વાતે અમે સુપડી લઇ રસ્તાના મળ સાફ પણ કર્યા છે વૈજ્ઞાનિકો સાથે ચિંતન કરી અમારી સર્વોદય સંસ્થાએ બાવળા ટાઇપ લેટ્રીન, પીઆરએ ટાઇપ લેટ્રીન, હેન્ડ ફલશ લેટ્રીન, સેપ્ટીક ટેંક લેટ્રીન થી પણ પર્યાવરણને ધ્યાનમા રાખી ખાતર ગૅસ બનાવી શકાય તેવા લેટ્રીનો બનાવ્યા..
LikeLiked by 1 person
I was a classmate of Jyotibhai and also in Jagubhai’s art class, when he painted this and exhibited in our art show. I remember that there were stron negative reactions, including it being described as being
“jugupsa prerak”! I was surprised and shocked at the insensitivity then and even now
70 years later!
LikeLiked by 1 person