આજે સમાજમાં દુઃખ નથી વધ્યાં, પ્રશ્નો નથી વધ્યા પરંતુ સહનશક્તિ ઘટી છે. પરિણામે દુઃખ અને પ્રશ્નો વધુ લાગે છે. આપણો અભિમાની સ્વભાવ, સહનશીલતા કેળવવા દેતો નથી. આપણું ગમતું, રસ-રુચિ, આપણું કૂંડાળું વગેરે છોડવા નથી. કોઈ આપણું અપમાન કરે અથવા આપણા દોષોને દેખાડે તો તે સહન કરવું નથી. વિપરીત વિચારવાળાને સ્વીકારવા નથી, અને ગમ ખાતા શીખવું નથી. આ ચાર વાત સહનશીલતાના અભાવ માટે કારણભૂત છે.
સરસ લેખ. ઉત્તરાધ્યાન સૂત્રમાં મહાવીર સ્વામીએ સહનશીલતા વિશે ખૂબ ઉંડાણપૂર્વક કીધું છે.
તેઓએ દુનિયાના ઇતિહાસમાં જાતે વૈરાગ્ય ધારણ કરીને સતત બાર વરસ સુધી ભૂખ, તરસથી લઇને ક્ષણે ક્ષણ આવી પડતી બધી જ પરિસ્થિતિમાં સહનશીલ થઇને પોતાના
અંતરંગ શત્રુ (ક્રોધ, માન, માયા, લોભ) પર વિજય પ્રાપ્ત કરેલો અને ત્યાર પછી જે સ્ફૂર્યું તેને કેવળજ્ઞાન કહે છે અને તેમણે શિષ્યોને ઉપદેશ કરેલો તે ઉત્તરાધ્યાનસૂત્રમાં આલેખાયેલું છે.
ભગવાન મહાવીર સ્વામીએ સહનશીલતાનો ગુણ કેળવવા છ અભ્યંતર અને છ બાહ્ય એમ બાર પ્રકારના તપનો અનુરોધ કરેલો. કમનસીબે છ બાહ્ય તપની જૈનોમાં એટલી બધી બોલબાલા વધી ગઇ કે છ અભ્યંતર તપ વિશે ઘણું ઓછું વંચાય, ચર્ચાય છે.આપનો લેખ વાંચીને ફરીથી ઉત્તરાધ્યાન સૂત્ર વાંચવાને મન લલચાય છે. ઘણી યાદો તાજી થઇ ગઇ. આપનો ખૂબ ખૂબ આભાર.
મા ડો. પ્રતાપભાઈ પંડ્યાનો મનનીય લેખ
‘આપણું ગમતું, રસ-રુચિ, આપણું કૂંડાળું વગેરે છોડવા નથી. ….આ ચાર વાત સહનશીલતાના અભાવ માટે કારણભૂત છે.’ સુંદર વાત
ત્યારે બીજી તરફ સહનશીલતાને નામે કાયરતાને નભાવે છે, અરાજકતાને પોષે છે. ક્ષમા અને સહનશીલતા, ગુણને બદલે નબળાઈ બની જાય છે.આમાં ‘ક્ષમા’ અને ‘બદલો’, એ બન્ને કરતાં યોગ્ય ન્યાય થવો વધારે અગત્યનું અને જરુરી છે.તેવું સાચા અર્થમાં ક્ષમા માંગવી અને આપવી બન્ને કામ અઘરાં છે. ક્ષમા માંગવામાં અહમ્ આડો આવે છે, જ્યારે ક્ષમા આપવામાં ન્યાય ન થયાનો અફસોસ રહે છે. સાચી ક્ષમા માંગવી હોય તો પોતાના સાચાપણાનો આગ્રહને જતો કરવો પડે છે. સાચી ક્ષમા આપવામાં માંગનારની શરણાગતી નહીં; પણ નમ્રતા જોવાની છે.
સરસ લેખ. ઉત્તરાધ્યાન સૂત્રમાં મહાવીર સ્વામીએ સહનશીલતા વિશે ખૂબ ઉંડાણપૂર્વક કીધું છે.
તેઓએ દુનિયાના ઇતિહાસમાં જાતે વૈરાગ્ય ધારણ કરીને સતત બાર વરસ સુધી ભૂખ, તરસથી લઇને ક્ષણે ક્ષણ આવી પડતી બધી જ પરિસ્થિતિમાં સહનશીલ થઇને પોતાના
અંતરંગ શત્રુ (ક્રોધ, માન, માયા, લોભ) પર વિજય પ્રાપ્ત કરેલો અને ત્યાર પછી જે સ્ફૂર્યું તેને કેવળજ્ઞાન કહે છે અને તેમણે શિષ્યોને ઉપદેશ કરેલો તે ઉત્તરાધ્યાનસૂત્રમાં આલેખાયેલું છે.
ભગવાન મહાવીર સ્વામીએ સહનશીલતાનો ગુણ કેળવવા છ અભ્યંતર અને છ બાહ્ય એમ બાર પ્રકારના તપનો અનુરોધ કરેલો. કમનસીબે છ બાહ્ય તપની જૈનોમાં એટલી બધી બોલબાલા વધી ગઇ કે છ અભ્યંતર તપ વિશે ઘણું ઓછું વંચાય, ચર્ચાય છે.આપનો લેખ વાંચીને ફરીથી ઉત્તરાધ્યાન સૂત્ર વાંચવાને મન લલચાય છે. ઘણી યાદો તાજી થઇ ગઇ. આપનો ખૂબ ખૂબ આભાર.
LikeLiked by 1 person
મા ડો. પ્રતાપભાઈ પંડ્યાનો મનનીય લેખ
‘આપણું ગમતું, રસ-રુચિ, આપણું કૂંડાળું વગેરે છોડવા નથી. ….આ ચાર વાત સહનશીલતાના અભાવ માટે કારણભૂત છે.’ સુંદર વાત
ત્યારે બીજી તરફ સહનશીલતાને નામે કાયરતાને નભાવે છે, અરાજકતાને પોષે છે. ક્ષમા અને સહનશીલતા, ગુણને બદલે નબળાઈ બની જાય છે.આમાં ‘ક્ષમા’ અને ‘બદલો’, એ બન્ને કરતાં યોગ્ય ન્યાય થવો વધારે અગત્યનું અને જરુરી છે.તેવું સાચા અર્થમાં ક્ષમા માંગવી અને આપવી બન્ને કામ અઘરાં છે. ક્ષમા માંગવામાં અહમ્ આડો આવે છે, જ્યારે ક્ષમા આપવામાં ન્યાય ન થયાનો અફસોસ રહે છે. સાચી ક્ષમા માંગવી હોય તો પોતાના સાચાપણાનો આગ્રહને જતો કરવો પડે છે. સાચી ક્ષમા આપવામાં માંગનારની શરણાગતી નહીં; પણ નમ્રતા જોવાની છે.
LikeLiked by 2 people
સહનશીલતા કેળવવી જરા અઘરી તો છે જ પણ જો એ કેળવી લઈને તો બાકી ઘણી બધી બાબતો સુલઝાવવી સહેલી બની જાય.
LikeLike
સહનશીલતા વિષે ડો.પ્રતાપ પંડ્યાનો લેખ મનનીય છે.
LikeLike