લોકોઆવીકલાકૃતિઓનાઆકારનેનહીંપણએનાસંદેશનેસમજવાનીકોશીશકરતારહેછે. હકીકતએછેકે Abstract Art અસ્તિત્વનધરાવતાઆકારોનેપ્રદર્શિતકરેછે, એટલેએનોસંદેશપણઆભાસીજહોવાનો. આકલાએકમનઘડતઅનેઆભાસીઅકારનેમૂર્તસ્વરૂપઆપવાનુંમાધ્યમછે.
Abstract શિલ્પને સમજવાની શરૂઆત કરવા અગાઉ એ શિલ્પના થોડા દેખાતા પરિમાણ તપાસી લેવા જરૂરી છે.
આકારઃ શિલ્પનો મૂળભૂત આકાર કેવો છે. પ્રથમ દૃષ્ટીએ એ કોઈ સંદેશો આપે છે? એ કોઈ ઐતિહાસિક ચિન્હ હોય તો બાકીનું શિલ્પ એની તાકાત દર્શાવે છે. જો એ હલકું અને ખુલ્લું હોય હોય અને ઉંચું હોય તો એ આશા કે ઇચ્છા દર્શાવે છે. જો એ આકાર પક્ષી જેવો હોય તો એ ઉચી ઉડાણ દર્શાવે છે.
શિલ્પ સાદું હોય કે ગુંચવણ ભર્યું હોય, શાંત હોય કે ઉત્તેજીત હોય, દરેક્માં કલાકારનો એક સંદેશ છુપાયલો હોય છે.
રંગઃ ગાઢા રંગ એ શક્તિનું પ્રતિક છે. ઐતિહાસિક શિલ્પમાં આવા રંગો વપરાય છે. ચમકદાર રંગો ઉત્સાહ અને ઉમંગ દર્શાવે છે. રંગો જોઈને તમારા મનમાં કેવા વિચાર આવે છે?
ભાત (Texture): જો સરફેસ રફ હોય તો એ ઉત્સુકતાદર્શક છે. ક્યારેક એ ઈંતેજારી કે નિરાશાનું પ્રતિક હોય છે. જો સ્મુધ હોય એ સુંદરતા અને આનંદ દર્શાવે છે.
હલન-ચલનઃ કેટલાક શિલ્પમાં હલન ચલનની યાંત્રિક સુવિધા હોય છે, જેથી કલાકાર પોતાના વિચાર વધારે સારી રીતે વ્યકત કરી શકે છે.
very deep understanding of SHILP learnt here first time- like earlier you expressed for painting..awaiting SHILP PRASAD of Narendra Patel next week.
LikeLike
કલાના અવનવા સ્વરૂપોનો આસ્વાદ કરાવી એ અંગેની સમજ આપવા બદલ આભાર, સાહેબ.
શ્રી નરેન્દ્ર પટેલના શિલ્પ માણવાની રાહ છે.
LikeLike
આધુનિક શિલ્પ ને અમે અણગઢ ની કળા ગણતા પણ આવી સ રસ રીતે સમજાવતા અદ ભૂત દર્શન
.
ધન્યવાદ મા નરેન્દ્ર પટેલના =દુર્ગા પટેલ
LikeLike
જ્યોતિ ભટ અને હવે નરેંદ્ર અને દુર્ગાના (મારે માટે બચુ અને શામજીભાઈની દુર્ગા) જીવન/કલા કથાને પ્રસ્તુત કરવા માટે ધાન્યવાદ – કનકભાઈ
LikeLiked by 1 person