શિલ્પ (Sculpture)-૨-(નરેન્દ્ર પટેલ-૧)


નરેન્દ્ર પટેલ

૧૯૨૯ માં ભાવનગરમાં જ્ન્મેલા નરેન્દ્રભાઈ હાઈસ્કૂલના દિવસોથી ચિત્રકામ કરતા, અને જુદા જુદા કલાપ્રદર્શનોમાં ભાગ લેતા. ૧૯૫૫ માં એમની કલાકૃતિઓનું પહેલું પ્રદર્શન દીલ્હીની લલિતકલા એકેડેમીમાં ભરાયું હતું. ત્યાર બાદ ભારતના જુદા જુદા શહેરોમાં એમની કલા પ્રદર્શિત થતી રહી.

૧૯૫૮ માં વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસમાંથી ફાઈન આર્ટ્સના સ્નાતક થયા. ૧૯૬૦ માં જવાહરલાલ નહેરૂના હસ્તે, ઈજીપ્તના પ્રમુખ નાસરની હાજરીમાં એમને રાષ્ટ્રીય લલિતકલા એકેડેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ૧૯૬૧ માં કલાના ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ કરવા તેઓ પત્ની સાથે અમેરિકા આવ્યા. ૧૯૬૫ માં ડેટ્રોઈટની વેઈન યુનિવર્સીટીમાંથી સ્થાપત્ય (Sculpture) માં માસ્ટર્સ ડિગ્રી મેળવી અને ત્યાર બાદ ૧૯૬૭ માં ક્રેનબુક એકેડમી ઓફ આર્ટસ (મીશીગન)માંથી એમ.એફ.. (Equivalent to Ph.D.) ડીગ્રી મેળવી.

૧૯૬૭ થી નિવૃતિ સુધી નરેન્દ્રભાઈ યુનિવર્સીટી ઓફ વીસ્કોન્સીન (મીલવોકી)માં કલા વિભાગના પ્રોફેસર તરીકે કામ કર્યું.

અમેરિકાના કલા જગતમાં નરેન્દ્રભાઈનું નામ ખૂબ સન્માનપૂર્વક લેવામાં આવે છે. અમેરિકાના ન્યુયોર્ક,વીસ્કોનસીન, ઈન્ડીયાના અને મીશીગન રાજ્યોમાં એમના ૩૫ થી વધારે પ્રદર્શનો ભરાઈ ચૂક્યા છે. અમેરિકા ઉપરાંત ફ્રાન્સ, બેલ્જીયમ અને ઈટાલીમાં પણ કલા જગતમાં એમનું નામ લેવાય છે.

ચિત્રકારો કાગળ કે કેનવાસ ઉપર બ્રશ અને રંગોની મદદથી કૃતિઓનું સર્જન કરે છે. નરેન્દ્રભાઈ માટે ધાતુનાં મોટા મોટાં પતરાં એમના કાગળ અને વેલ્ડરની ટોર્ચ એમનું બ્રશ. સ્ટેઈનલેસ સ્ટીલનાં મોટાં મોટાં પતરાં, તાંબાના વજનદાર પતરાં, કેટલાંક કેમીકલ્સ અને વેલ્ડરની ટોર્ચથી બનાવેલી આકૃતિઓ સુંદર કલાકૃતિઓ બની જાય છે. તાંબાના પતરાંને કયે ઠેકાણે કેવી રીતે અને કેટલી ગરમી આપવી એની આવડતથી નરેન્દ્રભાઈ એના ઉપર અલગ અલગ રંગો પેદા કરે છે. સ્ટેઈનલેસ સ્ટીલના પતરાં ઉપર કેમીકલ્સ લગાવી એને અલગ અલગ જગ્યાએ અલગ અલગ માત્રામાં ઘસીને સુંદર આકૃતિઓ ઉપજાવે છે. આમાંની કેટલીક રીતો અને પ્રક્રીયાઓ તો નરેન્દ્રભાઈની પોતાની આગવી શોધ છે.

એમની કલાકૃતિઓ અનેક આર્ટગેલેરીઓમાં અને અનેક જાહેર જગ્યાઓમાં તથા ખાનગી સંસ્થાઓમાં જોવા મળે છે. એમના સાગના લાકડામાંથી કંડારેલી કલાકૃતિઓ દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં જોવ મળે છે, મિલવાઉકીની એક ખાનગી કંપનીમાંવેવ્સ”, ડેટ્રોઈટના એક શોપીંગ સેંટરમાંબુલઅને વિસ્કોનસીન યુનિવર્સીટીમાંરીફ્લેક્ષન૨૨શિલ્પકૃતિ જોવા મળે છે.

લેખમાળામાં આપણે એમની થોડી શિલ્પકૃતિઓ જોઈશું.

        Confluence

ચિત્રનું નામ Confluence છે. આનો અર્થ થાય છે એક બીજામાં વિલીન થવું. સામાન્ય રીતે કોઈપણ શિલ્પના પાયામાં એક તક્તિમાં શિલ્પનું નામ, એના કલાકારનું નામ, શિલ્પની સ્થાપનાની તારીખ, અને શિલ્પ તૈયાર કરવાનો ખર્ચ કોણે ઉઠાવ્યો છે એની માહિતી આપવામાં આવે છે.

શિલ્પમાં ધાતુના પતરાંઓના રંગોના સંયોજન દ્વારા સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે કે અહીં જાત જાતના અને ભાત ભાતના માણસો એક બીજામાં વિલીન થઈને અહીંનો સમાજ બન્યો છે. બીજો સંદેશ કદાચ મળે છે કે અહીં અલગ અલગ સમયમાં અલગ અલગ ઋતુઓના રંગ સાથે જોવા મળે છે. આવા કઈક વિચાર શિલ્પ આપે છે.

આપણે ત્યાં પ્રયાગમાં જ્યાં ગંગાના આછા રંગના પાણી સાથે જમુનાના શ્યામ રંગના પાણી મળે છે એને કદાચ Confluence કહી શકાય. શિલ્પનું બીજું મહત્વનું અંગ છે કે તમે એની ફરતે એક આંટો મારતી વખતે થોડી થોડી વારે શિલ્પ જોવા પ્રયત્ન કરશો તો તમને અલગ અલગ આકૃતિઓ દેખાશે. અનેક આકૃતિઓનું એક શિલ્પમાં Confluence કહી શકાય.

ઉપરની ત્રણે તસ્વીરો આ શિલ્પને અલગ અલગ ખુણેથી લેવામાં આવી છે. દરેક તસ્વીર એક જ શિલ્પના અલગ અલગ સ્વરૂપ જોઈ શકાય છે.

એક ઈન્ટરવ્યુમાં નરેન્દ્રભાઈએ કહ્યું છે કે એક વહેતી નદીના તરંગોને લીધે પાણીના બદલાતા રંગો જોઈને એમના મનમાં જે વિચાર આવ્યા, એ આ કૃતિના મૂળમાં છે. એમણે કાગળ ઉપર એ વિચારને આ પ્રમાણે સ્કેચ કરી લીધો.

2 thoughts on “શિલ્પ (Sculpture)-૨-(નરેન્દ્ર પટેલ-૧)

  1. ‘અમેરિકાના કલા જગતમાં નરેન્દ્રભાઈનું નામ ખૂબ સન્માનપૂર્વક લેવામાં આવે છે. અમેરિકાના ન્યુયોર્ક,વીસ્કોનસીન, ઈન્ડીયાના અને મીશીગન રાજ્યોમાં એમના ૩૫ થી વધારે પ્રદર્શનો ભરાઈ ચૂક્યા છે. અમેરિકા ઉપરાંત ફ્રાન્સ, બેલ્જીયમ અને ઈટાલીમાં પણ કલા જગતમાં એમનું નામ લેવાય છે.’એવા શ્રી નરેન્દ્ર પટેલના શિલ્પ જોયા,રસદર્શનથી વધુ સમજ પડી….આનંદ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s