શિલ્પ (Sculpture)-૪-(નરેન્દ્ર પટેલ-૩)


આપ સૌના જીવનમાં આનંદનો દીપ સદાય પ્રજ્વલિત રહે.

 

જંતરમંતર

અત્યાર સુધીમાં આપણે નરેન્દ્રભાઈના ધાતુના બનેલાં શિલ્પ જોયાં. ધાતુના શિલ્પની બાબતમાં શિલ્પ જગતમાં નરેન્દ્રભાઈનું મોટું નામ છે.

આજે આપણે એમનું કોંક્રીટથી બનેલુ શિલ્પ જોઈએ. નરેન્દ્રભાઈનું આ શિલ્પ ૧૯૫ માં બન્યું હતું. શિલ્પ પણ Wisconsin ના Milwaukee માં યુનિવર્સિટીના કેમ્પસમાં છે.

શિલ્પની પશ્ચિમની બાજુ કોલેજ ઓફ એંજીનીઅરીંગ અને એપ્લાઈડ સાયન્સનું મકાન છે. એની પૂર્વની બાજુ ફીઝિક્સ ડીપાર્ટમેન્ટનું મકાન છે. ઉત્તર તરફ પ્લેનેટોરિયમ છે.

એંજીનીઅરીંગ એટલે યંત્રશાસ્ત્ર. યંત્રનું અપભ્રંશ જંતર. ફીઝીક્સ એ વિજ્ઞાનનું મંત્ર છે, અને એનું અપભ્રંશ મંતર. એમણે નામ રાખ્યું જંતરમંતર. વળી પ્લેનોટોરિયમ નામને સાર્થક કરે છે. કદાચ એમના મનમાં દિલ્હી અને જયપૂરના જંતરમંતર પણ રહ્યા હશે.

વિશાળ શિલ્પનું નિર્માણ એમણે એંજીનીઅરીંગ કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓની મદદથી કર્યું હતું. શિલ્પમાં વપરાયલું સીમેન્ટ કોંક્રીટ નવું પેટન્ટ મેળવેલું સીમેન્ટ કોંક્રીટ હતું, જેમાં નકામા થઈ ગયેલા ટાયર અને બળીગયેલા કોલસાની રાખ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માત્ર ૧૨ જણાની ટુકડીએ સાથે મળીને કામ પુરૂં કર્યું હતું. જૂન ૧૯૯૫ માં કામનું ઉદઘાટન થયું હતું.

શિલ્પ પણ Abstract Art છે. એટલે એના આકાર વિષે કંઈપણ કહેવાની મારી ક્ષમતા નથી. એક એંજીનીઅર હોવાને નાતે કહી શકું કે કોંક્રીટના આવા ભારે ભરખમ ચાર ટુકડાને જે રીતે સ્થિરતા આપી છે, એમાં એમણે Theory of Equilibrium જરૂર વાપરી છે. સૌથી મોટા બીજા ટુકડાને એક બાજુ નમાવીને પછી એને પડતો રોકવા એક નાના ટુકડાને ટેકા તરીકે વાપર્યો છે. ઉપરના ત્રીજા અને ચોથા ટુકડાને કાં તો બોલ્ટ કર્યા હશે, અને કાં તો એના Centre of Gravityne નીચા લાવી સ્થિર કર્યા હશે. કોંક્રીટના Volume કે વજનની માહીતિ મારી પાસે નથી.

શિલ્પ તૈયાર કરતી વખતે કામકાજનીલેવાયલી ત્રણ તસ્વીરો અહીં રજૂ કરું છું.

નરેન્દ્રભાઈના કોંક્રીટના બનેલા બીજા બે શિલ્પ પણ ખૂબ જ જાણીતા છે. અહીં એમના ફોટોગ્રાફસ અને ટુંકી વિગત આપી છે.

Nice Spirit નામનું આ શિલ્પ એમણે એમના એક સ્વર્ગસ્થ મિત્રની યાદમાં તૈયાર કર્યું છે. લ્યુકેમિયાથી અકાળે મૃત્યુ પામેલાં મિત્રની આત્મશક્તિને આ શિલ્પ બિરદાવે છે.

Ornithopod નામનું આ શિલ્પ એ પ્રાગ ઐતિહાસિક એક ઉડતા પ્રાણીની કલ્પના રજૂ કરે છે. આગળના ભાગમાં બે પગ છે, અને પાછળ મજબૂત પુંછ્ડી છે, જે પણ એને ઉભા રહેવામાં મજબૂત ટેકો આપે છે. ૧૯૯૭ માં તૈયાર કરાયલા આ બે શિલ્પ ઉપર ભેજવાળી હવાથી શેવાળ બાજે છે, અને એનાથી આ શિલ્પો વધારે આકર્ષક લાગે છે.

આવતા બુધવારે નરેન્દ્રભાઈના શિલ્પનો આખરી મણકો રજૂ કરીશ.

2 thoughts on “શિલ્પ (Sculpture)-૪-(નરેન્દ્ર પટેલ-૩)

  1. Nice Spirit નામનું આ શિલ્પ એમણે એમના એક સ્વર્ગસ્થ મિત્રની યાદમાં તૈયાર કર્યું છે. લ્યુકેમિયાથી અકાળે મૃત્યુ પામેલાં મિત્રની આત્મશક્તિને આ શિલ્પ બિરદાવે છે. અ દ ભૂ ત

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s