મનુષ્યનીજીવનનીસફરમાટેભગવદગીતા GPS છે. જીવનમાં આપણે અત્યારે ક્યાં છીએ, અને આપણે ક્યાં પહોંચવું છે, જો આ બે વાતો ખબર હોય તો ભગવાન GPS બનીને માર્ગ દેખાડશે, પણ ડ્રાઈવ તો આપણે જ કરવું પડશે. જો ગાડી સ્ટાર્ટ જ નહીં કરો તો જ્યાં છો ત્યાં જ રહેશો.
માનવીના ભૌતિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જીવનને ગીતા માર્ગદર્શન આપે છે. માનવીને જીવન જીવવા ગીતા પ્રકાશ પાથરે છે. ગીતા જીવન જીવવામાં રસ જગાડે છે.વ્યક્તિએ શા માટે જીવવું અને કેવી રીતે જીવવું એ ગીતા સમજાવે છે. ગીતા સામાન્ય માણસને પણ આશ્વાશન અને હિમ્મ્ત આપે છે.બે ધર્મ વચ્ચે જ્યારે સંધર્ષ થાય તો શેનું આચરણ કરવું એ ગીતા સમજાવે છે. ગીતા માત્ર ધર્મગ્રંથ નથી એ જીવનગ્રંથ છે.
Wah….This is exactly what is required in today`s age. They say that the present generation is passing thru The Era of Stress……Bhagwad Gita is the universal granth….not attached to particular religion or sampraday or any place on universe…….It teaches the lessons of life. Hats off to Davda Saheb for taking this subject for us.
ખૂબ જ પ્રચલિત શ્લોક ‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ્ અધર્મસ્ય તદા આત્માનમ્ સૃજામિ અહમ્. પરિત્રાણાય સાધૂનામ્ વિનાશાય ચ દુષ્કૃતામ્, ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે‘ ના સંદર્ભમાં આપે લખ્યું કે એમાં પ્રાથમિકતા સાધુઓના રક્ષણને આપી છે એ વિશે થોડુંક લખવાનું પસંદ કરું છું.
ભગવાનને આપણે સર્વશક્તિમાન માનતા હોઈએ તો એ વાત સમજી શકાય તેમ છે કે દુષ્કૃત્ય કરનારાને દંડ આપવા માટે કે સજ્જનોના રક્ષણ માટે અવતાર લેવાનું બહુ મોટું કારણ નથી. એટલું તો વૈકુંઠમાં કે જ્યાં બેઠા હોય ત્યાંથી પણ થઈ શકે. જે શક્તિ પોતાના સંકલ્પ માત્રથી બ્રહ્માંડનું સર્જન કરી કરતી હોય તેને માટે દુષ્ટોનો નાશ કરવો એ કોઈ અઘરી બાબત ન હોઈ શકે. ગમે તેનું ગમે ત્યારે હાર્ટફેઈલ કરી શકે!
એક ગેરસમજ એવી પણ પ્રવર્તે છે કે ધર્મની ગ્લાનિ થાય અને અધર્મ પ્રભાવી થઈ જાય ત્યારે ભગવાન અવતાર લે છે- તદા આત્માનમ્ સૃજામિ અહમ્; તો પછી થાય તેટલાં પાપ કરો.જેથી ભગવાન જલદી આવે.! ભગવાનને લાગશે કે હવે તો મારે જવું જ જોઈએ એટલે એ અવતાર ધારણ કરીને આવશે.અને ધર્મસંસ્થાપના કરીને પાછા નિજ ધામમાં ચાલ્યા જશે.
‘સંભવામિ યુગે યુગે‘- આ યુગ એટલે કેટલો સમયગાળો? યુગ કેટલા વર્ષે બદલાય? હજી યુગ પૂરો જ નથી થયો કે શું? કે પછી અનેક યુગો પૂરા થઈ ગયા અને ભગવાન એમના વચન મુજબ અવતારી કૃત્ય કરીને ચાલ્યા યે ગયા! આપણે જ એમને ઓળખી શક્યા નહિ, એવું તો નથી ને!
મને એવું સમજાય છે કે શુદ્ધ ધર્મ પર જ્યારે રાખ ફરી વળી હોય, પૃથ્વી પર જ્યારે દુષ્ટો કાળો કેર વર્તાવી રહ્યા હોય, માનવ્યને ભરખી જનારા અનેક દૂષણો ફૂલ્યા ફાલ્યા હોય, ધર્મનું રૂપ લઈને અધર્મ પ્રભાવી બન્યો હોય ત્યારે સાધુડા બે હાથ જોડીને પ્રાર્થના કરતા હોય કે ‘હવે પ્રભુ અવતાર લો તો સારું‘ તો ભગવાન નહિ જ આવે. એમણે આવવું જ ન જોઈએ! બુદ્ધિ અને શક્તિ આપીને જે માનવને ભગવાને આ સંસારમાં મોકલ્યો તે શું માત્ર માળા જપવા માટે, ભિક્ષાન્ન આરોગવા માટે, ગુફામાં જઈને ધ્યાન ધરવા માટે…. સાધુ એટલે બાવા જોગટાં નહિ, પણ સજ્જનોના અર્થમાં સાધુ શબ્દ પ્રયોજાયો છે એ તો આપણને ખબર જ છે. એ સાધુ એટલે બાવા જોગટા હોય કે સમાજની ચિતા કરનારા ચિંતકો અને વિદ્વાનો હોય, તેઓ શું કરે છે તે વાત મહત્વની છે. ભગવાને જ આવીને બધું કરી જવાનું હોય તો આ લોકોએ કંઈ લરવાનું જ નહિ?
ધર્મસંસ્થાપના માટે સદા પ્રયત્નશીલ એવા કર્તૃત્વવાન સજ્જનો માટે ભગવાન આવે છે. જગત બગડી ગયું, હળાહળ કળિયુગ બેસી ગયો એવો કેવળ વિલાપ કરનારા સજ્જનોનું ભગવાનના દરબારમાં કંઈ માન ન હોય. એને જે પ્રેમ છે તે કર્મવીરો પ્રત્યે. બધું બગડવા બેઠું હોય ત્યારે બબડતા બેસી રહેવાને બદલે ધર્મસંસ્થાપનાનું કામ કરનારા કર્મવીરો હતાશ ન થઈ જાય એટલા માટે તેને આશ્વાસન આપવા, તેમને માથે હાથ ફેરવી તેમનો થાક ઉતારવા ભગવાન આવતા હોય એ વધારે લોજિકલ લાગે છે.
ગજેન્દ્ર મોક્ષની કથામાં પણ મગરની ચૂડમાંથી બચવા પોતાનાથી શક્ય તેટલું જોર હાથી અજમાવે છે અને એની શક્તિ ખલાસ થઈ જાય છે અને પછી એ ભગવાનની મદદ માંગે છે ત્યારે ભગવાન ગરુડે ચડીને આવે છે! પોતાની સમગ્ર બુદ્ધિ અને શક્તિ આજના સજ્જનો ધર્મ સંસ્થાપના માટે વાપરે છે ખરા?… કેવળ હાક મારવાથી ભગવાન નહીં આવે.થાકી જાય તેટલું કામ કર્યા પછી હાક મારે તો આવે.
શ્રીમદ વભગવદગીત નું સાંપ્રતસમયના લોકો સહેલાઇથી સમજી શકે તેવુ સ રસ DECODATION
LikeLike
very happy to receive this most valuable article on gita-equally useful for Young and Old alike.awaiting further installments.
LikeLike
Wah….This is exactly what is required in today`s age. They say that the present generation is passing thru The Era of Stress……Bhagwad Gita is the universal granth….not attached to particular religion or sampraday or any place on universe…….It teaches the lessons of life. Hats off to Davda Saheb for taking this subject for us.
LikeLike
એકદમ સુપાચ્ય વાત કરી આપે તો. બહુજ સરસ.
LikeLike
ખૂબ જ પ્રચલિત શ્લોક ‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ્ અધર્મસ્ય તદા આત્માનમ્ સૃજામિ અહમ્. પરિત્રાણાય સાધૂનામ્ વિનાશાય ચ દુષ્કૃતામ્, ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે‘ ના સંદર્ભમાં આપે લખ્યું કે એમાં પ્રાથમિકતા સાધુઓના રક્ષણને આપી છે એ વિશે થોડુંક લખવાનું પસંદ કરું છું.
ભગવાનને આપણે સર્વશક્તિમાન માનતા હોઈએ તો એ વાત સમજી શકાય તેમ છે કે દુષ્કૃત્ય કરનારાને દંડ આપવા માટે કે સજ્જનોના રક્ષણ માટે અવતાર લેવાનું બહુ મોટું કારણ નથી. એટલું તો વૈકુંઠમાં કે જ્યાં બેઠા હોય ત્યાંથી પણ થઈ શકે. જે શક્તિ પોતાના સંકલ્પ માત્રથી બ્રહ્માંડનું સર્જન કરી કરતી હોય તેને માટે દુષ્ટોનો નાશ કરવો એ કોઈ અઘરી બાબત ન હોઈ શકે. ગમે તેનું ગમે ત્યારે હાર્ટફેઈલ કરી શકે!
એક ગેરસમજ એવી પણ પ્રવર્તે છે કે ધર્મની ગ્લાનિ થાય અને અધર્મ પ્રભાવી થઈ જાય ત્યારે ભગવાન અવતાર લે છે- તદા આત્માનમ્ સૃજામિ અહમ્; તો પછી થાય તેટલાં પાપ કરો.જેથી ભગવાન જલદી આવે.! ભગવાનને લાગશે કે હવે તો મારે જવું જ જોઈએ એટલે એ અવતાર ધારણ કરીને આવશે.અને ધર્મસંસ્થાપના કરીને પાછા નિજ ધામમાં ચાલ્યા જશે.
‘સંભવામિ યુગે યુગે‘- આ યુગ એટલે કેટલો સમયગાળો? યુગ કેટલા વર્ષે બદલાય? હજી યુગ પૂરો જ નથી થયો કે શું? કે પછી અનેક યુગો પૂરા થઈ ગયા અને ભગવાન એમના વચન મુજબ અવતારી કૃત્ય કરીને ચાલ્યા યે ગયા! આપણે જ એમને ઓળખી શક્યા નહિ, એવું તો નથી ને!
મને એવું સમજાય છે કે શુદ્ધ ધર્મ પર જ્યારે રાખ ફરી વળી હોય, પૃથ્વી પર જ્યારે દુષ્ટો કાળો કેર વર્તાવી રહ્યા હોય, માનવ્યને ભરખી જનારા અનેક દૂષણો ફૂલ્યા ફાલ્યા હોય, ધર્મનું રૂપ લઈને અધર્મ પ્રભાવી બન્યો હોય ત્યારે સાધુડા બે હાથ જોડીને પ્રાર્થના કરતા હોય કે ‘હવે પ્રભુ અવતાર લો તો સારું‘ તો ભગવાન નહિ જ આવે. એમણે આવવું જ ન જોઈએ! બુદ્ધિ અને શક્તિ આપીને જે માનવને ભગવાને આ સંસારમાં મોકલ્યો તે શું માત્ર માળા જપવા માટે, ભિક્ષાન્ન આરોગવા માટે, ગુફામાં જઈને ધ્યાન ધરવા માટે…. સાધુ એટલે બાવા જોગટાં નહિ, પણ સજ્જનોના અર્થમાં સાધુ શબ્દ પ્રયોજાયો છે એ તો આપણને ખબર જ છે. એ સાધુ એટલે બાવા જોગટા હોય કે સમાજની ચિતા કરનારા ચિંતકો અને વિદ્વાનો હોય, તેઓ શું કરે છે તે વાત મહત્વની છે. ભગવાને જ આવીને બધું કરી જવાનું હોય તો આ લોકોએ કંઈ લરવાનું જ નહિ?
ધર્મસંસ્થાપના માટે સદા પ્રયત્નશીલ એવા કર્તૃત્વવાન સજ્જનો માટે ભગવાન આવે છે. જગત બગડી ગયું, હળાહળ કળિયુગ બેસી ગયો એવો કેવળ વિલાપ કરનારા સજ્જનોનું ભગવાનના દરબારમાં કંઈ માન ન હોય. એને જે પ્રેમ છે તે કર્મવીરો પ્રત્યે. બધું બગડવા બેઠું હોય ત્યારે બબડતા બેસી રહેવાને બદલે ધર્મસંસ્થાપનાનું કામ કરનારા કર્મવીરો હતાશ ન થઈ જાય એટલા માટે તેને આશ્વાસન આપવા, તેમને માથે હાથ ફેરવી તેમનો થાક ઉતારવા ભગવાન આવતા હોય એ વધારે લોજિકલ લાગે છે.
ગજેન્દ્ર મોક્ષની કથામાં પણ મગરની ચૂડમાંથી બચવા પોતાનાથી શક્ય તેટલું જોર હાથી અજમાવે છે અને એની શક્તિ ખલાસ થઈ જાય છે અને પછી એ ભગવાનની મદદ માંગે છે ત્યારે ભગવાન ગરુડે ચડીને આવે છે! પોતાની સમગ્ર બુદ્ધિ અને શક્તિ આજના સજ્જનો ધર્મ સંસ્થાપના માટે વાપરે છે ખરા?… કેવળ હાક મારવાથી ભગવાન નહીં આવે.થાકી જાય તેટલું કામ કર્યા પછી હાક મારે તો આવે.
LikeLike