રાધવકનેરિયાનોજન્મ૧૯૩૬માંએકગરીબખેડૂતકુટુંબમાંથયોહતો. શાળાનોઅભ્યાસપૂરોકર્યાપછી ૧૯૫૫ માં વડોદરાનીમહારાજાસયાજીરાવયુનિવર્સિટીનીફાઈનઆર્ટસકોલેજમાંજોડાયા. એજવરસેએમનીસાથેજોડાયેલાઅનેપછીથીમોટાકલાકારોતરીકેજાણીતાથયેલાઅન્યવિદ્યાર્થીઓહતાજ્યોતિભટ્ટ, હિંમત શાહ, ગુલામમોહમ્મદ શેખ, વિનોદ શાહ, કૃષ્ણ છાતપર અને વિનોદરાય પટેલ.એમનાઅધ્યાપકોહતામાર્કંડ ભટ્ટ, એન.એસ. બેન્દ્રે, શંખો ચૌધરી અને કે. જી. સુબ્રમન્યમજેબધાજભારતનાકલાજગતનાખુબજમોટાનામોછે.
જ્યોતિભાઈ અને રાઘવભાઈની પ્રથમ વર્ષમાં જ પાકી દોસ્તી થઈ ગઈ. ૧૯૫૬ માં જ્યોતિભાઈને યુનિવર્સીટીના પ્રાણીશાસ્ત્ર વિભાગમાં એક મોટું મ્યૂરલ (ભીંતચિત્ર) તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું. જ્યોતિભાઈએ આ કામ માટે અન્ય બે મિત્રો અને રાઘવભાઈને મદદનીશ તરીકે લીધા. એમાંથી જે મહેનતાણું મળ્યું એ ચારે જણાએ વહેંચી લીધું. ત્યારે રાઘવભાઈની આર્થિક પરિસ્થિતી સારી ન હતી, અને અભ્યાસ છોડી દેવાનો વિચાર પણ આવ્યો હતો, પણ આ મહેનતાણું મળતાં એમને રાહત થઈ હતી.
કોલેજમાં પેઈન્ટીંગ વિભાગની સામગ્રી વિદ્યાર્થીઓએ જાતે ખરીદવી પડતી, પણ શિલ્પકળા વિભાગમાં માટી, પ્લાસ્ટર લાકડું, પથ્થર, ધાતુ વગેરે વિભાગ તરફથી પુરૂં પાડવામાં આવતું. રાઘવભાઈને પેઇન્ટીંગમાં વધારે રસ હોવા છતાં આર્થિક કારણોથી શિલ્પ વિભાગમાં રહેવું પડ્યું હતું. અનેક હાડમારીઓનો સામનો કરીને, રાત દિવસ જોયા વિના કામ કરીને દર વરસે પ્રથમ ક્રમે રહીને અભ્યાસક્રમ પૂરો કરી ડિપ્લોમા મેળવ્યો.
(૧૯૫૭ માં ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ – વડોદરા-માં પ્રથમ વર્ષના વિદ્યાર્થી રાઘવ કનેરિયા)
૧૯૬૧ માં જગદીશ સ્વામીનાથન, જેરામ પટેલ, ગુલામમોહમ્મદ શેખ અને અન્ય કલાકારોએ સ્થાપેલા “ગ્રુપ ૧૮૯૦” માં બાર સભ્યો હતા. એમાંથી ૧૧ સભ્યો ચિત્રકાર હતા, માત્ર રાઘવ કનેરિયા શિલ્પી હતા. આ ગ્રુપનું પ્રથમ પ્રદર્શન દિલ્હીમાં લલિત કલા અકાદમીની ગેલેરીમાં, રવીન્દ્ર ભવનમાં યોજાયું હતું, જેનું ઉદઘાટન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ કરેલું. તેને માટે મુંબઈથી લોખંડના વજનદાર મૂર્તિશિલ્પો પહોંચાડવાનું સાહસ તો રાઘવભાઈએ કર્યું, પણ પાછા લઈ જવાના આકરાં ખર્ચની વ્યવસ્થા થઈ ન શકી, તેથી એક મિત્રના બગીચામાં જ એ છોડી આવ્યા.
great biodata of Shilpi raghav kaneria – inspiring life sketch indeed.
LikeLike
મા રાઘવ કનેરિયાજી ના ફૉટા જોયા અને શરુઆતના જીવન સંઘર્ષની વાતો જાણી
રાહ બીજા હપ્તામા સુંદર શિલ્પના ફૉટા અને રસદર્શનની
LikeLike
એક સાચા અને સરળ કલાકાર, અમારા મિત્ર રાઘવભાઈનો સૌને પરિચય કરાવવા માટે દાવડાસાહેબને ધન્યવાદ.
સરયૂ દિલીપ પરીખ
LikeLike
દાવડાભાઈ અને સરયૂબેન. તમારા સાથ અને સહકાર બદલ ખુબ ખુબ આભાર.
– કનેરિયા પરિવાર વતી – અંકુર કનેરિયા.🙏
LikeLike