પ્રકરણ -૧૪
નેહા સાગરને મળીને ઘેર જવા નીકળી. પગ જાણે સાંકળ થી બંધાઈ ગયાં હોય એમ લાગતું હતું. પગ પાછાં પડતાં હતાં. પણ, ઘેર પહોંચી ગઈ. આકાશની કાર બહાર પાર્ક કરેલી હતી. નેહાને જાણે ચક્કર આવી ગયાં. બસ, બધું ખલાસ થઈ ગયું. કાંઈ બચ્યું નહીં, આટલા વરસોની મહેનત પર, અંતે તો પાણી ફરી વળ્યું! એમાંયે હવે આકાશ એના મા-બાપની ઈજ્જત ધૂળમાં મેળવશે, એ જુદું! નેહા પગ ઘસડતી ઘરમાં દાખલ થઈ. આકાશ સોફા પર બેઠો હતો. નેહાએ સ્મિત કરવા પ્રયત્ન કર્યો. આકાશ ધૂંઆપૂંઆ દેખાતો હતો.
‘નેહા, સાગર અને આકાશ વચ્ચેની આ ઝપાઝપીમાં હજુ કોઈ કઈં સમજે ત્યાં તો “ધડામ” અવાજ સંભળાયો. ટ્રીગર દબાઈ ચૂક્યું હતું અને બંદૂકમાંથી બુલેટ નીકળી ચૂકી હતી.’ પ્રેમ ત્રિકોણ … અમુક લોકો શા માટે એક અત્યાચારી સંબંધમાંથી બીજા અત્યાચારી સંબંધ તરફ આગળ વધે છે. તેઓ એક જ પ્રકારનાં લોકોને પોતાનાં જીવનમાં આકર્ષે છે. દરેક વખતે, તેમને લાગે છે આ સંબંધ જરા જુદો સાબિત થશે, પણ તે હતો તેવો ને તેવો જ સાબિત થતો હોય છે. થોડો વધારે કે થોડો ઓછો.આવું ન હોવું જોઈએ. આમાં સુધારાની શરૂઆત થાય છે એક જવાબદારીપૂર્વક જીવન જીવવાથી. એક એવું જીવન કે જેમાં તમે એ સમજતાં હોવ છો કે કોઈ બીજાને પ્રેમ કરવાં માટે તમારે પ્રથમ તો તમારી જાતને પ્રેમથી ભરી દેવી પડશે. કોઈ બીજાની કાળજી કરવાં માટે જરૂર છે તમે તમારી જાતની પ્રથમ કાળજી કરતાં થાવ. એક એવી સમજણ કે બીજી વ્યક્તિની કાળજી કરવામાં તમારી પણ એક મર્યાદા છે. એક દિવસે તેમને પોતાનાં વર્તનની જવાબદારી પોતે જ લેવી પડશે.જયારે તમે પોતે જ થાકી ગયા હોવ ત્યારે પણ તમે મજબુત હોવાનું વર્તન દાખવતા રહો, તો પછી એક દિવસે તમે એટલાં તૂટી જશો કે તમને સરખા પણ નહિ કરી શકાય. ખુશી એક અંગત મુસાફરી છે પરંતુ તે એક પરસ્પર લાગણી છે. જો તમે સતત ઉદ્ધારક બની રહેવાનું ચાલુ રાખશો તો તમારું પાત્ર મોટાભાગે એક પીડિત વ્યક્તિ બની રહેશે. અને, જો તમે તમારી જાતને એક પીડિત તરીકે જોતા થઇ જશો તો, તમે એક અત્યાચારીને તમારા જીવનમાં આકર્ષશો. કોઈપણ રીતે, એ તમારા આત્મ-સન્માન અને સારા માટે પ્રાણઘાતક સાબિત થશે. પ્રેમ પણ કરવો જોઈએ, પણ તેની શરૂઆત તમારાથી થવી જોઈએ. જો તમે પોતાની કાળજી બરાબર કરતાં થશો અને તમારી પોતાની જાત સાથે પ્રેમપૂર્વક વર્તતા હશો તો તમારા જીવનનાં મોટાભાગનાં પ્રશ્નો અદ્રશ્ય થઇ જશે. જે નમ્રતા તમે તમારી પ્રિય વ્યક્તિઓ પ્રત્યે દાખવતા હોવ છો એ જ નમ્રતા જો તમે તમારી જાત પ્રત્યે પણ બતાવશો તો તમારા જીવનમાં એક અનોખું પરિમાણ ઉમેરાશે. નહિ ઉદ્ધારક, નહિ અત્યાચારી કે નહિ પીડિત પરંતુ એ વ્યક્તિ, કે જે સ્વ-કાળજી અને સ્વ-પ્રેમની કલાને હસ્તગત કરે છે, તે જ બુદ્ધ બની શકે છે, દિવ્ય બની શકે છે. જે કોઈ પણ પરિપૂર્ણ જીવન જીવે છે તેનામાં પરોપકાર તો કુદરતી રીતે જ ઉગી ઉઠે છે. અને તમારી પરિપૂર્ણતાને તમારા પોતાનાં ધ્યેય અને પ્રાથમિકતાઓથી અલગ નથી કરી શકાતી. આવો અંત અણકલ્પ્યો અંત કે…?
LikeLiked by 3 people
લેખ બહુજ સમજ માગી લે છે! સમજ્ને વાલે સમજ ગયે, ઓર જો ન સમજે વો….???
LikeLike