કુમુદબેન પટેલ
૨૪ જુલાઈ, ૨૦૧૧, વડોદરાના માનવંતા એવા કલાકાર કુમુદબેન પટેલને પંચમહાભૂતમાં વિલીન થયે લગભગ એક વર્ષ પૂરું થયું. જીવનરસથી ભરપૂર અને આનંદી છતાંય નિર્ભય, પોતાના શબ્દો અને મત પ્રત્યે ખૂબજ સભાન એવી આ હસ્તી, પોતાની શરતો પ્રમાણે જીવન જીવી હતી. ૧૯૨૯માં ભાદરણ ગામમાં જયારે તેઓનો જન્મ થયો ત્યારે તેઓ પોતાની માતાની હથેળીમાં માંડ સમાય શકે એટલા નબળા હતા. તેમના પિતા હૈદ્રાબાદ, જે તે સમયે સિંધ(પાકિસ્તાન)નો ભાગ હતો, ત્યાનાં જમીનદાર હતા. ૧૯૪૨માં જયારે ‘હિન્દ છોડો ચળવળ’એ વેગ પકડ્યો હતો તે સમયે સરદાર પટેલની સલાહ માની તેમણે પોતાના કુટુંબને ગુજરાત મોકલી દીધા હતાં અને તેઓ વડોદરામાં સ્થાયી થયા હતાં. એક બાળસહજ ચમક તેમની આંખોમાં ઉતરી આવી અને તેઓ કહેવા લાગ્યાં, “૧૯૪૨મા ગાંધીજીની સ્વદેશીઓ માટેની હાકલને ટેકો આપવા મેં ખાદી પહેરવાનું શરૂ કર્યું, જે આજ દિન સુધી મેં ચાલુ રાખ્યું છે, મારો ખાદી માટેનો આગ્રહ એટલો વધ્યો કે મેં મારા અંતઃવસ્ત્રો પણ ખાદીમાં સીવવાના શરૂ કરી દીધાં.”
‘કુમુદબેનનાં સ્મરણો એટલે સંપતરાવ કોલોનીમાં બેઠેલા, ખાદીની રેશમી સાડી અને બાંય વિનાનાં બ્લાઉઝ માં સજ્જ, ડાઈ કરેલા કાળા ભમ્મર વાળ અને ચાંદીના ઘરેણાંમાં શોભતા એક જાજરમાન સ્ત્રી.’ જ નહીં પણ માનવંતા એવા કલાકાર જીવનરસથી ભરપૂર અને આનંદી છતાંય નિર્ભય, પોતાના શબ્દો અને મત પ્રત્યે ખૂબજ સભાન એવી આ હસ્તી, પોતાની શરતો પ્રમાણે જીવન જીવી હતી.
વાતો માણી આનંદ
LikeLike
તેમના વિશે તો આજે જ ખબર પડી. હવે એમનો પરિચય બનાવી આપો તો આભારી થઈશ.
LikeLike