પ્રથમ પેઢી (ગાંધીજી ૧૮૮૭ માં મેટ્રીક પાસ થયા)
આ વાત મારા દાદા રાવસાહેબ મહાશંકરે મને ૧૯૪૨ ની ક્રાંતિના સમયે ગર્વ સાથે કહી હતી. હું એમને બાપુજી કહેતો. ૧૮૮૭ માં ગાંધીજી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રીક પાસ થયા, ત્યારે બાપુજી રાજકોટના તાર માસ્ટર હતા. ત્યારે મેટ્રીકના પરિણામ મુંબઈ યુનિવર્સિટી તાર દ્વારા મોકલતી. આ સમાચાર દાદાજીએ હાથો હાથ મોહનદાસને આશીર્વાદ સાથે આપેલા. ત્યારે કોઈને ક્યાં ખબર હતી કે આ મોહનદાસ વિશ્વનો શાંતિ દૂત અને દેશનો રાષ્ટ્રપિતા થશે?
બીજી પેઢી (૧૯૧૯ માં ગાંધીજીનો સ્કેચ બનાવ્યો)
ઓકટોબર ૧૯૧૯ માં મારા બાપુ કલાગુરૂ રવિશંકર રાવળે (મિત્રો અને શિષ્યગણના રવિભાઈ, ચિત્રકાર ર. મ. રા) ગાંધીજીની તસ્વીર બનાવી. આ તસ્વીર કેમ બની તેનો સચિત્ર અહેવાલ “ગુજરાતમાં કલાના પગરણ”માં આપેલો છે, જે હું અહીં સાભાર ટાંકું છું.
“ગાંધીજીનો સ્કેચ કરવાનો અવસર એ તો મારા જીવનનો લહાવો હતો. હું અને સ્વામી આનંદ ઘોડાગાડીમાં આશ્રમ પહોંચ્યા. ત્યાં નરહરિભાઈ પરીખ મળ્યા. સ્વામી આનંદે કહ્યું, ‘સ્કેચ માટે ખેંચી લાવ્યો છું.’ તેમણે કહ્યું કે જાઓ, અંદર બાપુ મહાદેવભાઈ દેસાઈને કૈંક લખાવી રહ્યા છે. સ્વામી મને અંદર લઈ ગયા અને બાપુને કહ્યું કે રવિશંકર રાવળને સ્કેચ માટે લાવ્યો છું. મેં ખૂબ ભાવથી વંદન કર્યું, ત્યાં તે બોલ્યા,’આવો રવિશંકરભાઈ, તમારા વિષે મેં ઘણું સાંભળ્યું છે. પણ જુઓ, હું તમારા માટે ખાસ બેઠક નહીં આપી શકું. મારૂં કામ ચાલુ રહેશે. તમે તમારો લાગ શોધી લેજો.’ “
“મને મનમાં તો ધ્રુજારી છૂટી કે આવા મહાપુરૂષનો આબેહૂબ ખ્યાલ પકડવા આવી સ્થિતિમાં કેમ હાથ ચાલશે? છતાં હિંમત કરી એક ખૂણે બેસી ગયો, અને ગાંધીજીની આખી બેઠકનું ચિત્ર પેન્સીલથી કર્યું. તેઓ એક પગ વાળીને ખાટલા પર બેઠા હતા. તેના પર લખવાના કાગળોની પાટી હતી, ને બીજો પગ નીચે ચાખડીમાં ભરાવી રાખ્યો હ્તો. ચિત્ર પૂરૂં થયું ત્યારે હું ઊઠ્યો કે તરત તે બોલ્યા, ‘બસ, તમારૂં કામ થઈ રહ્યું હોય તો જાઓ.’ મહાદેવભાઈએ તિરછી નજરે ચિત્ર જોઈ મલકી લીધું. બહાર નરહરિભાઈ કહે ‘તમને તક મળી એટલી લહાણ માનો. સહી–બહી મળવાની આશા તો શાની હોય? પણ એ ચિત્ર ‘વિસમી સદી’ માં કવિ નહાનાલાલના કાવ્ય ગુજરાતનો તપસ્વી સાથે પાનું ભરીને છપાયું.
મહાપુરુષ સાથે તેમના સામીપ્ય અને સાનિધ્યમાં રહેવાનો મોકો પણ ભાગ્યશાળી માણસને જ મળે.
LikeLiked by 1 person
My dear Kanukaka’s recollection of the blessings of bygone era are indeed very memorable and of utmost appreciation…..how fortunate are we to be part of this heritage🙏🏼
LikeLiked by 1 person
વાહ , પિતાની આંગળી પકડીને ભૂતકાળમાં કનકભાઈ ને મહાન આત્મા ગાંધીજીની માથે ટપલી સાથે આશીર્વાદ લેવાનું ભાગ્ય પ્રાપ્ત થયું એનું યાદગાર સ્મરણ ૮૯ વર્ષની હાલની પાકટ ઉંમરે પણ કનકભાઈને જરૂર ઉત્સાહિત કરે એ સ્વાભાવિક છે.ગાંધીજી સાથેનો ત્રણ પેઢીનો કેવો યાદગાર નાતો કહેવાય !
LikeLiked by 1 person
‘ મહાત્મા ગાંધીજી સાથેનો ત્રણ પેઢીનો કેવો યાદગાર નાતો
ધન્ય ધન્ય
‘કળાને જિહવાની જરૂર નથી’
સાચુ
LikeLike
proud of Kanak bhai reading all these 3 incidents with bapu- you- father and grand father are lucky.
i remember saying my mama- who was in railway and i was small (1943 born) – so don’t remember 1 or 2 yea old–when Bapu was passing by train -at Ratlam station- mama says he spread his loving hand on my head. Remembering this incident it electrifies me even today.
LikeLike