(પાંડવોમાં સહદેવ ત્રિકાળજ્ઞાની હતો, પણ એને એક શ્રાપ હતો કે કોઈ પૂછે નહીં ત્યાં સુધી એ ભવિષ્યની વાત કોઈને કહી શકે નહીં. એને જુગારમાં હાર અને મહાભારતના યુધ્ધની અગાઉથી જાણ હતી, પણ કોઈ પૂછતું ન હતું, એટલે એ એકલો દુખી થયો હતો. સહદેવની આ વ્યથા કવિ કાન્તે એમના સુવિખ્યાત ખંડકાવ્ય “અતિજ્ઞાન” માં બહુ સુંદર રીતે રજૂ કરી છે.
ખંડકાવ્યો’ એ માત્ર કથાકાવ્યો નથી, એ પ્રસંગકાવ્ય માત્ર નથી. એમાં ટૂંકીવાર્તા જેવો તીવ્રગતિબોધ છે, સંઘર્ષ અને અંતની અસરકારક ચોટ છે. પાત્રવિકાસ, પ્રસંગની જમાવટ અને ટૂંકા ફલકમાંય વિસ્તરતો વ્યાપ, ભાવોના પલટાઓ, ઊર્મિપ્રાબલ્ય અને પદ્યબંધની મર્યાદાઓને સાથે એક વિશિષ્ટ લયાત્મક અનુભૂતિ આ સાહિત્યસ્વરૂપમાં છે. – સંપાદક)
ગુજરાતી ભાષાનું ‘અમર’ ખંડકાવ્ય !
મજાની વાત એ છે કે આવું પ્રશિષ્ટ અને પ્રૌઢ કાવ્ય કાન્તે ૨૧ વર્ષની યુવાન વયે સર્જ્યું હતું કવિ પણ એ પિડા ને સાક્ષાત અનુભવે છે ત્યારે આવી ઉત્તમ રચના પેદા થાય છે.
પ્રસંગ નવો નથી પણ સહ્દેવ ની મનઃ સ્થિતી કેટલી અંભીજ્ઞ છે.સહદેવનું અતિજ્ઞાન જ ઍના દુઃખનું કારણ થયું. કવિ કાન્તનું ન ભૂલાય ઍવું ઉત્તમ હૃદયદ્રાવક ખંડકાવ્ય. નો છંદોલય પણ એવો જ આહ્લાદક છે આપણા પુરાણો તથા ધાર્મિક ગ્રંથોમાં ઘણા દ્ર્ષ્ટાંતોના ગર્ભિત અર્થો હોય છે. જેમકે દિકરાઓથી થતી ભૂલોના પરીણામો જાણવા છતાં વડિલો તેમને વારી નથી શકતા કારણકે નવી પેઢીને માબાપની સલાહ સાંભળવી ગમતી નથી. ત્યારે તેઓની હાલત સહદેવ જેવી થાય છે.
જાણે બધું તથાપિ કૈં કહેવાની રજા નહીં,
શમાવી ન શકે તેથી મૂંઝાય મનની મહીં.
ધન્યવાદ મા દાવડાજીનો
શાળાના અભ્યાસક્રમમાં ભણેલ આ કાવ્યને આધારે ” ખંડ કાવ્યના લક્ષણો”ની ટૂંક્નોંધ અને
સહદેવનું મનોમંથન દર્શાવતી આ પંક્તિ( “હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મૌન ધરી રહું
આવતું વાદળું દેખી મુખથી ન કશું કહું”)નો વિચાર વિસ્તાર કરવાનું ગુજરાતીની પરીક્ષામાં અચૂક પુછાતું.
અહીં આપનું ‘ ખંડ કાવ્ય એ શું છે’? તેનું લાઘવતાપુર્ણ ને સચોટ વિષ્લેણ જોતા આ કાવ્ય જિયારે શિક્ષક શીખવતાત્યારે વર્ગખંડનો જે માહોલ જામતો તે ફરી માણ્યો.
આભાર,સાહેબ.
LikeLiked by 1 person
ગુજરાતી ભાષાનું ‘અમર’ ખંડકાવ્ય !
મજાની વાત એ છે કે આવું પ્રશિષ્ટ અને પ્રૌઢ કાવ્ય કાન્તે ૨૧ વર્ષની યુવાન વયે સર્જ્યું હતું કવિ પણ એ પિડા ને સાક્ષાત અનુભવે છે ત્યારે આવી ઉત્તમ રચના પેદા થાય છે.
પ્રસંગ નવો નથી પણ સહ્દેવ ની મનઃ સ્થિતી કેટલી અંભીજ્ઞ છે.સહદેવનું અતિજ્ઞાન જ ઍના દુઃખનું કારણ થયું. કવિ કાન્તનું ન ભૂલાય ઍવું ઉત્તમ હૃદયદ્રાવક ખંડકાવ્ય. નો છંદોલય પણ એવો જ આહ્લાદક છે આપણા પુરાણો તથા ધાર્મિક ગ્રંથોમાં ઘણા દ્ર્ષ્ટાંતોના ગર્ભિત અર્થો હોય છે. જેમકે દિકરાઓથી થતી ભૂલોના પરીણામો જાણવા છતાં વડિલો તેમને વારી નથી શકતા કારણકે નવી પેઢીને માબાપની સલાહ સાંભળવી ગમતી નથી. ત્યારે તેઓની હાલત સહદેવ જેવી થાય છે.
જાણે બધું તથાપિ કૈં કહેવાની રજા નહીં,
શમાવી ન શકે તેથી મૂંઝાય મનની મહીં.
ધન્યવાદ મા દાવડાજીનો
LikeLike
જાણે જે બહું
કહી ના શકે ત્યારે;
મુઝાય મહીં!
(સૂઈ ના શકે!)
(ખાઈ ના શકે!)
‘ચમન’
Chiman Patel ‘chaman’
LikeLike