(કાવ્ય અનેક ભાગમાં વહેંચાયલું છે. પ્રથમ ભાગમાં રમ્ય પ્રકૃતિ વચ્ચે પક્ષીઓની પ્રણયક્રીડા. ત્યાર બાદ સંધ્યા સુધી આસપાસના વાતાવરણનું વર્ણન, ત્રીજા ભાગમાં સંસ્મરણો, ચોથા ભાગમાં આવેગવાળું વલણ, પાંચમાં ભાગમાં અવકાશમાં ચડતું મિથુન, છઠ્ઠા ભાગમાં ચક્રવાકીનો ચિત્કાર અને યુગલ વચ્ચે સંવાદ અને છેવટે સંદેશ. નિરાશામાંથી આશા તરફનો નિર્દેશ. કાવ્યના અંતમાં સુર્યપ્રકાશને ઝંખતું પક્ષીયુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઊડે છે. સૂર્યાસ્ત થતાં છેવટે પક્ષીયુગલ આંખ મીંચીને એકસાથે મૃત્યુની ખીણમાં ઝંપલાવે છે; પરંતુ અચાનક જ તેમને કોઈ દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. તેમને સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય દેખાય છે. કવિ કહે છે, “કયહીં અચેતન એક દીસે નહીં !” આ પંક્તિ સમગ્ર કાવ્યનો અર્થ બદલી નાખે છે. કાવ્યને સમજવા માટે એકાગ્રતા જરૂરી છે. )
ચક્રવાક મિથુન (કાન્ત)
પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજનીઃ
ન જણાય, જશે કેવી સંધ્યા એ મધ્ય આજની !
સરિતનાં જલ કૃષ્ણ જરા થયાં,
કિરણ સૂર્ય તણાં શિખરે ગયાં;
સભય નાથ પ્રિયા હ્રદયે ધરે,
વિરહ સંભવ આકુલતા કરે !
ઝાંખાં ભૂરાં ગિરિ ઉપરનાં એકથી એક શૃંગ,
વર્ષાકાલે જલધિજલના હોય જાણે તરંગ !
પાસે સામે તમ પ્રસરતાં એક ઉદ્દગ્રીવ જોય,
ભીરુ શ્યામા પણ નયનમાં આવતું અશ્રુ લ્હોય.
વિહગયુગ્મ કિશોર રસજ્ઞ એ,
રસ મહીં જ પરસ્પર મગ્ન એ,
નિભૃત અત્ર અહર્નિશ આવતું,
રમણ આચરવા મન ભાવતું !
ઊંચે બેસી રવિઉદયને જેહ સાથે વિલોકે,
ઘેલાં જેવાં ક્ષણ સ્મૃતિ થતાં જે દીસે હર્ષશોકે;
ઘાટાં ભીનાં વિપટ પર એ ત્યાં નિહાળે સુવર્ણ,
માણિક્યોથી ગ્રથિત સરખાં રમ્ય જ્યાં થાય પર્ણ.
હરિત નીલ સુદૂર વનસ્થલી-
પર મળી સુકુમાર મૃગો રમે;
ઉપવનો તણી સંવૃત આવલી-
મહિં જવા પ્રણયી તરુણો ભમે !
નાનાં નાનાં ક્યહિં શુચિ સરો, કચ્છ ઉત્તાન રમ્ય,
સ્નેહે જોવા થકી ઉપજતી ભાવના કૈં અગમ્ય !
આઘું આઘું મુદિત રવનું ચિત્ર સંગીત થાય,
શાનો ક્યાંથી કંઈ નિસરતો મિષ્ટ આમોદ વાય !
અસર સુંદર અદ્દભુત રંગની,
સકલ સૃષ્ટિ નવિન ખરે બની;
રવિમરીચિ બધે હિમને હરે,
ગહનમાં તદનંતર ઊતરે.
શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી છુપાતી,
શોધી કાઢે દયિત નયનો, જોઈને હ્રષ્ટ થાતી;
ચંચૂ ચંચૂ મહિં લઈ પછી પક્ષને પક્ષમાં લે,
ક્રીડા એવી કંઈ કંઈ કરે મૌગ્ધ્યમાં દંપતી તે.
સુયુત બે ચરણો થકી ઊડતાં,
પવનથી પડતાં, કંઈ બૂડતાં;
વિમુખ એકલી ન્હાતી પ્રિયા શિરે,
પતિ જઈ અભિષેક કદી કરે !
કાંઠે બેસી નજર કરતાં આત્મછાયા જણાય,
બીજાંની ત્યાં પ્રતિકૃતિ ભણી એક દષ્ટિ તણાય.
પૂરાં અંગો નહિ કંઈ દીસે, પ્રેમ તો તોય વાધે,
જોતાં જોતાં મુખ અવરનું ગાઢ આશ્લેષ સાધે !
પ્રણયની પણ તૃપ્તિ થતી નથી;
પ્રણયની અભિલાષ જતી નથીઃ
સમયનું લવ ભાન રહે નહીં:
અવધિ અંકુશ સ્નેહ સહે નહીં !
હાવાં રક્ત દ્યુતિ ઊડી જતાં થાય વૃક્ષો સરોષ,
હાવાં થંડી મૃદુ વહનથી સૂચવે છે પ્રદોષ
આકાશે જ્યાં હતી વિચરતી દેવતાઓ ત્યહીંથી,
જાગ્યાં પ્રેમી વિરલ સુખની મોહનિદ્રા મહીંથી,
વિરહ સંભવને વિસર્યા હતાં,
બની નિરંકુશ બેય ફર્યા હતાં;
જવનિકા ત્રુટતાં સ્મૃતિનાશની,
નિકટ મૂર્તિ ઊભી વિધિપાશની !
અનુભવે ન છતાં ક્ષણ એક તે,
વિવશ, મૂઢ, નિરાશ જ છેક તે;
સહુ થનાર ક્રમે નજરે વહ્યું,
રુદન અંતરમાં ઊછરી રહ્યું !
અંધારનાં પ્રલયજલથી યામિની પૂર્ણ ઘોર,
સ્વેચ્છાના વા કુટિલ કૃતિના મંદ્ર અવ્યક્ત શોર,
ઊંડાણોમાં પડી સૂઈ જતો નિષ્ડુરપ્રાણ કાલ:
આભાસોથી થતું યુગલ ઉન્મત્ત એ સ્નેહબાલ !
થઈ તથાપિ વિમુક્ત પ્રયાસથી,
લઈ વિદાય નદીતટ પાસથી;
મિથુન એહ ચડે અવકાશમાં,
સ્થિતિ કરે દીનતેજ સકાશમાં.
અવર કાંઈ હવે નથી દેખતાં:
અવર કાંઈ હવે નથી લેખતાં:
ચપલ, આખરની, ક્ષણ એ છતાં,
ઊભય જીવન એક થતાં દીસે !
ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સુર્ય જેમ,
ઊડી બંને ગ્રહણ કરતાં ઉન્નત સ્થાન તેમ;
દષ્ટિ પ્રેરે વિતત ગગને, કાંતિ કૈં ના જણાય,
આછી આછી રસ રહીત ત્યાં વાદળીઓ તણાય.
ઉદધિને રવિબિંબ હવે અડે,
અતિ સમુચ્છિ્ત તેય હવે ચડે,
ક્ષણ લગી પરિરંભ કરી રહે,
હ્રદય કંપિત સાથ ધરી રહે !
રોમે રોમે વિરહભયની વેદનાથી હવે બળે છે,
છૂટી છૂટી, સહન ન થતાં, મત્ત પાછાં મળે છે;
વેળાં થાતાં વિધિદમનની ગાત્ર ખંચાય સામાં,
પ્રેમી બંને ધૃતિ અતિ છતાં થાય સંમૂઢ આમાં.
ટળવળે નીરખી રચના વને,
તરફડે સમજી રચનારને:
શ્વસન દુઃખિત છેવટે સારતી,
પ્રિયતમા વચ આજ ઉચારતી :-
“પાષાણોમાં નહિં નહિં હવે આપણે, નાથ, રહેવું:
શાને આવું, નહિં નહિં જ રે ! આપણે, નાથ, સ્હેવું !
ચાલો એવા સ્થલ મહિં, વસે સૂર્ય જેમાં સદૈવ,
આનાથી કૈં અધિક હ્રદયે આર્દ્ર જ્યાં હોય દૈવ !”
પ્રવદતાં અટકી ગઈ એ નહીં,
અધિક ધીરજ ધારી શકી નહીં;
થઈ નિરાશ હવે લલના રુવે,
મૃદુલ પિચ્છ થકી પ્રિય તે લ્હુવે !
પણ હજી દિન શેષ રહ્યો જરા,
નજર ફેરવી જોઈ બધી ધરા;
પ્રણયવીર લહી સ્થિરતા કહે,
અગર જો રુજ અંતરમાં સહે :-
હા ! શબ્દો આ સરલ સરખા મર્મને તીવ્ર ભેદે,
ગર્ભાત્માને સ્ફુરિત કરતા ધૈર્યને છેક છેદે;
“લાંબા છે જ્યાં દિન પ્રિય સખી ! રાત્રિએ દીર્ઘ તેવી,
ભાષાનું અનુપમ સૌંદર્ય અને સૌષ્ઠવ એમાં સિદ્ધ થયું છે જેના દૃષ્ટાંતરૂપે ‘ચક્રવાક મિથુન’ મૂકી શકાય. પ્રકૃતિ, પ્રણય, પ્રભુનિષ્ઠા જેવા સનાતન કાવ્યવિષયો તેઓ નૂતન વાણીમાં નિરૂપી પોતીકી મુદ્રા અંકિત કરે છે
.
આવા કાવ્યોની આનુપૂર્તી અને ઉપદ્ધતિ જરુરી છે .ચક્રવાક મિથુન’ વિદ્રોન સાક્ષરેની ટીકા સાથે સુફીવાદની ચર્ચા કરી છે. કવિતા આજના સમયમાં પણ એટલી પ્રસ્તુત છે. તેમના કાવ્યોમાં જે ભાવના વ્યક્ત થઈ છે તેના પરથી અનુભવાય છે કે સર્જન પ્રત્યે તેઓની સમજ કેળવાએલી છે.
.
આ અંગે મા દાવડાજી એ ‘કાવ્યને સમજવા માટે એકાગ્રતા જરૂરી છે. ‘ વાત તરફ ધ્યાન દોરવા બદલ આભાર
ભાષાનું અનુપમ સૌંદર્ય અને સૌષ્ઠવ એમાં સિદ્ધ થયું છે જેના દૃષ્ટાંતરૂપે ‘ચક્રવાક મિથુન’ મૂકી શકાય. પ્રકૃતિ, પ્રણય, પ્રભુનિષ્ઠા જેવા સનાતન કાવ્યવિષયો તેઓ નૂતન વાણીમાં નિરૂપી પોતીકી મુદ્રા અંકિત કરે છે
.
આવા કાવ્યોની આનુપૂર્તી અને ઉપદ્ધતિ જરુરી છે .ચક્રવાક મિથુન’ વિદ્રોન સાક્ષરેની ટીકા સાથે સુફીવાદની ચર્ચા કરી છે. કવિતા આજના સમયમાં પણ એટલી પ્રસ્તુત છે. તેમના કાવ્યોમાં જે ભાવના વ્યક્ત થઈ છે તેના પરથી અનુભવાય છે કે સર્જન પ્રત્યે તેઓની સમજ કેળવાએલી છે.
.
આ અંગે મા દાવડાજી એ ‘કાવ્યને સમજવા માટે એકાગ્રતા જરૂરી છે. ‘ વાત તરફ ધ્યાન દોરવા બદલ આભાર
LikeLike