( આ ખંડકાવ્યમાં કવિ બોટાદકરે એક ખૂબ જ મહત્વની વાત કહી છે. તમે જો કોઈનું બુરૂં ઇચ્છો તો એ વ્યક્તિ પણ તમારૂં બુરૂં જ ઇચ્છશે. ભલે આ ક્રીયા-પ્રતિક્રીયા મનમાં ચાલતી હોય. આ ખંડકાવ્યમાં એક વાર્તાને સરસ લીધે વણી લેવામાં આવી છે.)
ચંદન
(શિખરિણી)
સભામાં શ્રીમંતો, અમીર, ઉમરાવો, અનુચરો
અને આવે બીજા, બહુ નગરના યોગ્ય પુરૂષો;
મને પ્રીતિ નિત્યે, સહુ જન પરે પૂર્ણ પ્રકટે,
પિતા પેઠે મારું, હૃદય થઈને વત્સલ રહે.
પરંતુ જે પેલો, વણિક અહીં આવે સહુ વિષે,
અરે એને જોતાં, અધિક ઉરમાં ક્રોધ ઉપજે.
ન તે વૈરી મારો, અવિનય લગાર નવ કરે,
બગાડે ના કાંઈ, સરોષ કદીએ વાક્ય ન વદે.
તથાપિ શા માટે, હૃદય મુજ એને નિરખીને
વડા વૈરી જેવો, સમજી હણવા તત્પર બને
વિના વાંકે એવો, મુજ હૃદયને ક્રોધ ન ઘટે
ખરે જાણું છું એ, પણ હૃદય પાછું નવ હઠે.
(શાર્દૂલવિક્રીડિત)
ભૂપાળે દિન એક મંત્રિવરને એકાંત દેખી કહી
ઊંડી અંતર કેરી વાત ઉરને જે સર્વદા બાળતી;
એનું કારણ શોધવા સચિવને તે સાથે આજ્ઞા કરી
મુંઝાણો મન મંત્રી ઉત્તર કશો આપી શક્યો ત્યાં નહિ.
(દ્રુતવિલમ્બિત)
દિન પર દિન કૈંક વહી ગયા,
સચિવ તર્ક વિતર્ક કરે સદા,
વણિક સંગ પિછાણ પછી કરી
દિન જતાં વધતી, વધતી ગઈ.
(અનુષ્ટુપ)
મોટાની પામવા મૈત્રી ઈચ્છે કો નહિ અંતરે
વિના યત્ને મળે મંત્રી, ન કોને હૃદયે ગમે?
એકદા મંત્રી ચાહીને વૈશ્યને ભવને ગયો,
વાર્તા વાણિજ્યની એની સંગાથે કરતો હતો.
(શાર્દૂલવિક્રીડિત)
દીઠો ત્યાં ઢગ એક ચંદન તણો, તે જોઈ આશ્ચર્યથી
પૂછ્યું તે ઘડી મંત્રીએ વણિકને આ શું પડ્યું છે અહીં?
“અરીસો છે દૈવી હૃદયરૂપ જોવા જગતને
છબી એમાં સાચી સકળ ઉરની સત્વર પડે
ન ચાલે વાણી કે અભિનય તણું કૈતવ કંઈ
ઠગાશે આ દૃષ્ટિ પણ ઉર ઠગાશે નહિ કદી”
-દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર
this story has become famous in Padya from this great poetry.
great psychological poetry.
અમૂલ્ય આ મફતમાં આપી દીધું આજે મને,
ઘેર બેઠાં બેઠાં ‘ચમન’ એકલો એકલો ભણે!
LikeLike
“અરીસો છે દૈવી હૃદયરૂપ જોવા જગતને
છબી એમાં સાચી સકળ ઉરની સત્વર પડે
ન ચાલે વાણી કે અભિનય તણું કૈતવ કંઈ
ઠગાશે આ દૃષ્ટિ પણ ઉર ઠગાશે નહિ કદી”
-દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર
this story has become famous in Padya from this great poetry.
great psychological poetry.
LikeLike