શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા એટલે “શેખાદમ”આબુવાલા. કવિ, નવલકથાકાર, પત્રકાર અને રેડિયો કલાકાર અને ઉદઘોષક, એ બધું એક જ માણસમાં હતું અને એ માણસ એટલે શેખાદમ.
એમ.એ. સુધી ભણેલા, ગુજરાતી, હીંદી, ઉર્દુ, અંગ્રેજી અને જર્મન ભાષાના માહેર. “વોઈસ ઓફ જર્મની” નામના ભારતના રેડિયો વિભાગમાં હીંદી-ઉર્દુ ભાષાની સર્વિસના નિયામક, ૩૦ થી ૩૫ પુસ્તકોના સર્જક, અને મુશાયરાના સરતાજ એટલે શેખાદમ. શેખાદમે ગુજરાતી સાહિત્યને માલામાલ કરી દીધું. સરળ બોલચાલની ભાષામાં લખાયલી એમની રંગદર્શી ગઝલો મને ખૂબ ગમે છે. શેખાદમની ગઝલોમાં આદમનો દમ છે (પી. કે. દાવડા)
અહીં એમની એક ગઝલ અને થોડા ખૂબ જાણીતા મુકતકો રજૂ કરું છું.
(૧)
આદમથી શેખાદમ સુધી
માનવીને આ જગત આદમથી શેખાદમ સુધી
એ જ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી…
એ જ ધરતી એ જ સાગર એ જ આકાશી કલા
એ જ રંગીલી રમત આદમથી શેખાદમ સુધી…
રૂપનું રંગીન ગૌરવ પ્રેમનો લાચાર હાલ
એ જ છે (લાગી શરત) આદમથી શેખાદમ સુધી…
મોતને શરણે થવામાં સાચવે છે રમ્યતા
જિંદગીની આવડત આદમથી શેખાદમ સુધી…
ફૂલમાં ડંખો કદી કયારેક કાંટામાં સુવાસ
લાગણીની આ રમત આદમથી શેખાદમ સુધી…
બુદ્ધિના દીપકની સામે ઘોર અંધારાં બધે
એક સત બાકી અસત આદમથી શેખાદમ સુધી…
બુદ્ધિ થાકી જાયતો લેવો સહારો પ્રેમનો
સારી છે આ બૂરી લત આદમથી શેખાદમ સુધી…
મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી
જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી…
જિંદગી પર રૂપ યૌવન પ્રેમ મસ્તી ને કલા
સૌ રહ્યા છે એક મત આદમથી શેખાદમ સુધી…
કોઈના ખોળે ઢળી કે પોઢી ઠંડક પામવા
માનવી છે યત્નરત આદમથી શેખાદમ સુધી…
રંગ બદલાતા સમયના જોઇ દિલ બોલી ઊઠ્યું
શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી…
મુક્તકો
(૧)
તમે પણ છો અતિ સુંદર અદાઓ પણ રૂપાળી છે
તમારા રૂપનો ચળકાટ આંખોની દીવાળી છે.
અમે કીધાં નથી દર્શન કેવળ સાંભળ્યું જ છે વર્ણન
અમારી આંખ કરતાં કાન કેવા ભાગ્યશાળી છે
રંગ બદલાતા સમયના જોઇ દિલ બોલી ઉઠ્યું
’શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી.
જનાબ શેખાદમ આબુવાલાની બધી જ રચનાઓ ગમે એવી છે. પણ આ રચના અદભુત છે !
.
દમકતો ને ચમકતો…
અફલાતુન શેર
એમા ચમત્કૃતિ પણ છે અને ડંખ પણ છે. બધા જેને પ્રેમના પ્રતિક તરીકે ઓળખે છે એ તો ખરેખર તો પૈસાના જોરનું પ્રતિક છે. આપણે બધા જાણીએ છીએ કે પ્રેમને દેખાડા સાથે સાપ ને નોળીયા જેવો સંબંધ છે છતાં કોણ જાણે કેમ તાજમહાલને આપણે પ્રેમના પ્રતિક તરીક સ્વીકારી લીધો છે?
.
અમને નાખો જિંદગીની આગમાં…
ખૂબ સ રસ
જ્યારે જ્યારે હતાશા ઘેરી વળે છે ત્યારે આ મુક્તક અચૂક રસ્તો બતાવે છે. મોતને પણ લાગમા લેવાની કવિની ખુમારી !
આ દેશને માટે હિંસા….
શેખાદમની મૂળ પ્રકૃતિ મસ્તીની. રમતિયાળ રીતે બહુ મોટી વાત કરી દેવાની આવડત એને કેવી સિદ્ધહસ્ત હતી એનો આ મુક્તક આબાદ નમૂનો છે.
.
પરંપરાના શાયરોમાં કંઈક એવી વાત હતી જે કારણોસર એમની કૃતિઓ સમયાતીત બની રહી છે… જ્યારે પણ મમળાવીએ, મજા જ આવે.
LikeLike
આંગણામાં ભાવતું ભોજન મળી ગયું! …..વાંચવાની ખુબ મઝા આવી,
LikeLike