‘ભજનયાત્રા’
‘યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી’. નર્મદના આ શબ્દો લૉક ડાઉન :4ના છેલ્લા દિવસે; કહો કે અનલૉક :1ના પહેલા દિવસે ફરીથી યાદ કરું છું. વિશ્વકોશ થકી સાહિત્યસંગીત વહેંચવાનો આનંદ આવ્યો.
આજે ભજનયાત્રા માણો.નરસિંહ મહેતા, દયારામ, ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, ઉશનસ્, મકરન્દ દવે ને સુંદરમ્ ની રચનાઓ જેમાં પરમ ભાવ કે લયનું સામ્ય હોય કે સૂફી મિજાજ હોય અને જે સરખી વેનની રચનાઓ મને લાગી તે એક કાર્યક્રમમાં મેં એક સાથે ગાયેલી તે આજે પ્રસ્તુત છે-
‘યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી’. નર્મદના આ શબ્દો લૉક ડાઉન :4ના છેલ્લા દિવસે; કહો કે અનલૉક :1ના પહેલા દિવસે ફરીથી યાદ કરું છું. વિશ્વકોશ થકી સાહિત્યસંગીત વહેંચવાનો આનંદ આવ્યો.
આજે ભજનયાત્રા માણો.નરસિંહ મહેતા, દયારામ, ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, ઉશનસ્, મકરન્દ દવે ને સુંદરમ્ ની રચનાઓ જેમાં પરમ ભાવ કે લયનું સામ્ય હોય કે સૂફી મિજાજ હોય અને જે સરખી વેનની રચનાઓ મને લાગી તે એક કાર્યક્રમમાં મેં એક સાથે ગાયેલી તે આજે પ્રસ્તુત છે-
ભજનયાત્રા:પ્રથમ પંક્તિના શબ્દો:
નરસિંહ મહેતા
ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહીં રે
દયારામ:
નિશ્ચેના મ્હેલમાં વસે મારો વાલમો, વસે વ્રજલાડીલો રે
ઉમાશંકર જોશી:
સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી
નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી
રાજેન્દ્ર શાહ:
ખાટી રે આંબલીથી કાયા રે મંજાણી
એને તેજને કિનારે એણે આણી રે
ઉશનસ્:
એ જી.. અષાઢે તણખલું ના તોડીએ જી…
મકરન્દ દવે:
કોઈ ઘટમાં ગહેકે ઘેરૂં
બાવાજી મુંને ચડે સમંદર લ્હેરું
સુંદરમ્:
બાંધ ગઠરિયાં મૈં તો ચલી
સ્વરાન્કન: પ્રસ્તુતિ: અમર ભટ્ટ
પછી થોડો વિરામ રાખીશું?
એ પછી કૈંક નવી વાત સાથે પાછો ઉપસ્થિત થઈશ.
આમ પણ ઘાયલસાહેબનો શેર છે-
‘આગળ જતાં એ રંગ અનોખો જ લાવશે
‘ઘાયલ’ ગઝલના આ તો હજી શ્રીગણેશ છે.’
અમર ભટ્ટ
(ટેકનિકલ મદદ માટે ઋષભ કાપડિયાનો આભાર માનું તો એને નહીં ગમે.)
Attachments area
બંધ આંખે માણી મા.અમર ભટ્ટની ભજનયાત્રા
LikeLike
NICE BHEL TEST. ENJOYED LIKE BOMBAY BHEL HOUSE.
LikeLike