અંતરની ઓળખ – (૧૫) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ


આજે મારી ડાયરીનાં પાનામાંથી નીચેનો પ્રસંગ મને મળ્યો, જે મને મારા મિત્રએ  વર્ષો પહેલાં કહ્યો હતો એને અહીં મૂકી રહી છું.

જૈન ધર્મના આચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજશ્રીને આ પ્રશ્ન પૂછવામાં આવ્યોઃ “મહારાજ, સહુ પોતપોતાનું નસીબ લઈને જ જ્યારે આ જગતમાં આવ્યાં છે ત્યારે દાન દ્વારા એને સ્વસ્થ બનાવવાનો કે સુખી કરવાનો પ્રયત્ન કરવો એ એક જાતની આત્મવંચના નથી?”

મહારાજશ્રી એનો ઉત્તર આપતા કહે છે કે; “વસંતઋતુમાં વૃક્ષ જ્યારે ફળ-ફૂલ-પર્ણથી લચી પડે છે ત્યારે પોતાનો વૈભવ એ જગત માટે ખુલ્લો મૂકી દે છે. નદી જ્યારે પાણીથી છલોછલ બને છે ત્યારે બે કાંઠે વહેતી વહેતી અનેક જીવોની એ પ્યાસ છીપાવે છે. ધુમ્મસ આડે આવતું નથી તો સૂર્ય પોતાનાં કિરણોને ધરતી સુધી પહોંચાડવામાં કોઈ જ કચાશ રાખતો નથી. વાદળ જ્યારે પાણીથી લથબથ થઈ જાય છે ત્યારે ધરતી પર વરસવામાં એ પાછી પાની કરતું નથી. કાપી નાખો, ઘસી નાખો, છોલી નાખો, ચંદન પોતાની સુવાસ પ્રસરાવ્યા વિના રહેતું નથી. છોડ પર ગુલાબનું પુષ્પ પેદા થાય છે અને એ પોતાની સુવાસ ફેલાવ્યા વિના રહેતું નથી.

ટૂંકમાં, કુદરતમાં ક્યાંય ભોગવટો નથી કે ક્યાંય સંગ્રહ નથી. કદાચ એ જગત પાસેથી લે છે કણ જેટલું, પણ એની સામે આપે છે મણ જેટલું. કુદરતની મહેરબાનીથી આપણે જીવીએ છીએ, છતાં કુદરતનો આ દાનગુણ આપણી નજરમાં કેમ આવતો નથી? પળ બે પળ માટે કલ્પના કરી જુઓ, સૂરજે આ કિરણોને પોતાની પાસે જ રાખી લીધા હોત તો? વૃક્ષે પોતાના ફળ-ફૂલોનો વૈભવ પોતાના માટે જ અનામત રાખ્યો હોત તો? નદીએ પોતાનું પાણી પોતના માટે જ સંગ્રહિત કરી રાખ્યું હોત તો? વાદળે વરસવાને બદલે વિખરાઈ જવાનું જ પસંદ કર્યું હોત તો? ચંદન અને ગુલાબ, એ બંનેએ, પોતાની સુવાસને પોતામાં જ સિમીત કરીને પોતામાં જ સલામત રાખી હોત તો?

દાન એ સ્વાભાવિક કુદરતી ક્રિયા છે. સંગ્રહ એ બિલકુલ કુદરતથી વિપરીત ગુણ છે. આપણું આ જગતમાં આવવું એ આકસ્મિક નથી પણ એક ચોક્કસ કારણથી જગતમાં આપણું પ્રદાન અને દાન કરવા જ મોકલવામાં આવ્યા છીએ. આપણે આટલું સદૈવ યાદ રાખવાનું છે કે હાથની મૂઠ્ઠી જ્યારે ખુલ્લી હોય છે ત્યારે જ આખી દુનિયાની હવા આપાણા હાથ પર હોય છે.”

 

3 thoughts on “અંતરની ઓળખ – (૧૫) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

  1. ‘દાન એ સ્વાભાવિક કુદરતી ક્રિયા છે. …જગતમાં આવવું એ આકસ્મિક નથી પણ એક ચોક્કસ કારણથી જગતમાં આપણું પ્રદાન અને દાન કરવા જ મોકલવામાં આવ્યા છીએ.’
    ધન્ય ધન્ય
    પ પૂ જૈન ધર્મના આચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજશ્રીને સાદર પ્રણામ

    Liked by 2 people

  2. આપણે અસ્તિત્વ માટે ઘણાંને જવાબદાર ગણીએ છીએ, પણ કુદરત બે ચાર પળ માટે પાંચ તત્વોને અટકાવી દે તો શું થાય? અંત…વિચાર કરવા પ્રેરે તેવો લેખ…સરયૂ

    Liked by 1 person

  3. વિચાર પ્રેરક લેખ ,દાન એક કુદરતની જેમ સહજ પ્રક્રિયા થવી જોઇએ ,આપણું આ જગતમાં આવવું એ આકસ્મિક નથી પણ એક ચોક્કસ કારણથી જગતમાં આપણું પ્રદાન અને દાન કરવા જ મોકલવામાં આવ્યા છીએ. આપણે આટલું સદૈવ યાદ રાખવાનું છે.સરસ

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s