All posts by lilochhamtahuko

મારી કલમ, મારા વિચાર – ૧૨ (પરભુભાઈ મિસ્ત્રી)

દેશી માદળિયાં જેવી પ્લસીબો પિલ્સ!

એકવાર સિનિયર સિટિઝન ક્લબના ઉપક્રમે શહેરના વિવિધક્ષેત્રના ત્રણ ડોકટરોને પ્રવચન કરવાનું આમંત્રણ અપાયું. હૃદયના અને સાંધાના બે તજ્જ્ઞો ઉપરાંત એક મનોચિકિત્સકે પણ પ્રૌઢોને ઉચિત માર્ગદર્શન આપ્યું હતું. Continue reading મારી કલમ, મારા વિચાર – ૧૨ (પરભુભાઈ મિસ્ત્રી)

જિગીશા પટેલની કલમ – ૧૧

માનસિકતા નથી બદલાઈ

બાર વર્ષની નીમુ તેના ભાઈની ચડ્ડી ને ટીશર્ટ પહેરીને તેના ભાઈઅને તેના મિત્રો સાથે ક્રિકેટ રમતી હતી.તેનો ભાઈ તેનાથી દોઢ વર્ષ જ મોટો હતો.નીમુ ગોરીચીટ્ટી,ગોળમટોળ ,એકદમ ચાલાક અને ટોમબોય જેવી હતી.તેને બધી છોકરાઓની રમત રમવી ગમતી.તે બધી રમતમાં છોકરાઓને હરાવી દેતી. તે ક્રિકેટ રમતી હતી અને બધા છોકરાઓ એકદમ ગભરાઈ ગયા કારણ નીમુની ચડ્ડી લોહીવાળી થઈ હતી. કોઈને કંઈ સમજ નહતી.નીમુ ને થયું કે કંઈ વાગ્યું નથીને આ લોહી ક્યાંથી આવ્યું ?તે બેટ ફેંકી ને દોડતી મા પાસે ઘરમાં ગઈ.તેને જોઈ મા બધું તરતજ સમજી ગઈ.મા મનમાં જ બબડી “હજુ તો નીમુને બાર જ વર્ષ થયા છે આ………થોડું વહેલું નથી?”મા એ નીમુને કપડાં બદલાવ્યા અને ઘરમાં એકબાજુ બેસાડી દીધી.એટલામાં જ નીમુના દાદી સેવામાંથી બહાર આવ્યા.તે રોજ નીમુને પ્રસાદ ને આરતી આપતા પણ નીમુ ના પીરીયડની વાતની ખબર પડતા તેમણે નીમુને આરતી તો આપી જ નહીં અને પ્રસાદ આપતા પણ નીમુને પોતાનાથી દૂર રહેવા કીધું અને પ્રસાદ  અછૂત હોય તેમ ઉપરથી હાથ અડી ન જાય તેમ આપ્યો. Continue reading જિગીશા પટેલની કલમ – ૧૧

દેવિકાની દૃષ્ટિયે – ૧૧ (દેવિકા ધ્રુવ)

‘મેળો’ કવિતા અને તેનું રસદર્શન

મેળો

મનના મેદાને આ જામ્યા છે મેળા ને મેળામાં લોક નવા આવ્યાં છે ભેળા.

સગપણના ચક્ડોળ તો હારે ને હારે,

બચપણથી ફરતાં રોજ રેશમની ગાંઠે.

વળગણ થઈ ઘૂમતાં સૌ સાથે ને માથે,

ને ગણગણતા ઉમટે જેમ સાગરકિનારે. Continue reading દેવિકાની દૃષ્ટિયે – ૧૧ (દેવિકા ધ્રુવ)

સફરની સ્મૃતિના સથવારે -૧૧ (રાજુલ કૌશિક)

કૅનેડિયન રૉકી માઉન્ટેનની અદ્‌ભુત સફર-

તળપદી ભાષામાં એવું કહેવાય છે કે પહાડ, પાણી અને પથરા બધે સરખા પણ ના, સાવ એવું ય નથી હોતું અને એટલે જ તો કુદરતની સામે આપોઆપ માનથી મસ્તક નમી જાય છે ને? Continue reading સફરની સ્મૃતિના સથવારે -૧૧ (રાજુલ કૌશિક)

ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૧૨ (સંપાદન – પી. કે. દાવડા)

 અન્ય પ્રકાર

જ્યોત્સનાબહેને સિરામિક્સના અનેક પ્રકાર સર્જ્યા છે, એ બધાને આ હારમાળામાં સમાવી લેવાનું શક્ય નથી. આજે અહીં સ્લેબ અને જાર એમ બે પ્રકાર મૂક્યા છે.

 

 

 

 

 

 

આ સિરામિકને Slab built vases નામ આપ્યું છે. હું એને સમજી શક્યો નથી, કદાચ કોઈ વાચક સમજાવી શકે. Continue reading ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૧૨ (સંપાદન – પી. કે. દાવડા)

રણને પાણીની ઝંખના – ૧૧ (પૂર્વી મોદી મલકાણ)

જીવંત યાદ ……

જીવનમાંથી આપણી પાસેથી પસાર થયેલા કેટલાક ચહેરાઓ શું ભૂલી શકાય છે? કદાચ ના…ને કદાચ હા…. કારણ કે સમય સાથે સ્મૃતિમાં રહેલાં તે ચહેરાની આકૃતિ ઝાંખી પડતી જાય છે; પણ તે ચહેરાઓનો અહેસાસ ક્યારેય દૂર જતો નથી. મારી સાથે પણ કંઈક એવું જ બનેલું. તે મોડી સવારની વાત પણ કંઈક અલગ જ હતી….. Continue reading રણને પાણીની ઝંખના – ૧૧ (પૂર્વી મોદી મલકાણ)

મારી કલમ, મારા વિચાર – ૧૧ (પરભુભાઈ મિસ્ત્રી)

દેવોનું વતન- દેવભૂમિ વિશે કિંચિત્

દેવો કાલ્પનિક છે. મનુષ્યમાં જુદા જુદા સદગુણો વિકસાવવા માટે દેવોને પ્રતીક બનાવીને તેમનું ધ્યાન. જાપ અને તે ગુણ વિકસાવવાનો સભાન પ્રયાસ કરીને દેવની પ્રસન્નતા પ્રાપ્ત કરવી એનું નામ જ ભક્તિ એમ આપણે જોયું, પણ આ તો એક જુદો મુદ્દો થયો. સમાજમાં તો એવી જ માન્યતા પ્રવર્તતી આવી છે કે દેવો અંતરિક્ષમાં વસે છે. વાયુ સ્વરૂપે કે પછી અદૃશ્ય રીતે રહે છે અને સાધકની સાધનાથી પ્રસન્ન થઈને તેની સમક્ષ હાજરાહજુર પ્રગટ થાય છે.સાધકને ઈચ્છિત વરદાન માંગવાનું કહે છે અને માંગણી રજુ થાય કે તરત જ ‘તથાસ્તુ‘ કહીને અલોપ થઈ જાય છે. કેટલાક લોકોને દુન્યવી પદાર્થોની જરૂર હોય છે તેઓ સાંસારિક માંગણીઓ રજુ કરે અને કેટલાક સાધકો લખ ચોરાસીની આવન જાવનના ત્રાસથી મુક્ત થવા મોક્ષધામ, અક્ષરધામની ઈચ્છા રાખે છે. સ્વજનોના અવસાનના સમાચાર લખતી વખતે તેઓ દેવલોક પામ્યા, વૈકુંઠવાસી કે કૈલાસવાસી થયા, કાળધર્મ પામ્યા, સ્વર્ગવાસી થયા એવું લખવાનો રિવાજ આપણે ત્યાં છે. આપણી શ્રદ્ધાને અનુરૂપ જીવાત્મા જે તે દેવની સમીપ પહોંચ્યો એમ આપણે માનીએ છીએ. એ માન્યતાને ચકાસવાની કોઈ જરૂર આપણને લાગતી નથી. માનવું હોય તે માને અને ન માનતું હોય તે નમ્રતાથી બે હાથ જોડીને શ્રદ્ધાળુની શ્રદ્ધાને વંદન કરે. નાહકનું ચોળીને ચીકણું કરનાર કે વિવાદ ઊભો કરનારનું માન રહેતું નથી. છતાં જિજ્ઞાસુઓનું મન ઠરીને બેસતું નથી. તેમની શોધ ચાલુ જ રહે છે. Continue reading મારી કલમ, મારા વિચાર – ૧૧ (પરભુભાઈ મિસ્ત્રી)

ખાલીપો (પી. કે. દાવડા)

(આ લેખ મેં સભાનપણે લખ્યો નથી. હત્તબુધ્ધિવાળી અને અર્ધજાગૃત અવસ્થામાં લખાઈ ગયો હતો. આજે પાંચ વરસ પછી પણ એમાંથી એક્પણ અક્ષર ફેરવવાની ઇચ્છા થતી નથી.) Continue reading ખાલીપો (પી. કે. દાવડા)

જિગીશા પટેલની કલમ – ૧૦

મારા બે અણમોલ રતન

એક દિવસ અમિતાબેન જાનકી ને રસ્તામાં મળ્યા તો જાનકીએ પૂછ્યું “કેમ છો ? તો કહે જેને સૂરજ ને ચંદ્ર જેવા બે અણમોલ રતન જમાઈ મળ્યા હોય તેને જીવનમાં મઝા જ મઝા હોયને?જાનકી તો તેમના નજીકના સગા અમિતાબેનનો જવાબ સાંભળી ખુશખુશ થઈ ગઈ.અમિતાબેન ના એક જમાઈનું નામ આદિત્ય ને બીજાનું શશીન.જાનકી તેના પતિને કહેવા લાગી “જમાઈની પ્રશંસા કરતા કોઈ અમિતાબેન પાસે શીખે!!!” Continue reading જિગીશા પટેલની કલમ – ૧૦

દેવિકાની દૃષ્ટિયે – ૧૦ (દેવિકા ધ્રુવ)

દેવિકા ધ્રુવનો એક કાવ્યપ્રયોગ- જુગલકિશોર વ્યાસ

હૂંફાવી ગયું કોઇ.

પાંપણ વચાળે પુરાતી પ્રેમથી, નિંદરને કાલે,

નસાડી ગયું કોઇ.

ગુમાની મનડાને ઝીણા–શા જવરથી,ધીરેથી કાલે,

હૂંફાવી ગયું કોઇ.

વિચારના આગળાને માર્યાં’તા તાળાં, સાંકળ રુદિયાની,

ખોલાવી ગયું કોઇ.

ટશરો ફૂટે ને છૂટે શરમના શેરડા, ગુલાલ ગાલે,

છંટાવી ગયું કોઇ.

દોરડી વિનાનું આ ખેંચાણ મીઠું, કાં જાણેઅજાણે,

બંધાવી ગયું કોઇ.

અંદરથી એક સખી આવીને બહાર કહે, ભીતરને ધીરે,

હલાવી ગયું કોઇ.

કહેવાય નહિ ને રહેવાય નહિ, એક ઉંચેરા ઝુલણે,

ઝુલાવી ગયું કોઇ.

ઉજાગરા વેઠીને નીરખે મન–દર્પણ, પ્રતિબિંબ નિજનું,

બતાવી ગયું કોઇ.

– દેવિકા ધ્રુવ.

*********************************

અવલોકનઃ જુગલકિશોર વ્યાસ (ઉંઝા જોડણીમાં)

દેવિકાબહેને એક સરસ પ્રયોગ આ રચનામાં કર્યો છે.

વીધાન માટે ત્રણ ત્રણ ટુકડામાં વહેંચાતી એક એક ભાવાનુભુતીને તેમણે જુના લોકગીતની શૈલીમાં રજુ કરી છે. દરેક વીધાનને એમણે બે અલ્પવીરામોના સહારે ત્રણ ટુકડામાં વહેંચીને પ્રગટ કર્યું છે. આખી રચના એક એક જ પંક્તીની છે. ગીતોમાં જોવા મળતી ‘કડી’ કે સંગીતની પરીભાષામાં કહેવાતો ‘અંતરા’ આ કાવ્યમાં જાણે એક પંક્તીનો બને છે ! એક પંક્તીને એમણે ત્રણ ટુકડા કરીને કડીરુપ બનાવી છે ! જોકે પહેલા અને બીજા ટુકડાના છેલ્લા શબ્દને એમણે પ્રાસથી જોડ્યા હોત તો દરેક પંક્તી એક કડી કે અંતરો બની શકવાને સમર્થ હતી. (આપણા આદરણીય કવી શ્રી નિરંજન ભગતસાહેબની કવીતોમાં જોવા મળતા મધ્યાનુપ્રાસો જેવો પ્રયાસ અહીં કરી શકાયો હોત તો ચાર ચાંદ લાગી જાત.)

ગઝલમાં શેર બે પંક્તીઓનો જ હોય પણ અહીં દરેક પંક્તીને અંતે કરાયેલી યોજના જાણેઅજાણે રદ્દીફ–કાફીયાનો અનુભવ કરાવે છે ! ને એટલે બીજું વીધાન, આ રચના માટે, કરવાનું મન થાય છે કે આ રચના જાણે ત્રણ ત્રણ ટુકડામાં વહેતો “એક પંક્તીનો શેર” બનાવે છે !!

વાક્યરચનાની દૃષ્ટીએ દરેક પંક્તીમાં છેલ્લે અધુરું રહેતું ‘ગયું કોઈ’ ક્રીયાપદ, નસાડી, હુંફાવી, ઝુલાવી વગેરે શબ્દો દ્વારા પુરું ક્રીયાપદ બને છે. પણ દરેકનો કર્તા ક્યારેક પહેલા તો ક્યારેક બીજા ટુકડામાં રહેલો જોવા મળે છે.

કાવ્યમાં સર્જકની અનુભુતી જે દરેક ખંડમાં દર્શાવાઈ છે તેમાં વીચારની કે ભાવની કોઈ સળંગસુત્રતા કે જરુરી ક્રમ દેખાતાં ન હોવાથી આ રચના ગીત કે ઉર્મીકાવ્ય કરતાં વધુ તો ગઝલની અસરનું લાગે છે. ગઝલના શેરોમાં મોટા ભાગે ભાવ કે વીચારનો કોઈ ક્રમ જરુરી હોતો નથી. પણ ગીત કે ઉર્મીકાવ્યમાં તો તે જરુરી ગણાય.

આ કાવ્યમાં કેટલીક કલ્પનાઓ બહુ મજાની છે. નીંદરને તેમણે પ્રેમથી પાંપણમાં પુરાઈ રહેતી કહી છે; દોરડી વીનાનું ખેંચાણ; ગુમાની મનડાને ઝીણા જવરથી મળતી હુંફ; પોતાના જ મનમાં રહેતા બીજા વ્યક્તીત્વને માટે યોજાયેલો શબ્દ ‘સખી’ વગેરે આ રચનાની વીશેષ સામગ્રી છે.

જોકે છેલ્લે “ઉજાગરા વેઠીને નીરખે મન–દર્પણ, પ્રતિબિંબ નિજનું, બતાવી ગયું કોઇ”નો અન્વય કરીએ તો મન–દર્પણને કર્તા બનાવાયો લાગે છે તે બરાબર નથી…જોકે એ કોઈ ભુલ નથી. હકીકતે “નીરખે”  શબ્દને કારણે એ ભુલ હોય તેવો અર્થ કરાવે છે. મનને જો દર્પણ કહીએ તો તે દર્પણને પોતાનું પ્રતીબીંબ પોતાનામાં શી રીતે દેખાય ?! એના બદલે નીરખેની જગ્યાએ “નીરખું” હોત તો સાર્થક બની રહેત.

એકંદરે, આ રચના એક સુંદર ને સફળ એવો નવો પ્રયોગ છે. એક જ પંક્તીમાં ત્રણ ટુકડા કરીને એક એક અનુભુતીને સફળતાપુર્વક અભીવ્યક્ત કરાઈ છે. એક જ પંક્તી એક શેર જેવી બની રહી છે અથવા ગીતની એક કડી તરીકે ઉભી રહી શકી છે !!

સમગ્ર રચનામાં છેલ્લા ટુકડામાં જે ક્રીયાપદો છે તે દરેકની વીશેષતા છે છતાં “હુંફાવી” ક્રીયાપદને તેમણે શીર્ષકમાં મુકીને બાકીનાને અન્યાય કર્યો છે ! એના કરતાં “કોઈ” એટલું જ શીર્ષક રાખ્યું હોત તો ?!

(કાવ્યની જોડણી જેમની તેમ રાખી છે.)