Category Archives: કલા વિષે લેખ

કલાની ભાષામાં પ્રતીકવાદનું નિરૂપણ (સંધ્યા બોર્ડેવેકર)

કલા જોડે હંમેશાં આપણો એક દ્રશ્યસંવાદ હોય છે, કલા એક દ્રષ્ટિવિષયક ભાષા છે. આ ભાષામાં રેખાઓ અને રંગો, છબિ અને ઘાટ, પ્રતીક અને ચિહ્નો, કથન અને પૃથક્કરણ, સમય અને વિસ્તાર જેવાં એક કે તેથી વધુ પરિમાણો વગેરે તેના મૂળાક્ષરો છે. કલાકાર આ બધી વ્યાખ્યાઓ તેની શાળામાં શીખે છે અને ખૂબ જ કુશાગ્રતાથી અને રસપ્રદ રીતે તેના આ જ્ઞાનને તેની કૃતિઓમાં ઉતારે છે. એક સામાન્ય વ્યક્તિ કલા સાથેના સતત સંવાદ, સંગ્રહાલયોની મુલાકાત, કળાકારો સાથેનો પરિચય, કલાને લગતાં પુસ્તકો, પ્રદર્શનો, કલાને સમજવા માટે થતાં અભ્યાસો દ્વારા ધીમે ધીમે કલાના વાતાવરણમાં રહી આ ભાષાથી પરિચિત થાય છે.

Continue reading કલાની ભાષામાં પ્રતીકવાદનું નિરૂપણ (સંધ્યા બોર્ડેવેકર)

જીવનરસથી છલકાતું કલાસભર વ્યક્તિત્વ (સંધ્યા બોર્ડેવેકર ગજ્જર)

કુમુદબેન પટેલ

૨૪ જુલાઈ, ૨૦૧૧, વડોદરાના માનવંતા એવા કલાકાર કુમુદબેન પટેલને પંચમહાભૂતમાં વિલીન થયે લગભગ એક વર્ષ પૂરું થયું. જીવનરસથી ભરપૂર અને આનંદી છતાંય નિર્ભય, પોતાના શબ્દો અને મત પ્રત્યે ખૂબજ સભાન એવી આ હસ્તી, પોતાની શરતો પ્રમાણે જીવન જીવી હતી. ૧૯૨૯માં ભાદરણ ગામમાં જયારે તેઓનો જન્મ થયો ત્યારે તેઓ પોતાની માતાની હથેળીમાં માંડ સમાય શકે એટલા નબળા હતા. તેમના પિતા હૈદ્રાબાદ, જે તે સમયે સિંધ(પાકિસ્તાન)નો ભાગ હતો, ત્યાનાં જમીનદાર હતા. ૧૯૪૨માં જયારે ‘હિન્દ છોડો ચળવળ’એ વેગ પકડ્યો હતો તે સમયે સરદાર પટેલની સલાહ માની તેમણે પોતાના કુટુંબને ગુજરાત મોકલી દીધા હતાં અને તેઓ વડોદરામાં સ્થાયી થયા હતાં. એક બાળસહજ ચમક તેમની આંખોમાં ઉતરી આવી અને તેઓ કહેવા લાગ્યાં, “૧૯૪૨મા ગાંધીજીની સ્વદેશીઓ માટેની હાકલને ટેકો આપવા મેં ખાદી પહેરવાનું શરૂ કર્યું, જે આજ દિન સુધી મેં ચાલુ રાખ્યું છે, મારો ખાદી માટેનો આગ્રહ એટલો વધ્યો કે મેં મારા અંતઃવસ્ત્રો પણ ખાદીમાં સીવવાના શરૂ કરી દીધાં.”

Continue reading જીવનરસથી છલકાતું કલાસભર વ્યક્તિત્વ (સંધ્યા બોર્ડેવેકર ગજ્જર)

બિહારી પોપટ (શ્રી જ્યોતિ ભટ્ટ)

(થોડા સમય પહેલા જ્યોતિભાઈ ચિકનગુનિયા વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. હજીપણ એમાંથી સંપુર્ણપણે સ્વસ્થ થયા નથી. નવા વરસના શુભેચ્છા સંદેશ સાથે શ્રી જ્યોતિભાઈએ એક અદભૂત લેખ મોકલ્યો છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા શ્રી જ્યોતિ ભટ્ટ્નો ભરપૂર સ્નેહ ૨૦૧૮ માં આંગણાંને મળ્યો છે. ૨૦૧૯ માં લલિતકળા વિભાગમાં પ્રથમ લેખ તરીકે લેખને હું શ્રી જ્યોતિ ભટ્ટના, આંગણાંને આશીર્વાદ સમાન ગણું છુંપી. કે. દાવડા)

Continue reading બિહારી પોપટ (શ્રી જ્યોતિ ભટ્ટ)

વડોદરાની ‘ફાઇન આટર્સ’ ફેકલ્ટી (સંધ્યા બોર્ડેવેકર ગજ્જર)

ફાઈન આર્ટસ ફેકલ્ટીની હવામાં જ કંઈક એવું છે જે કલાના વિદ્યાર્થીઓમાં સુષુપ્ત પ્રતિભાને ધક્કો મારીને જગાડે છે, અને તેઓને કંઈક જુદું, થોડું ઘણું બગાવતખોરીવાળું અને નવા પ્રવાહો સાથે ભળતું કંઈક કરવા માટે પ્રવૃત કરે છે. આ ફેકલ્ટીમાં શિક્ષણ લીધા પછી એ વિદ્યાર્થી વડોદરામાં જ રહીને કામ કરવાનું પસંદ કરે છે. ભારતના સમકાલીન પ્રખ્યાત કલાકારોમાંના લગભગ 70 ટકા જેટલા લોકોનો ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ સાથે એક યા બીજી રીતે કંઈક સંબંધ રહે છે.

Continue reading વડોદરાની ‘ફાઇન આટર્સ’ ફેકલ્ટી (સંધ્યા બોર્ડેવેકર ગજ્જર)

ક્લાના ક્ષેત્રમાં ભાવનગરનું યોગદાન (સંધ્યા બોર્ડેવેકર)

સમકાલીન ભારતીય કલાની દ્રષ્ટિએ, વડોદરા સૌથી આગળ પડતું સ્થળ છે, ભાવનગરના મહત્વના યોગદાનને અવગણી ન શકાય. સ્વતંત્રતા પછીના ભારતમાં આ વિસ્તારમાંથી ઘણા કલાકારો, મોટે ભાગે ચિત્રકારો, કાળક્રમે કલાની ઐતિહાસિક રેતાળ ભૂમિમાં પોતાની સ્પષ્ટ છાપ છોડી ગયા છે.

Continue reading ક્લાના ક્ષેત્રમાં ભાવનગરનું યોગદાન (સંધ્યા બોર્ડેવેકર)