શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –ઓગણીસમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ
પ્રથમ સ્કંધ – ઓગણીસમો અધ્યાય –મહારાજ પરીક્ષિતનું અનશન-વ્રત અને શુકદેવજીનું આગમન
(પ્રથમ સ્કંધના અઢારમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, રાજા પરીક્ષિત ભૂખ તરસથી વ્યાકુળ બનીને શમીક ઋષિના આશ્રમમાં પાણીની શોધમાં આવી ચડે છે. શમીક ઋષિ તો એમની બ્રહ્મ સમાધિમાં લીન હતા. મહારાજના બોલાવવા છતાં એમણે કોઈ જવાબ ના આપતાં ક્ષુધા અને તૃષાથી પીડાતાં મહારાજને ગુસ્સો આવતાં, પાસે પડેલો મરેલો સાપ એમના ગળામાં નાખીને ક્રોધાવશ ત્યાંથી ચાલી નીકળ્યાં. શમીક ઋષિનો પુત્ર ઘણો તેજેસ્વી હતો. તે બીજા ઋષિકુમારો સાથે નજીકમાં જ રમતો હતો. જ્યારે તેણે સાંભળ્યું કે રાજાએ એના પિતા સાથે દુર્વ્યવહાર કર્યો છે ત્યારે એ ઋષિપુત્ર, હાથમાં કૌશિકી નદીનું જળ લઈને આચમન કરીને પોતાની વાણીરૂપી વજ્રનો પ્રયોગ કરીને, પોતાના તપોબળ થકી રાજા પરીક્ષિતને શાપ આપે છે કે આજથી સાતમા દિવસે તક્ષક નાગ તેને ડસશે.
Continue reading શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –ઓગણીસમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ