Category Archives: શ્રીમદ ભાગવત પુરાણ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –ઓગણીસમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –ઓગણીસમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધઓગણીસમો અધ્યાયમહારાજ પરીક્ષિતનું અનશન-વ્રત અને શુકદેવજીનું આગમન

 (પ્રથમ સ્કંધના અઢારમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, રાજા પરીક્ષિત ભૂખ તરસથી વ્યાકુળ બનીને શમીક ઋષિના આશ્રમમાં પાણીની શોધમાં આવી ચડે છે. શમીક ઋષિ તો એમની બ્રહ્મ સમાધિમાં લીન હતા. મહારાજના બોલાવવા છતાં એમણે કોઈ જવાબ ના આપતાં ક્ષુધા અને તૃષાથી પીડાતાં મહારાજને ગુસ્સો આવતાં, પાસે પડેલો મરેલો સાપ એમના ગળામાં નાખીને ક્રોધાવશ ત્યાંથી ચાલી નીકળ્યાં. શમીક ઋષિનો પુત્ર ઘણો તેજેસ્વી હતો. તે બીજા ઋષિકુમારો સાથે નજીકમાં જ રમતો હતો. જ્યારે તેણે સાંભળ્યું કે રાજાએ એના પિતા સાથે દુર્વ્યવહાર કર્યો છે ત્યારે એ ઋષિપુત્ર, હાથમાં કૌશિકી નદીનું જળ લઈને આચમન કરીને પોતાની વાણીરૂપી વજ્રનો પ્રયોગ કરીને, પોતાના તપોબળ થકી રાજા પરીક્ષિતને શાપ આપે છે કે આજથી સાતમા દિવસે તક્ષક નાગ તેને ડસશે. 

Continue reading શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –ઓગણીસમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –અઢારમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –અઢારમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધ – અઢારમો અધ્યાય –મહારાજ પરીક્ષિતને શ્રુંગી ઋષિનો શાપ

 (પ્રથમ સ્કંધના સત્તરમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, અધર્મી કળિ, મહારાજ પરીક્ષિતનું સામ્રાજ્ય છોડીને આ પાંચ સ્થાનોમાં રહેવા લાગ્યો. આ જ કારણોસર, ધાર્મિક અને આત્મકલ્યાણની ખેવના રાખવાવાળાઓએ આ પાંચે સ્થાનોના સેવનથી મુક્ત રહેવું જોઈએ. સુવર્ણ અને ધન ઉપાર્જિત તો કરવું પણ એ અધમ કામોમાં ન વપરાય એનું ખાસ ધ્યાન રાખવું. આ પછી રાજા પરીક્ષિતે વૃષભરૂપી ધર્મનાં તપસ્યા, પવિત્રતા, અને દયા – એ ત્રણ ચરણ જોડી દીધાં અને પૃથ્વીને પણ આશ્વાસન આપીને સંવર્ધન કર્યું. આમ મહારાજા પરીક્ષિત પોતાના મહાન વારસાને, સંસ્કારોને, શાસ્ત્ર અને શસ્ત્રોના અભ્યાસને ઉજાગર કરે છે. અભિમન્યુસુત રાજા પરીક્ષિત વાસ્તવમાં એવા જ પ્રભાવશાળી છે અને મહાન છે. કે જેમણે કળિને દંડિત કરીને તેના સ્થાનને મર્યાદિત કર્યા. હવે અહીંથી વાંચો આગળ અઢારમો અધ્યાય)

Continue reading શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –અઢારમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –સત્તરમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –સત્તરમો અધ્યાયજયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધસત્તરમો અધ્યાયમહારાજ પરીક્ષિતે કરેલું કળિયુગનું દમન

 (પ્રથમ સ્કંધના સોળમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, પૃથ્વી ધર્મ સાથેના સંવાદમાં ધર્મને કહે છે કે સમસ્ત ગુણોના ને ત્રિલોકના આશ્રયભૂત એવા પ્રભુ શ્રી કૃષ્ણએ પોતાની લીલા સંકેલી લીધી અને પાપમય કળિયુગ આ સંસારને પોતાની કુદ્રષ્ટિથી ભરખી રહ્યો છે, એનો મને ઘણો શોક થઈ રહ્યો છે. હું પોતાના માટે, દેવતાઓમાં શ્રેષ્ઠ એવા તમારા માટે, દેવતાઓ, પિતૃઓ ઋષિઓ, સાધુઓ અને સમસ્ત વર્ણો અને આશ્રમોના મનુષ્યો માટે હું શોકગ્રસ્ત છું. મને લાગે છે કે મારા સૌભાગ્યનો હવે અંત આવી ગયો છે કારણ, ભગવાને મને, અભાગણીને ત્યજી દીધી! જે અસુર રાજાઓના સમુદાયોની સેના સેંકડો અક્ષૌહિણીમાં હતી, જે મુજ પૃથ્વી માટે અત્યંત ભારરૂપ હતી તે ભારને પોતાની ઈચ્છાથી જ પ્રભુએ ઉતારી નાખ્યો. શ્રી કૃષ્ણએ જ તમને ચાર પગ પૂર્ણ કરીને આપ્યા હતા, પણ, આજે હવે તમે ત્રણ પગના થઈ ગયા છો, આ કળિયુગના પ્રતાપે. આ કળિયુગના જ કારણે જેમના ચરણકમળોના સ્પર્શથી હું નિરંતર આનંદથી પુલકિત રહેતી હતી તે શ્રી કૃષ્ણ વિહીન બની ગઈ છે. હવે કહો, પુરષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો વિરહ ભલા કોણ સહન કરી શકે, કેવી રીતે કરી શકે? આ પ્રમાણે ધર્મ અને પૃથ્વી પરસ્પર વાતચીત કરી રહ્યાં હતાં, બરાબર તે જ સમયે રાજર્ષિ પરીક્ષિત પૂર્વવાહિની સરસ્વતીના તટ પર આવી પહોંચ્યા. હવે અહીંથી વાંચો આગળ સત્તરમો અધ્યાય)

Continue reading શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –સત્તરમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –સોળમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –સોળમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધ – સોળમો અધ્યાય –પરીક્ષિતનો દિગ્વિજય તથા ધર્મ અને પૃથ્વીનો સંવાદ

 (પ્રથમ સ્કંધના પંદરમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, યુધિષ્ઠિર બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત થયા. આ પછી તેમણે શરીરે ચીર-વસ્ત્ર ધારણ કર્યા, અન્નજળનો ત્યાગ કર્યો, મૌન ગ્રહણ કર્યું અને કોઈનીયે રાહ જોયા વિના ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. ભીમસેન, અર્જુન વગેરે યુધિષ્ઠિરના નાના ભાઈઓએ પણ જોયું કે હવે પૃથ્વીમાં બધા લોકોને, અધર્મના સહાયક કળિયુગે પ્રભાવિત કરી દીધા છે, તેથી તેઓ પણ શ્રી કૃષ્ણ ચરણોની પ્રાપ્તિનો દ્રઢ નિશ્ચય કરીને પોતાના મોટાભાઈની પાછળ નીકળી પડ્યા. તેમણે જીવનના બધા જ લાભ સમ્યક્પણે મેળવી લીધા. અને ભગવાનના ચરણકમળને હ્રદયમાં ધારણ કરી લીધા. તેમની બુદ્ધિ, નિર્મોહ, નિર્લેપ અને અહંકારમાંથી એકદમ શુદ્ધ થઈને ભગવાન શ્રી કૃષ્ણના તે સર્વોત્કૃષ્ટ સ્વરૂપમાં અનન્ય ભાવથી સ્થિર થઈ, કે જેમાં નિષ્પાપ પુરુષો જ સ્થિર થવા પામે છે. પરિણામે, તેમણે તેમના વિશુદ્ધ અંતઃકરણથી સ્વયમેવ પરમ ગતિ પ્રાપ્ત કરી લીધી. દ્રૌપદીએ જ્યારે જોયું કે હવે પાંડવો નિરપેક્ષ થઈ ગયા છે ત્યારે તેઓ પણ અનન્ય પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરીને ભગવદ્ રૂપને પામ્યાં.  હવે અહીંથી વાંચો આગળ સોળમો અધ્યાય)

Continue reading શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –સોળમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –પંદરમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –પંદરમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધ – પંદરમો અધ્યાય – શ્રી કૃષ્ણના વિરહથી વ્યથિત પાંડવોનું પરીક્ષિતને રાજ્ય સંપીને સ્વર્ગે સિધાવવું

 (પ્રથમ સ્કંધના ચૌદમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, ઘણાં મહિનાઓ વિતી ગયા છતાં, મહાભારતના યુદ્ધ પછી દ્વારકા પાછા ગયેલા યાદવબંધુઓ, બળરામ, ઉદ્ધવજી અને શ્રી કૃષ્ણના કોઈ ખબર અંતર નહોતા આથી યુધિષ્ઠિર સમેત પાંચેય પાંડવો ચિંતિત હતા. ધર્મરાજ ત્યારે, શ્રી કૃષ્ણના પરમ સખા અર્જુનને આદેશ આપે છે કે એ સ્વયં દ્વારકાનગરીમાં જઈને શ્રી કૃષ્ણ અને સહુ યાદવબંધુઓના આનંદમંગળની ખબર લઈ આવે અને એ સાથે પ્રભુની પાંડવો માટે આગળ શું આજ્ઞા છે એ પણ વિગતવાર પૂછતા આવે. મોટાભાઈની આજ્ઞા પ્રમાણે અર્જુન દ્વારકા પહોંચે છે. આ વાતને સારો એવો સમય વિતી ગયો છે છતાં અર્જુન પાછો ન ફરતાં હસ્તિનાપુરમાં યુધિષ્ઠિરને અપશુકન થવા માંડે છે અને અમંગળના એંધાણ વર્તાય છે. અર્જુનની ભાળ કાઢવા ધર્મરાજ ભીમને મોકલવાનો વિચાર કરે છે અને ભીમ જાય એ પહેલાં જ અર્જુન પાછા વળે છે, હતપ્રભ અને અત્યંત વ્યાકુળ વ્યથિત તથા નિસ્તેજ થઈને. યુધિષ્ઠિરને ફડકો બેસી જાય છે કે નક્કી કશુંક અઘટિત બની ગયું છે, શ્રી હરિ સાથે, એના સિવાય અર્જુન આટલી બધી માનસિક પીડાથી પીડિત ન હોય. છતાં પણ, પોતે ગળામાં ડુમો ભરાયેલો હોવાથી સદંતર નિઃશબ્દ બનેલા અર્જુનની આ હાલત માટે મહારાજ અનેક તર્ક-વિતર્ક આપે છે પણ અંતે એમને અર્જુનના મૌન આંસુની ભાષા સમજાય છે. એમને થાય છે કે હોય ન હોય, પણ અર્જુન એના પરમપ્રિય, અભિન્ન-હ્રદય, પરમ સખા શ્રી કૃષ્ણ વિનાનો થઈ ગયો છે. તે સિવાય બીજું કોઈ કારણ એની આ દશાનું અને વેદનાનું હોય શકે જ નહીં. હવે અહીંથી વાંચો આગળ પંદરમો અધ્યાય)

Continue reading શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –પંદરમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –ચૌદમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –ચૌદમો અધ્યાયજયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધચૌદમો અધ્યાયઅપશુકન જોઈને મહારાજ યુધિષ્ઠિરને શંકા થવી અને અર્જુનનું દ્વારકાથી પાછા ફરવું

 (પ્રથમ સ્કંધના તેરમા અધ્યાયમાં આપે વાંચ્યું કે,  વિદુરજીના કહેવાથી ધૃતરાષ્ટ્રના આંતર્ચક્ષુ ઉઘડે છે અને તેઓ સંસાર છોડીને આશ્રમગમન કરે છે.

Continue reading શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –ચૌદમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –તેરમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધતેરમો અધ્યાયવિદુરજીના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું વનગમન

 (પ્રથમ સ્કંધના બારમા અધ્યાયમાં આપે વાંચ્યું કે,  શ્રી કૃષ્ણ તો દ્વારિકા પધાર્યા પણ અશ્વત્થામાએ જે અત્યંત તેજસ્વી બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું તેનાથી ઉત્તરાનો ગર્ભ નાશ પામ્યો હતો, પરંતુ, ભગવાન શ્રી કૃષ્ણએ હસ્તિનાપુર છોડ્યા પહેલાં, પોતાના પુણ્યના પ્રતાપે એને પુનર્જીવિત કરી દીધો હતો. તે ગર્ભથી જન્મ પામેલા મહાજ્ઞાની મહાત્મા પરીક્ષિત, કે જેમને શુકદેવજીએ જ્ઞાનોપદેશ આપ્યો હતો – તેમનાં જન્મ, કર્મ, મૃત્યુ અને ત્યાર પછી તેમને મળેલી સદગતિ વિષે અમને વિસ્તારથી  મહાજ્ઞાની સૂતજી શૌનકાદિ ઋષિઓને કહે છે. સૂતજી જણાવે છે કે બ્રાહ્મણોએ રાજા યુધિષ્ઠિરને જણાવ્યું હતું કે “આ બાળકમાં બ્રહ્મા જેવી સમતા હશે, આ ભગવાન શંકર જેવો કૃપાળુ થશે, શ્રી કૃષ્ણનો અનુયાયી અને યયાતિ જેવો ધાર્મિક થશે. આ જાતક ધૈર્યમાં બલિરાજા જેવો અને ભગવાનની નિષ્ઠામાં પ્રહલાદ જેવો થશે. આ ઘણા બધા અશ્વમેઘ યજ્ઞો કરનારો અને પ્રજાનો સેવક થશે, એટલું જ નહીં પણ પૃથ્વીમાતા અને ધર્મના રક્ષણ માટે કળિયુગનું પણ દમન કરશે. પણ એક વાત છે કે થનારું કોઈ ટાળી શકતું નથી. આ કુમાર બ્રાહ્મણ કુમારના શાપને લીધે, તક્ષક દ્વારા પોતાના મૃત્યુની વાત સાંભળીને આસક્તિ છોડીને ભગવાનના ચરણનું શરણ લેશે. હે રાજન, આ વ્યાસનંદન શુકદેવજી પાસેથી આત્માના ખરા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરશે અને અંતે ગંગાકિનારે પોતાના શરીરનો ત્યાગ કરીને ચોક્કસ અભયપદ પ્રાપ્ત કરશે.” આ પ્રમાણે જ્યોતિષશાસ્ત્રના પંડિત એવા બ્રાહ્મણોએ બાળકના જન્મલગ્નનું ફળ બતાવ્યું અને રાજાએ આપેલી દાનદક્ષિણા લઈને પોતપોતાના ઘરે ગયા. તે જ આ બાળક સંસારમાં પરીક્ષિતના નામે પ્રસિદ્ધ થયો. પરીક્ષિતે ગર્ભમાં જ શ્રી હરિની દિવ્યતા અનુભવી હતી. આ રાજકુમાર પોતાનાં ગુરુજનોના લાલનપાલનથી રોજરોજ ક્રમશઃ વધતો રહીને જલદી પુખ્ત થતો ગયો. હવે અહીંથી વાંચો આગળ તેરમો અધ્યાય) Continue reading શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –તેરમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –બારમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –બારમો અધ્યાયજયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધબારમો અધ્યાયપરીક્ષિતનો જન્મ. Continue reading શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –બારમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –અગિયારમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –અગિયારમો અધ્યાયજયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધઅગિયારમો અધ્યાયશ્રી કૃષ્ણનું દ્વારકા-ગમન

 (પ્રથમ સ્કંધના દસમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, ભીષ્મ પિતામહના અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશના શ્રવણથી ધર્મરાજ યુધિષ્ઠિરના અંતઃકરણમાં વિ-જ્ઞાનનો ઉદય થતાં એમની ભ્રાન્તિ મટી ગઈ. રાજા યુધિષ્ઠિરના રાજ્યમાં સર્વત્ર સુશાસન હતું અને સમસ્ત પ્રજા સમેત દરેક પ્રાણીમાત્ર સુખી હતા. એટલું જ નહીં, કુદરતની પણ મહેર હતી. શ્રી કૃષ્ણ આ જોઈને અત્યંત પ્રસન્ન થયા હતા. પોતાના બાંધવોનો શોક દૂર કરવા માટે અને બહેન સુભદ્રાની પ્રસન્નતા માટે ભગવાન ત્યાં કેટલાક મહિનાઓ સુધી હસ્તિનાપુરમાં જ રહ્યા હતા પણ આમ ઘણો સમય વિતી ગયા પછી, એક દિવસ, મહારાજ યુધિષ્ઠિરની દ્વારકાગમન માટે અનુમતિ લઈને સહુને યથોચિત મળીને દ્વારકાગમન માટે નીકળે છે. શ્રી કૃષ્ણ સહુનું અભિવાદન ઝીલતા, ઝીલતા ત્યાંથી વિદાય થઈ ગયા. અજાતશત્રુ રાજા યુધિષ્ઠિરે ભગવાન સાથે હાથી, ઘોડા, રથ, અને પાયદળની સેના પણ મોકલી હતી. શ્રી હરિ પ્રત્યેના પ્રેમને વશ થઈ, પાંડવો ખૂબ દૂર સુધી સાથે ગયા. તે બધા જ આવનારા કૃષ્ણ વિરહથી વ્યાકુળ હતા. ભગવાને એમને ખૂબ આગ્રહ કરીને પાછા મોકલ્યા. પોતે પછી, સાત્યકિ, ઉદ્ધવ અને અન્ય મિત્રો સહિત દ્વારકા ભણી પ્રયાણ કર્યું. આમ ભગવાન કુરુજાંગલ, પાંચાલ, શૂરસેન, યમુનાનો તટવર્તી પ્રદેશ બ્રહ્માવર્ત, કુરુક્ષેત્ર, મત્સ્ય, સારસ્વત અને મરુધન્વ દેશને પાર કરીને સૌવીર અને આભીર દેશની પશ્વિમે આનર્ત દેશમાં આવ્યા. તે સમયે અધિક ચાલવાને કારણે ભગવાનના રથના ઘોડા થોડાક થાક્યા હતા. માર્ગમાં ઠેરઠેર લોકો ઉપહાર વગેરે વડે ભગવાનનું સમ્માન કરતા હતા, સંધ્યાકાળ થતાં તેઓ રથ પરથી ભૂમિ પર ઊતરતા અને જળાશય પર જઈને સંધ્યાવંદન કરતા. શ્રી હરિની આ જ દિનચર્યા હતી. હવે અહીંથી વાંચો આગળ.)   Continue reading શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –અગિયારમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –દસમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –દસમો અધ્યાયજયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધદસમો અધ્યાયશ્રી કૃષ્ણનું દ્વારકા-ગમન

 (પ્રથમ સ્કંધના નવમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, ભીષ્મ પિતામહે બાણશય્યા પર સૂતા સૂતા યુધિષ્ઠિરને “ભીષ્મ-ગીતા” રૂપે રાજધર્મનું જ્ઞાન આપતાં પાંડવોને કહ્યું, “હે ધર્મપુત્રો, આપને ધર્મ, બ્રાહ્મણ અને ભગવાનના સતત શરણે હોવા છતાં તમારે આટલા કષ્ટમાં જીવન વ્યતીત કરવું પડ્યું, જે ભોગવવાનું તમારા ભાગ્યમાં કદી આવવું જોઈતું હતું. તમારા પિતા પાંડુના અકાળ અવસાન સમયે તમે બહુ નાના હતા અને કુન્તીની સાથે તમારે પણ કષ્ટ સહન કરવા પડ્યાં હતાં. મારી અલ્પ સમજ પ્રમાણે બધી અપ્રિય ઘટનાઓ બની છે તે બધું શ્રી હરિની લીલા છે. ભગવાનની વહી ખાતામાં દરેક જીવના કર્મ અને ધર્મની નોંધણી છે, જેનો હિસાબ એમની મરજી પ્રમાણે થાય છે. નહીં તો જ્યાં ધર્મપુત્ર યુધિષ્ઠિર રાજા હોય, ગદાધારી ભીમસેન હોય, ધનુર્ધારી અર્જુન રક્ષણનું કામ કરી રહ્યા હોય, ગાંડીવ ધનુષ્ય હોય અને સ્વયં શ્રી કૃષ્ણ સુહ્રદ હોય ત્યાં પણ ભલા, વિપત્તિની સંભાવના હોય ખરી? કાળરૂપ શ્રી કૃષ્ણ ક્યારે શું કરવા ઈચ્છે છે વાત કોઈ ક્યારેય જાણતું નથી; મોટા મોટા જ્ઞાનીઓ પણ તેને સમજવામાં મોહિત થઈ જાય છે. Continue reading શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –દસમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ