ઈ.સ. ૧૯૯૧ના ઓક્ટોબર માસમાં કોલકત્તાની રાષ્ટ્રીય ઇતિહાસ પરિષદ પૂર્ણ કરી મેં બેલુરમઠ જવા સામાન બાંધ્યો. બેલુરમઠ શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના આધ્યાત્મિક વિચારો અને વિવેકાનંદજીના અંતિમ નિવાસ માટે જાણીતો છે. પરિણામે જીવનની અનેક મહેચ્છામાની એક ઈચ્છા બેલુરમઠના પવિત્ર વાતાવરણમાં થોડા દિવસ રહેવાની હદયમાં કંડારાયેલી હતી. જો કે બેલુરમઠમા આમ તો મારે કોઈનો પરિચય ન હતો. પણ મારા એક પ્રોફેસર મિત્ર વ્યાસ અવાનવાર બેલુરમઠ જતા. એટલે હું કોલકત્તા જવા નીકળ્યો ત્યારે એમણે મને કહેલું, Continue reading બેલુરમઠમાં જુમ્માની નમાઝ (ડૉ. મહેબૂબ દેસાઈ)→
જોસેફ મેકવાન. ગુજરાતી દલિત સાહિત્યનુ એક એવું નામ , જેને દલિત સાહિત્યના “દાદા”નું ઉપનામ સ્વભાવિક રીતે સાંપડ્યું છે. તેમની આંગળીયાત, વ્યથાના વીતક.મારી ભિલ્લુ, માણસ હોવાની યંત્રના અને જનમજલા જેવી કૃતિઓને અઢળક ઇનામ-ઇકરામ મળ્યા છે. Continue reading રાહેં રોશન – ૧૨ (ડો. મહેબૂબ દેસાઈ)→
હાલ આઈપીએલની છઠ્ઠી સીઝન પુર જોશમાં ચાલી રહી છે. દરેક ટીવી ચેનલો પોતાના ટીઆરપીની ચિંતામા તેના પ્રસારણની હોડમાં લાગેલી છે. ક્રિકેટર અને ક્રિકેટના મૈદાન પરની નાનામાં નાની ઘટનાઓને બહેલાવીને રજુ કરવામાં દરેક ચેનલો મશગુલ છે. એક ચેનલે તો ૨૫ એપ્રિલ ૨૦૦૮ અર્થાત પાંચ વર્ષ પૂર્વે મહોલીમા ક્રિકેટર શ્રીસંતને હરભજન સિંગે મારેલા કહેવાતા લાફાની ઘટનાને બહેલાવીને રજુ કરવાની તક પણ ઝડપી લીધી. અને પ્રાઈમ ટાઈમનો પુરા સમય તેનું વિષ્લેષણ કરવામાં કાઢી નાખ્યો. આવી નકારત્મક ઘટનાઓને બહેલાવવાની આપણી ચેનલોની નીતિને સાચ્ચે જ દુ:ખદ છે. કારણે નકારત્મક ઘટનાઓનો અતિરેક જ આપણા સમાજના ઘડતર પર અવળી અસર કરે છે. તેમાંય આજના યુવા વર્ગ પર બે ક્ષેત્રોનો અત્યંત પ્રભાવ છે. સિનેમા અને ક્રિકેટ. આ બને ક્ષેત્રો પાછળ યુવાવર્ગ પાગલ છે. પરિણામે ક્રિકેટરો અને સિને તારકોની સારી નરસી નાનામાં નાની બાબતો પોતાના જીવનમા અપનાવી લેતા તેમને જરા પણ વાર નથી લાગતી. એવા સમયે એ ક્ષેત્રના મુલ્ય નિષ્ઠ વ્યક્તિત્વો અને ઘટનાઓને વધુમાં વધુ પ્રજા અને યુવાનો સમક્ષ મુકવાની કલમ નિવેશો અને માધ્યમોની પવિત્ર ફરજ છે. Continue reading રાહેં રોશન –૧૧ (ડો. મહેબૂબ દેસાઈ)→
મૃત્યું એ જીવનની સચ્ચાઈ છે. સામાન્ય માનવી માટે તે વિરહ છે. જ્યારે સંતો માટે તે મુક્તિનો આનંદ છે. અને મહાન કે વિશિષ્ટ માનવીઓ માટે તે એક ઝિન્દગીનો સામાન્ય દસ્તુર છે. જેનાથી તેઓ ન તો ચલિત થાય છે, ન ગમગીન બને છે. બલકે મૌતને તેઓ જીવનનો સામાન્ય ક્રમ માની તેમના લક્ષમાં મડ્યા રહે છે. ડિજિટલ યુગની એવી જ એક વિભૂતિ છે સ્ટીવ જોબ્સ. Continue reading રાહેં રોશન –૧૦ (ડો. મહેબૂબ દેસાઈ)→
૨૦ ફેબ્રુઆરીએ હિંદુ સમાજ “મહાશિવ રાત્રી” ઉજવશે. આપણા વેદો અને પુરાણોમાં ભગવાન શિવનો મહિમા અનેક રીતે વ્યક્ત થયો છે. ભગવાન શિવ માત્ર ધર્મ અને શ્રધ્ધાનું જ કેન્દ્ર નથી. ભારતીય શાસ્ત્રીય સંગીતનું ઉગમ સ્થાન પણ છે. તેમના ડમરુમાંથી જ નાદ અને સ્વરની ઉત્પતિ થઈ છે. એમ પણ કહેવાય છે કે ભગવાન શંકરે નારદજીને છ મુખ્ય રાગો સાથે મૃત્યુલોકમાં મોકલ્યા હતા. જેમાં ભૈરવી અને માલવ કૌંસ અગ્ર હતા. માલ અને કૌંસનો અર્થ થાય છે ગળામાં સર્પની માળા ધારણ કરનાર. સમય જતા તેનો ઉચ્ચાર “માલકોશ” થવા લાગ્યો. રાગ માલકોશ વિશે જાણીતા સંગીતકાર મિયાં નૌશાદ અલી(૧૯૧૯-૨૦૦૬) કહે છે, Continue reading રાહેં રોશન –૯ (ડો. મહેબૂબ દેસાઈ)→
હાલ સાઉદી એરેબીયાના મક્કા-મદીના શહેરમાં વિશ્વના લાખો મુસ્લિમો હજની ક્રિયાઓ પૂર્ણ કરી, ઇબાદતમાં લીન છે. ઇસ્લામ ધર્મમા પાંચ બાબતો અતિ મહત્વની છે. ઈમાન, નમાઝ, રોઝા, ઝકાત અને હજ. હજ દરેક સક્ષમ મુસ્લિમ માટે ફરજીયાત છે. સક્ષમ અર્થાત આર્થિક અને શારીરિક રીતે સક્ષમ માનવીએ જીવનમાં એકવાર હજયાત્રા ફરજીયાત કરવી જોઈએ, એવો ઇસ્લામમાં આદેશ છે. અને એટલે જ ભારતના જાણીતા મુસ્લિમ કલાકારો, રાજનિતિજ્ઞો, વેપારીઓ. બુદ્ધિજીવીઓ કે સામાન્ય મુસ્લિમો હજયાત્રાએ જવાનું ચુકતા નથી. ભારતના એક સમયના ફિલ્મોના જાણીતા પાશ્વગાયક મહંમદ રફી (૧૯૨૪-૧૯૮૦) પણ ૧૯૬૯ની સાલમાં હજયાત્રાએ ગયા હતા. એ ઘટના પણ દરેક ઈમાન (આસ્થા) ધરાવનારે જાણવા જેવી છે. રફી સાહેબની હજયાત્રા તેમના ઈમાન, કુરબાની અને દુવાઓનું અદભુદ મિશ્રણ છે. આ એ યુગની વાત છે જયારે ફિલ્મી દુનિયામાં રફી સાહેબ અને લાત્તાજીનું એક ચક્રિય શાશન હતું. કોઈ ફિલ્મ એવી નહોતી બનતી જેમાં રફી સાહેબના ગીતો ન હોય. એવા કારકિર્દીના તપતા સમયે ૧૯૬૯મા રફી સાહેબે પોતાની પત્ની બિલ્કીસ સાથે હજયાત્રાએ જવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમા ખળભળાટ મચી ગયો. રફી સાહેબ એક સાથે બે માસ માટે મુંબઈની બહાર રહેવાના હતા, એ સમાચાર ફિલ્મી દુનિયામા અગ્નિ જેમ પ્રસરી ગયા. અનેક નિર્માતાઓએ રફી સાહેબને સમજાવવાનો પ્રયાસ કર્યો, Continue reading રાહેં રોશન –૮ (ડો. મહેબૂબ દેસાઈ)→
ગ્રંથો પ્રત્યેનો અનુરાગ અને વાંચન –લેખનની લગની મને ચોક્કસ પણે કયારે લાગી એ તો મને ખબર નથી. પણ કોલેજકાળ દરમિયાન મોટા વિદ્વાનો, વક્તાઓ, લેખકો અંગે જાણવાનું મને ગમતું. તેમના પુસ્તકો વાંચવાનું ગમતું. તેમના જેમ જ અખબારો, સમાયિકો અને ઉચ્ચ કોટીના સંશોધન પત્રોમાં મારા લેખો પ્રસિદ્ધ થાય તેવી ઈચ્છા મનમાં થયા કરતી. કદાચ એ માટે મારા પિતાજીના સંસ્કારો જવાબદાર હશે. મારા પિતાજી ઉસ્માનભાઈ દેસાઈ ગાંધી યુગમા ઇન્ટર પાસ થયા હતા. આગળ ભણવાની ઈચ્છા હતી. પણ તેમના પિતાજી હુસેનભાઈની ઈચ્છાને કારણે તેમને કમને પોલીસ ખાતામાં જોડાવું પડ્યું. આમ પોલીસ અધિકારી બન્યા. છતાં સંપૂર્ણપણે ગાંધી રંગે રંગાયેલા હતા. પોલીસનો પોષક પણ ખાદીનો જ પહેરતા. તેમને વાંચન-લેખનનો જબરો શોખ હતો. તેમના વાંચન શોખને પોષવામા પોલીસ ખાતાએ તેમને ખાસ્સી મદદ કરી હતી. સ્વભાવે ઈમાનદાર અને પાંચ વકતના નમાઝી પિતાજી પોલીસ ખાતની રિશ્વતથી ભરપુર વ્યવસ્થા માટે ગેરલાયક હતા. એટલે આવા અધિકારીને એવા પોલીસ સ્ટેશનમા જ મુકવામાં આવતા જ્યાં કશું કરવાનું ન હોય. એ સ્થિતિનો લાભ લઇ પિતાજી પાંચ વકતની નમાઝ સાથે પોતાનો મોટા ભાગનો સમય જે તે ગામડાના ગ્રંથાલયના પુસ્તકો વાંચવામા કાઢતા. કદાચ એ ગુણો મને વારસામાં મળ્યા હતા. Continue reading રાહેં રોશન –૭ (ડો. મહેબૂબ દેસાઈ)→
રમઝાન માસનો ૧૯મો રોઝો હતો. વહેલી પરોઢે મેં તહેજ્જુદની નમાઝ અદા કરી.પછી મેં અને મારી પત્ની સાબેરાએ સહેરી( રોઝા પૂર્વેનું ભોજન) કરી. એ પછી ફજરની નમાઝ પઢી હું કુરાને શરીફનું પઠન કરવા બેઠો. ત્યાંરે સાબેરા બોલી ઉઠી,
૭,૮ સપ્ટેમ્બરના રોજ મધ્ય પ્રદેશના નાનકડા શહેર બડવાનીમા શહીદ ભીમા રાવ સરકારી કોલેજમા “ક્ષેત્રીય ઇતિહાસના વિવિધ આયામો” વિષયક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન યુ.જી.સી.ના સહયોગથી કરવામાં આવ્યું હતું. એ સેમિનારની એક સેશનના ચેરપર્સન તરીકે ઉપસ્થિત રહેવા ૬ સપ્ટેમ્બરના રોજ ભાવનગરથી બડવાની જવાનું થયું. ૭મી શુક્રવારે સવારે ૧૧ થી ૧ દરમિયાન સેમિનારનો ભવ્ય ઉદઘાટન સમારંભ યોજાયો. ઉદઘાટન સમારંભમા યજમાન તરફથી સ્ટેજ પણ બેઠેલા તમામ મહેમાનોનું તિલક કરી અભિવાદન કરવામાં આવ્યું. મારા મસ્તક ઉપર પણ કંકુ અને ચોખાનું સુંદર તિલક કરવામા આવ્યું. એ પછી ઉદઘાટન સમારંભ બે ત્રણ કલાક ચાલ્યો. લગભગ ૧૨.૪૫. થઈ એટલે મેં યજમાન કોલેજના આચાર્ય ડૉ. શિવનારાયણ યાદવ સાહેબની રજા લેતા કહ્યું, Continue reading રાહેં રોશન –૫ (ડો. મહેબૂબ દેસાઈ)→