અનહોની હોની નહીં, હોની હો સો હોય!
હું હજી બીજા ત્રણ મહિના ફેમિલી લીવ પર હતી. આ પાંચ દિવસોમાં, મેં મારા ભૂતકાળને વાગોળીને જાણે ફરી જીવ્યો હતો. દિલીપ સાથે સેટ થઈ ગયેલું મારું સવારનું રૂટિન જોબ પર પાછી જાઉં, ત્યાં સુધી ચાલુ રાખી શકું તેમ હતું અને મેં ચાલુ પણ રાખ્યું. હું ૨૧મી સપ્ટેમ્બર, ૧૯૭૮ની સવારે, મારા સવારના નિત્યક્રમ પ્રમાણે, દરિયા કિનારે ચાલવા નીકળવાની તૈયારી કરતી હતી. સવારના સાત વાગ્યા હતા. ત્યાં જ ફોનની ઘંટડી વાગી. મેં ફોન ઊંચક્યો. ઈંદિરાના માતા-પિતાનો ફોન હતો. દિલીપના ગયા પછી, એમને ઋચા અને રવિએ જણાવ્યું તો હતું કે, દિલીપનું અવસાન થયું છે પણ, મારી સાથે વાત નહોતી થઈ શકી. મને એમ જ લાગ્યું કે મારી જોડે વાત કરવા ફોન કર્યો હશે. જ્યારે ઈંદિરાના પિતાએ મને કહ્યું, “બેટા, મારે તારી સાથે ખાસ વાત કરવી છે. અમારી મૂંઝવણનો પાર નથી. દિલીપ અમને તમારો નંબર આપીને ગયા હતા અને કહ્યું હતું કે એમની આ બિમારી સાથે એ કેટલું જીવશે એની ખબર નથી, પણ, જો ક્યાંક અટકી પડાય તો તમારો સંપર્ક કરવો. આજે અમે અટકી જ નથી પડ્યાં પણ સાવ જ ભાંગી પડ્યાં છીએ! બેટા, અમે અમારી એકની એક દિકરીનું ઘર વસી શકે એટલે એની માનસિક બિમારીની વાત દિલીપ, ધાજી અને અદાથી છુપાવી રાખી. કારણ, એક જ્યોતિષીએ કહ્યું હતું કે લગ્ન પછી ઈંદિરા સાવ સાજી થઈ જશે…! આટલી મોટી ભૂલની જે સજા આ ઉંમરે અમે ભોગવી રહ્યાં છીએ, તે જરા પણ અજુગતું નથી. બેટા, ઈંદિરા જેની સાથે ભાગી ગઈ હતી, એ, દિલીપના બેશરમ દોસ્તે, ગઈ કાલે ફોન કરીને અમને નવા નર્સિંગહોમનું એડ્રેસ આપ્યું અને કહ્યું કે ઈંદિરાને, અહીં મૂકીને ચિકાગો છોડીને જઈ રહ્યો છે. એની બિમારી ખૂબ વધી ગઈ છે. ઈંદિરા મેન્ટલી એકદમ જ ડિસ્ટર્બ છે. મેં એને ડિવોર્સ આપી દીધા છે. આગળની વાત તમારી આન્ટી કહેશે. હું ફોન ઈંદિરાની મમ્મીને આપું છું.”
Continue reading પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૫-અનહોની હોની નહીં, હોની હો સો હોય! →
Like this:
Like Loading...