Category Archives: પડછાયાના માણસ

પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૮-પડછાયાના માણસ

(“પડછાયાના માણસ” – સર્જકની કેફિયતઃ

આજ સુધી આપ સહુ સહ્રદયી મિત્રો અને વાચકોએ, મેં ખૂબ લાડ લડાવીને ઉછેરેલાં સહુ પાત્રો અને એમની જીવનક્થાને ઉમળકાથી વધાવી છે. આ માટે આપ સહુનો અંતરથી આભાર માનું છું. અનેકોએ પોતાનો કિમતી સમય, વિશેષ ટિપ્પણી લખીને કે ઈમેલ લખીને આ નવલકથાને આપ્યો છે એ બદલ એ સહુ વાચકોની હું ઋણી છું. તમારા સહુના પ્રેમ થકી જ આ નવલકથા ઉજળી બની છે.

Continue reading પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૮-પડછાયાના માણસ

પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૭-મુસાફિર હું યારો

(આવતા ગુરૂવારે કથાનો અંત વાંચવાનું ભૂલતા નહીં. ૨૮ અઠવાડિયાની ઈંતેજારીનો રોમાંચક અંત!!!-સંપાદક)

મુસાફિર હું યારો

શીના અને સેમના ઓચિંતા આગમને આખાયે વાતાવરણમાં નવી ઊર્જાનો સંચાર કરી દીધો. અમારી વચ્ચે આટલા વર્ષો વિતી ગયા છે, હું એ પણ ભૂલી ગઈ! પળવાર માટે ફિલાડેલ્ફિયાની યુનિવર્સીટીના કેમ્પસ પરની ૨૧-૨૨ વરસની થનગનતી યુવતી બની ગઈ! એ બેઉ અંદર આવે એ પહેલાં જ હું એમને ભેટી પડી! સેમ અને શીનાએ પણ સામે એટલા જ ભાવથી હગ કરી. બેચાર પળ પછી અમે સ્વસ્થ થયા અને એમને આવકાર આપતાં અંગ્રેજીમાં કહ્યું “કમ ઈન શીના એન્ડ સેમ. બી કમ્ફર્ટેબલ. કન્સીડર ધીસ એસ યોર હોમ ઓન્લી!” બેઉ સોફા પર બેઠાં.

Continue reading પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૭-મુસાફિર હું યારો

પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૬-હોંઠો પે દુવા રખના

(નવલકથા ઝડપથી એના અંત તરફ જઈ રહી છે. આવતા બે ત્રણ એપીસોડસમાં તમારી ઉત્કંઠા અને અપેક્ષાઓનો અંત આવશે. અંત જાણવા હવે પછીના એપીસોડસ જોવાના ચૂકશો નહીં-સંપાદક)

હોંઠો પે દુવા રખના

હું, રવિ અને ઋચા વકીલસાહેબના આવવાની રાહ જોતાં બેઠાં હતાં. મેં બધી જ ફાઈલો તૈયાર રાખી હતી. રવિ આ ફાઈલો જોઈને બોલ્યો, “દિલીપ અને તારા મિલકતની વ્યવસ્થા કરતા કરતા, હું પણ અડધો વકીલ બની જઈશ! એન્ડ યુ નો વ્હોટ, આઇ કાઈન્ડ ઓફ એન્જોય ઈટ ટુ! મને ખબર જ નહોતી કે મને આમ કાયદા કાનૂનની આંટીઘૂંટી પણ ગમશે!”

Continue reading પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૬-હોંઠો પે દુવા રખના

પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૫-અનહોની હોની નહીં, હોની હો સો હોય!

અનહોની હોની નહીં, હોની હો સો હોય!

હું હજી બીજા ત્રણ મહિના ફેમિલી લીવ પર હતી. આ પાંચ દિવસોમાં, મેં મારા ભૂતકાળને વાગોળીને જાણે ફરી જીવ્યો હતો. દિલીપ સાથે સેટ થઈ ગયેલું મારું સવારનું રૂટિન જોબ પર પાછી જાઉં, ત્યાં સુધી ચાલુ રાખી શકું તેમ હતું અને મેં ચાલુ પણ રાખ્યું. હું ૨૧મી સપ્ટેમ્બર, ૧૯૭૮ની સવારે, મારા સવારના નિત્યક્રમ પ્રમાણે, દરિયા કિનારે ચાલવા નીકળવાની તૈયારી કરતી હતી. સવારના સાત વાગ્યા હતા. ત્યાં જ ફોનની ઘંટડી વાગી. મેં ફોન ઊંચક્યો. ઈંદિરાના માતા-પિતાનો ફોન હતો. દિલીપના ગયા પછી, એમને ઋચા અને રવિએ જણાવ્યું તો હતું કે, દિલીપનું અવસાન થયું છે પણ, મારી સાથે વાત નહોતી થઈ શકી. મને એમ જ લાગ્યું કે મારી જોડે વાત કરવા ફોન કર્યો હશે. જ્યારે ઈંદિરાના પિતાએ મને કહ્યું, “બેટા, મારે તારી સાથે ખાસ વાત કરવી છે. અમારી મૂંઝવણનો પાર નથી. દિલીપ અમને તમારો નંબર આપીને ગયા હતા અને કહ્યું હતું કે એમની આ બિમારી સાથે એ કેટલું જીવશે એની ખબર નથી, પણ, જો ક્યાંક અટકી પડાય તો તમારો સંપર્ક કરવો. આજે અમે અટકી જ નથી પડ્યાં પણ સાવ જ ભાંગી પડ્યાં છીએ! બેટા, અમે અમારી એકની એક દિકરીનું ઘર વસી શકે એટલે એની માનસિક બિમારીની વાત દિલીપ, ધાજી અને અદાથી છુપાવી રાખી. કારણ, એક જ્યોતિષીએ કહ્યું હતું કે લગ્ન પછી ઈંદિરા સાવ સાજી થઈ જશે…! આટલી મોટી ભૂલની જે સજા આ ઉંમરે અમે ભોગવી રહ્યાં છીએ, તે જરા પણ અજુગતું નથી. બેટા, ઈંદિરા જેની સાથે ભાગી ગઈ હતી, એ, દિલીપના બેશરમ દોસ્તે, ગઈ કાલે ફોન કરીને અમને નવા નર્સિંગહોમનું એડ્રેસ આપ્યું અને કહ્યું કે ઈંદિરાને, અહીં મૂકીને ચિકાગો છોડીને જઈ રહ્યો છે. એની બિમારી ખૂબ વધી ગઈ છે. ઈંદિરા મેન્ટલી એકદમ જ ડિસ્ટર્બ છે. મેં એને ડિવોર્સ આપી દીધા છે. આગળની વાત તમારી આન્ટી કહેશે. હું ફોન ઈંદિરાની મમ્મીને આપું છું.”

Continue reading પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૫-અનહોની હોની નહીં, હોની હો સો હોય!

પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૪-ખાલીપો- એક રેસ

ખાલીપોએક રેસ

મેં ફોન મૂક્યો. રાતના સાડા અગિયાર વાગ્યા હતા. ઋચા કે રવિને ફોન કરવા માટે મોડું થઈ ગયું હતું. એમને દિલીપની બિમારી અને એના આવવાના સમાચાર આપવા હતા અને મેં દિલીપને પ્રપોઝ કર્યું એ પણ કહેવું હતું. આ બધું જ સવારે એમના ઘરે જઈને કહેવું પડશે, નહીં તો મને સારું નહીં લાગે. મને દિલીપ સાથેના અપ્રતિમ સખ્ય અને સાયુજ્યની ખોટ તો સદૈવ લાગતી હતી, પણ જીવનના ઉત્તરાર્ધમાં દિલીપ અને હું આમ મળીશું એવી તો મને કોઈ કલ્પના જ ન હતી! મને હજુ સુધી એ કદી નહોતું સમજાયું કે સેમ માટે મને જે આકર્ષણ હતું તેવું ઈન્ટેસ આકર્ષણ મને દિલીપ માટે નહોતું થતું અને દિલીપ સાથે જે સહજતા અને સખ્ય હતું એવું સેમ સાથે નહોતું અનુભવાતું! આ વિભાજિત જિંદગી મારા હિસ્સામાં જ કેમ આવી એ મારા માટે, ખૂબ જ અકળાવનારો, મોટો કોયડો હતો. છતાં પણ, દિલીપને હું પ્રપોઝ કર્યા વિના રહી ન શકી. મને એનો સાથ હજી માત્ર મીસ જ નહોતો થતો પણ ઊંડેઊંડે જોઈતો પણ હતો. મને થયું મારે કોઈને તો આ વાત કરવી જોઈએ, પણ કોને? સીતા પણ સૂઈ ગઈ હતી. એક ક્ષણ તો થયું, સીતાને ઊઠાડીને એને ડંકાની ચોટ પરથી કહું, “આઈ એમ ગેટીંગ મેરીડ ટુ માય દિલીપ, ફાઈનલી!” મને દિલીપના છેલ્લા દિવસોમાં એની સાથે રહેવાનો અને એનું સંપૂર્ણ સાયુજ્ય હકથી માણવાનો મોકો મળી રહ્યો હતો એ પ્રભુની અસીમ કૃપા વિના આ જનમમાં તો શક્ય જ ન હતું. ઋચા અને રવિને કહીશ ત્યારે એ બંને જણાનો પહેલો તાત્કાલિક પ્રતિભાવ શું હશે એનો અંદાજ પણ મને હતો. હું થોડીક નર્વસ પણ હતી. હવે ઊંઘ તો આવવાની નહોતી. ૧૯૭૮ ચોવીસમી મે ને હજુ પાંચ દિવસની વાર હતી. લોકો શું કહેશે એની પરવા કરતાં પણ, હું આમ આટલો મોટો નિર્ણય કેવી રીતે કરી શકી અને દિલીપને ઓન ધ સ્પોટ કહી શકી, એનું અચરજ મને જ વધુ હતું. મારે હવે આવતી કાલની સવારનો અને પછી ૧૯૭૮ની સાલની ૨૪મી મે નો ઈંતજાર કરવાનો હતો. આ રાત આટલી ધીમી ગતિથી કેમ જાય છે? મને સાચે જ હજી પણ રાત નથી ગમતી..!

Continue reading પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૪-ખાલીપો- એક રેસ

પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૩-યાદગાર વર્ષ

યાદગાર વર્ષ

દિલીપ અમેરિકા ગયો. રવિ, ઋચા અને મારી વચ્ચે ધાજી અને અદાના ઈનવેસ્ટમેન્ટસ અને બિઝનેસ, બધું જ સમેટવાનું કામ પણ ઘણું હતું. દિલીપ અને રવિ-ઋચાને મારી કાબેલિયત પર ભરોસો મારાથી વધુ હતો. મેં એ સહુને મજાકમાં કહ્યું પણ હતું કે, મારી ઈકોનોમીક્સ અને બિઝનેસની તાલીમને કારણે, મારી સમજણ તમારાથી વિશેષ છે એ તમારા સહુના મગજમાં કેવું સરસ ઠસાવી દીધું છે! તો મારી ખરી કાબેલિયતની, એટલે કે, તમને સહુને સહેલાઈથી કન્વીન્સ કરવાની મારી શક્તિની તમને ખબર પણ પડી નહીં પણ, મારા પરના અનકન્ડીશનલ પ્રેમને કારણે એ ત્રણેયને આમ ઈમ્પ્રેસ કરવા સાવ સહેલું હતું. દિલીપના ફોન રોજ આવતા. તો, હું એને ચીઢવવા કહેતી પણ ખરી, કે, અદાની બધી જ મિલકત હું હડપી જઈશ તો? એનો જવાબ હંમેશાં એક જ રહેતો, “જે તારું છે એને હડપી જવામાં શું ધાડ મારી? જે તારા પોતાના ન હોય એમની મિલકત હડપી બતાવ તો જાણું!” વાત ત્યાં જ અટકી જતી. ૧૯૭૩ની એ સાલ હતી. ત્યારે, ક્યારેક મનમાં વિચાર આવતો પણ ખરો, કે આજથી ચાલીસ વર્ષો હું ક્યાં હોઈશ, શું જિંદગી મને એની સાથે લઈને સતત ચાલતી રહેશે કે કોઈક અજાણ્યા મોડ પર જિંદગી સ્થગિત થશે એની સાથે હું પણ અટકી જઈશ? તે સમયે મમ્મીના બોલ યાદ આવી જતાં, “સુલુ, અટકતી નહીં, ક્યારેય અને ક્યાંય પણ. વહેતું પાણી કદી વાસી નથી થતું! જ્યારે હું પણ નહીં હોઉં ત્યારે પણ, મને તો ખાતરી છે કે તું સદા માટે ચાલતી રહીશ અને રસ્તા પોતાની મેળે ઉઘડતા રહેશે!” હું ત્યારે છણકો કરીને કહેતી કે, “મને છે ને, તારી આ જ રીત નથી ગમતી! માણસ પાસેથી બધાં જ ઓપશન્સ લઈ લેવાના અને પછી કહેવાનું કે, તું જાતે જ સતત ચાલતાં રહેવાનું પસંદ કરે છે તો ખુશ રહે!” મમ્મીએ ટપલી મારીને કહ્યું, “મમ્મીના હોદ્દાનો કઈંક તો ફાયદો હોયને?” તે દિવસે મને થયું, “મમ્મી, એકવાર પાછી આવ અને એકવાર મને કહે કે આજથી ત્રીસ ચાલીસ સાલ પછી હું જે પણ મોડ પર હોઈશ ત્યાં મારે સતત આગળ ચાલતાં જ રહેવાનું છે. આઈ પ્રોમિસ, હું તારા પર કોઈ ગુસ્સો કે સ્નેપીંગ નહીં કરું! બસ, એકવાર આવી જા!” મમ્મી તો નહોતી આવવાની પણ વણ-બોલાવ્યા મહેમાન જેમ આંસુ આંખોમાં આવી ગયાં હતાં!

Continue reading પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૩-યાદગાર વર્ષ

પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૨-ગર્ભદ્વાર, એક અજાણી સીમનું!

ગર્ભદ્વાર, એક અજાણી સીમનું!

અદા, ધાજીમા અને ડ્રાઈવરકાકા, ત્રણેયને સાજા થવામાં સમય તો લાગવાનો હતો. હું વેઈટિંગરૂમ અને આઇ.સી.યુ.ની વચ્ચે આંટા મારતી હતી, પણ, એક બેચેની મારો પડછાયો બનીને, મારો પીછો કરી રહી હતી એ મારા મોઢા પર અને બોડી લેંગ્વેજમાં સાફ દેખાતું હતું. મારા જેવા અનેક એ વેઈટિંગરૂમ હતાં પણ, સહુના હાવભાવમાં એક અનિશ્ચિતતાનું સામ્રાજ્ય હતું. મને એટલી તો ખાતરી હવે થવા માંડી હતી કે રવિ અને ઋચા સાંજના પાંચ વાગ્યા સુધી આવી જાય તો ડ્રાઈવરકાકાને કદાચ કાલે મુંબઈ લઈ જઈ શકાશે, પ્ણ, અદા અને ધાજીમાને આ હાલતમાં મુંબઈ લઈ જવાનું મુશ્કેલ હતું. ધાજી અને અદાને, બેઉને સતત લોહી આપી રહ્યા હતાં. લગભગ બે વાગે, ડોક્ટરે મને એમની ઓફિસમાં બોલાવી.

Continue reading પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૨-ગર્ભદ્વાર, એક અજાણી સીમનું!

પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૧-વેઈટિંગરૂમ

વેઈટિંગરૂમ

     સુરત એરપોર્ટ પહોંચીને, હું સીધી સિવિલ હોસ્પિટલ જવા માટે ટેક્સીમાં બેઠી. ત્યાં પહોંચતાં સુધીમાં, મને અંદરથી ખૂબ જ ગભરાટ થતો હતો અને સારા-માઠાં અનેક વિચારોના વમળોમાં હું ઝોલાં ખાતી હતી. મનમાં કોણ જાણે કેમ, પણ એવું થતું હતું કે અદા અને ધાજી, બેઉ ભાનમાં નહીં હોય તો? દિલીપને શું કહીશ? મારે રવિ અને ઋચાને કહીને નીકળવાનું હતું. જો એ બેઉ અને ડ્રાઈવરકાકા ઊભા થઈ શકવાની હાલતમાં હોય તો મુંબઈ લઈ જવા જ ઠીક પડે પણ મારે મુંબઈથી નીકળતાં પહેલાં, રવિ-ઋચા સાથે વાત કરી લેવી જોઈતી હતી. આજે પહેલીવાર મને થયું કે સાચે જ મારો પણ કોઈ જીવનસાથી હોત તો આમ જીવનના કપરા સમયમાં એકલા ન પડી જવાત…! આમ જાતજાતના સંબંધિત અને અસંબંધિત ખ્યાલોમાં મારું મન ભટકતું હતું! જોધપુર નીકળવાની બપોરે, ધાજી અને અદા સાથે થયેલો એ સંવાદ પણ મને યાદ આવ્યો. ધાજી અને અદા જોધપુર જવા તે દિવસે સાંજના સાડા પાંચ વાગે નીકળવાના હતાં, એટલે હું ઓફિસથી જલદી આવી, એમના ઘરે, એમને મળવા ગઈ અને મેં બેઉને કહ્યું પણ ખરું, “તમે સાંજના કેમ નીકળો છો? કાલે સવારે જાઓ.”

Continue reading પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૧-વેઈટિંગરૂમ

પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૦-સાચે જ શું બધું જ સારું થશે?

સાચે શું બધું સારું થશે?

મમ્મી ગઈ…! એ જૂન મહિનાની ૯મી તારીખ અને ૧૯૭૧ની સાલ હતી. આખા ઘરમાં મારી અને મમ્મી-પપ્પાની ભરપૂર યાદો સાથે પાર્વતીમાસીની પણ યાદો જોડાયેલી હતી. મારું બાળપણ, કિશોરાવસ્થા, મુગ્ધાવસ્થા, જુવાની અને અચાનક જ પરિપક્વ થવાની પ્રક્રિયા પણ આ ઘરના અણુએ અણુમાં સમાયેલી હતી. મારો જોબ અને મારા બોસ તથા કલીગસ બધાં જ ખૂબ જ સારા હતાં. મમ્મીના ગયા પછી કામ પર પાછા ચડવાનું અત્યંત મુશ્કેલ હતું અને કામમાં જીવ પરોવવાનું એથી પણ વધુ તકલીફદેહ હતું, પરંતુ, મારા જોબ પર મને જે રીતે સહુએ સહકાર આપ્યો એના માટે હું કાયમ જ એ બધાંની ઋણી બની ગઈ હતી. જે રીતે ૠચા અને રવિ મારી પડખે આ સમય દરમિયાન ઊભા રહ્યાં હતાં, કદાચ મારા સગા ભાઈ-ભાભી કે બહેન-બનેવી પણ ન ઊભ રહેત. ધાજીમા અને અદાએ મારા માટે એમના માતૃપ્રેમ અને પિતૃપ્રેમનો ખજાનો સાવ ખુલ્લો મૂકી દીધો હતો. ધાજીની આંખોમાંથી તો મહિનાઓ સુધી આંસુ સૂક્યાં નહોતાં. ક્યારેક મને એવું લાગતું કે ધાજીમા કઈં પણ બોલતાં નહોતાં પણ મમ્મીના ગયા પછી, મનમાં હિજરાયા કરતાં. મને ત્યારે પહેલીવાર સમજાયું કે મમ્મી અને ધાજીમા એકેમેકના કદાચ બેસ્ટ ફ્રેન્ડ્સ હતાં. અદાનો સ્વભાવ ખૂબ જ કડક અને ક્રોધીલો હતો પણ વિપદ પડે એમણે અમારા કુટુંબનો સાથ વફાદારીથી નિભાવ્યો હતો. તે છતાંયે, મને હંમેશાં એવું લાગતું કે અદા ધાજીમા માટે એક પતિ તરીકે હોવા જોઈએ એટલા સમભાવી અને સપોર્ટીવ નહોતા. ધાજીમાને એ સપોર્ટ – સહારો કદાચ, મમ્મી પાસેથી મળ્યો. મારી અને ધાજીની ખોટની તુલના અનાયસે એકલી હોઉં ત્યારે થઈ જતી તો મને છાની અસૂયા પણ થતી કે, મમ્મી મારી તો હતી સાથે, ધાજી સમેત, અનેકોના જીવનને, આટલી મીનિંગફુલ રીતે સ્પર્શીને અનેકોની બની શકી હતી. દિલીપ ઈચ્છવા છતાંયે આવી શકે એમ ન હતો. ઈંદિરાને એકલાં મૂકાય તેમ હતું નહીં અને એને અહીં લાવી શકાય એમ પણ શક્ય નહોતું. હા, દિલીપનો સવાર-સાંજ ફોન જરૂર આવતો. સેમ સાચે જ મારા પ્રેમમાં હતો અને મારા આ મુસીબતના દૌરમાં એની રીતે સપોર્ટીવ થવાની કોશિશ પણ કરતો. એક વાત એટલી જ સાફ થઈ ગઈ હતી કે મારી અને દિલીપ વચ્ચે જે બે આત્માનું ઐક્ય હતું, એ ઐક્ય હું સેમ સાથે અનુભવતી નહોતી. આ સમજ તો પહેલીવાર જ્યારે મને એના તરફ આકર્ષણ થયું ત્યારે પણ હતી અને હવે એ સમજણ સમય સાથે વધુ પરિપક્વ થઈ હતી. મમ્મી હતી ત્યારે પણ સેમ સાથે જ્યારે વાત થતી ત્યારે સેમને પણ જુદાજુદા સમયે મેં આ જ વાત જુદીજુદી રીતે ન જાણે કેટલીવાર કહી હતી. “સેમ, હું, ખોટી રીતે તને લીડ કરવા નથી માગતી. તું કહે છે કે તને મારા માટે સાચો પ્રેમ છે પણ મને તો તારા માટે લાઈકીંગ છે, એટ્રેક્શન છે, બસ. એનાથી આગળ વધુ કશું જ નથી. તું લગ્ન કર કે કોઈ રીલેશનશીપમાં હોય તો પણ મને દુઃખ નહીં થાય.  તારી જિંદગી મારી રાહ જોવામાં બરબાદ નહીં કર. મારે તને આ ચોખવટ ફરીફરીને કરવી પડે છે, જેથી તને એમ ન થાય કે હું તારો ખોટો એડવાન્ટેજ લઈ રહી છું.”

સેમ હસીને કહેતો, “માય ડિયર, નો વન કેન ટેઈક એડવાન્ટેજ ઓફ એની વન વ્હેન યુ આર ઈન લવ..!” અને વાત પૂરી થઈ જતી. મમ્મીના ગયા પછી સેમના કોઈ પણ પેટર્ન વિના આવતાં ફોનકોલસ પણ નિયમિત થઈ ગયાં હતાં.

Continue reading પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૦-સાચે જ શું બધું જ સારું થશે?

પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૧૯ – સરાસર અંચી!

સરાસર અંચી!

                           મારા કાનમાં મમ્મીના અવાજના ભણકારા વાગી રહ્યા હતા કે “ડો. મોમિને આપણને કાલે સાંજના ચાર વાગ્યા સુધી એમને જણાવવાનું કહ્યું છે. હજી એક આખો દિવસ બાકી છે, ડરવાનું શું?” મને મમ્મીની ઈચ્છાશક્તિ ઉપર સંપૂર્ણ ભરોસો હતો. એના અવાજના ભણકારા મને એક શાતા આપી ગયા કે મમ્મી સાજી થશે જ. પાર્વતીમાસીએ ડિનર બનાવી રાખ્યું હતું. રવિએ કહ્યું, “આજે રાતે હું કોલ પર છું તો જમીને સીધો હોસ્પિટલ જતો રહીશ. ઋચા, કાલે તને રજા છે તો તું રહી જા આજે સુલુ અને માસી પાસે. આ રીતે, વર્ષો પછી, તમે ત્રણેય ક્વૉલિટી ટાઈમ સાથે સ્પેન્ડ કરી શકશો.” મમ્મી બોલી, “ઋચા, તેં સાચે જ, આ જન્મે કે પાછલા જન્મે ખૂબ પુણ્યો કર્યા હશે, અથવા, વડીલોના આશિર્વાદ તારા પર હશે, નહીં તો આવો સમજદાર પતિ શોધવા જાત તોયે ન મળત!” રવિ મમ્મીને હગ આપીને બોલ્યો, “આઈ લવ યુ માસી!” હું થોડુંક લુચ્ચું હસીને બોલી, “મમ્મી, વડીલોના આશિર્વાદ જ હશે…! નહીં તો, ઋચાડી અને આ જન્મ કે પાછલા જન્મોના પુણ્યો….? નોટ અ ચાન્સ..!”

Continue reading પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૧૯ – સરાસર અંચી!