Category Archives: પન્નાલાલ પટેલ

“વાર્તાનો વૈભવ” – વાત્રકને કાંઠે – પન્નાલાલ પટેલ

વાત્રકને કાંઠે – પન્નાલાલ પટેલ

સંધ્યાએ આભલાંને આજ ગેરુઆ રંગથી આખાય રંગી નાખ્યાં હતાં. ઘરે પડીને વહેતાં વાત્રક નદીના આસમાની નીર લાવા સરખાં બની રહ્યાં. જમણા કાંઠે ઉપર આવેલી પેલી ટેકરી ઉપરના એકલા ઘરનાં નળિયાં ઉપર સોનેરી ઢોળ ચડ્યો. પેલી બાજુની તળેટીમાં ઊડતી ગોરજનું પણ ઘડીભર માટે ગુલાલ બની ગયું. અરે, કારતક મહિનાની ટાઢને પણ આજની સંધ્યાએ જાણે ફુલગુલાબી બનાવી દીધી. Continue reading “વાર્તાનો વૈભવ” – વાત્રકને કાંઠે – પન્નાલાલ પટેલ

“વાર્તાનો વૈભવ” – (૨- અનુસંધાન ) – પન્નાલાલ પટેલ

સાચી ગજિયાણીનું કાપડું – (ગતાંકથી ચાલુ)

(આગલા પ્રકરણમાં આપે વાંચ્યું કેઃ  નિમ્ન જાતિનો લખુડો શેઠ શિવલાલની ગામની એકની એક હાટડીએ આવે છે, સાચી ગજિયાણી** નું કાપડું લેવા. (**ગજિયાણી- એ નામનું એક જાતનું રેશમી કાપડ) લખુડાના વાસમાં, કાકાના ઘેર રહેતી, મનિયા અને જમનીની દીકરીનું આણું હતું. મનિયાના કોગળિયામાં થયેલા અકાળ મરણ પછી, એની ઘરવાળી જમનીએ, દસ વરસની છોકરીને એના કાકા પાસે છોડીને નાતરું કર્યું. લખુડો અને એ છોકરી ભેગા રમીને મોટાં થયાં હતાં. લખુડો પોતાની બાળપણની ભેરુને એના આણાં વખતે, એ નમાઈ છોકરીને સાચી ગજિયાણીનું કપડું પહેરામણીમાં આપવા માગતો હતો. એ લેવા જ એ શિવલાલશેઠની દુકાને આવે છે. એની પાસે હમણાં તો પૈસા નથી અને એ એવી આશા પણ રાખે છે કે શેઠ એને આ કાપડું ઉધાર આપશે. શેઠ સાચી ગજિયાણી અને ભરત ભરેલા કાપડ બતાવે છે. હવે અહીંથી વાંચો આગળ) Continue reading “વાર્તાનો વૈભવ” – (૨- અનુસંધાન ) – પન્નાલાલ પટેલ

“વાર્તાનો વૈભવ” – (૨) – સાચી ગજિયાણી**નું કાપડું – પન્નાલાલ પટેલ

(પન્નાલાલ પટેલ (૧૯૧૨-૧૯૮૯) ગુજરાતી સાહિત્યનું એ નામ છે કે જે આવનારી અનેક પેઢીઓમાં ખૂબ આદરપૂર્વક લેવાતું રહેશે. ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત લેખક શ્રી પન્નાલાલ પટેલ પોતાના લેખન કર્મને એક ચમત્કાર જ ગણાવતા. એક ખેડૂતપુત્ર આઠ ચોપડી ભણીને ઊઠી જાય, જીવનની જંજાળમાં જોડાઈ જાય અને ઉમાશંકર, સુન્દરમના સંકેતે-સાહચાર્યે એમની સર્જક-ચેતના સંકોરતાં એક પછી એક કલાકૃતિઓ આપે, એવી જાદુભરી ઘટના સાહિત્યજગતમાં વારંવાર બનતી નથી. Continue reading “વાર્તાનો વૈભવ” – (૨) – સાચી ગજિયાણી**નું કાપડું – પન્નાલાલ પટેલ