પ્રીતિ સેનગુપ્તા – પરિચય
પ્રીતિ સેનગુપ્તા ગુજરાતી કવિયત્રી, વાર્તાકાર, નવલિકાકાર અને લેખિકા છે. તેમણે અનેક સુપ્રસિદ્ધ પ્રવાસવર્ણનો લખ્યા છે. કાકાસાહેબ કાલેલકર પછી, એવી જ ઉચ્ચ કક્ષાના પ્રવાસવર્ણનો લખીને, એમણે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે, જેને માટે આવનારી પેઢી એમને કાયમ યાદ રાખશે. ઉત્તર ધ્રુવનો પ્રવાસ કરનારા પ્રથમ ભારતીય ને એ પણ ગુજરાતી સ્ત્રી તરીકે એમણે ભારતનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ૨૦૦૬માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.
આ ઉપરાંત પણ, એમને મળેલા પારિતોષિકોનું લીસ્ટ ખૂબ લાંબુ છે, જે અહીં વિગતવાર આપવું શક્ય નથી. તાજેતરમાં ૨૦૧૯માં એમને પ્રતિષ્ઠિત નંદશંકર (નર્મદ) ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. આ ચંદ્રક પહેલીવાર અમેરિકા સ્થિત કોઈ સાહિત્યકારને આપવામાં આવ્યો છે.
તેમણે ‘અશક્ય’ અને ‘નામુમકિન’ ઉપનામો હેઠળ સર્જન કર્યું છે.
“પૂર્વ” તેમનું પ્રથમ પ્રવાસ વર્ણન, ૧૯૮૬માં પ્રગટ થયું હતું, તે પછી તેમના અનેક પ્રવાસ વર્ણનો પ્રગટ થયા છે. તેમણે અંગ્રેજીમાં પણ પ્રવાસ વર્ણનો લખ્યા છે.
તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘જુઇનું ઝુમખું’ (ગીત અને ગઝલ સંગ્રહ) ૧૯૮૨માં પ્રગટ થયો હતો. ત્યાર પછી ‘ખંડિત આકાશ’ (૧૯૮૫, મુક્ત ગીતોનો સંગ્રહ) અને’ ઓ જુલિયટ’ પ્રગટ થયા હતા. ‘એક સ્વપ્નનો રંગ’ તેમનો વાર્તા સંગ્રહ છે.
‘અવર ઇન્ડિયા’ તેમનું છબીકલા પરનું પુસ્તક છે.
થોડા સમય પહેલાં, આપણે એમની ટૂંકી વાર્તાઓનો લાભ લીધો હતો અને આજે મને ખૂબ જ આનંદ છે કે એમના જેવા સંપૂર્ણ સાહિત્યકારની નીવડેલી અને સક્ષમ કલમનો લાભ નવલકથા રૂપે આપણને ફરી મળી રહ્યો છે. તારીખ જુલાઈ ૬, ૨૦૨૦, સોમવારથી એમની નવલકથા “બે કાંઠાની અધવચ” આપણે શરૂ કરી રહ્યાં છીએ. પ્રીતિબેનનું “દાવડાનું આંગણું”માં ખૂબ આદરપૂર્વક સ્વાગત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું. આશા રાખું છું કે આપ સહુ આ નવલકથાને ખુલ્લા દિલે આવકારશો અને માણશો.
જયશ્રી વિનુ મરચંટ (સંપાદક)
બે કાંઠાની અધવચ
પ્રકરણ ૧:
ટેલિફોન્ની ઘંટડી વાગતી રહેલી – એક, બે, ત્રણ
ઓહ્હો, સચિન અકળાવા માંડેલો.
ઓહ્હો, એ લેતી કેમ નથી? અંજલિને ચીઢ ચઢવા માંડેલી
ઓહ્હો, લઉં છું, કેતકી ફોનને કહેતી કહેતી રીસિવર ઉપાડવા દોડેલી.
Continue reading બે કાંઠાની અધવચ- પ્રીતિ સેનગુપ્તા →
Like this:
Like Loading...