Category Archives: રાઘવ કનેરિયા

વિશિષ્ટપૂર્તિ. ડૉ.રાઘવ કનેરિયાને અભિનંદન.

http://વિશિષ્ટપૂર્તિ. ડૉ.રાઘવ કનેરિયાને અભિનંદન.

શિલ્પકાર રાઘવ કનેરિયા.….સંપાદનઃ સરયૂ પરીખ

સ્નેહી મિત્રો,
ભારતના કલાક્ષેત્રે વડોદરાની ફાઇન આર્ટસ કોલેજના શિક્ષકો તથા વિદ્યાર્થીઓનો ફાળો ઘણો મોટો રહ્યો છે. તેમાના એક, પ્રાધ્યાપક રાઘવ કનેરિયા વિદ્યાર્થી હતા ત્યારથી જ ઘણા પુરસ્કારો અને સન્માનો મેળવતા રહ્યા છે. તેવા પુરસ્કારોની હારમાળમાં એક નવું પુષ્પ હાલમાં જ ઉમેરાયું છે. તે જાણીને મારી જેમ જ બધા કળા પ્રેમીઓને આનંદ થશે. પશ્ચિમ બંગાળની રવીન્દ્ર ભારતી યુનિવર્સિટિ તરફથી રાઘવ ભાઈ ને માનદ પદવી- ડૉક્ટરેટ અપાઈ છે.
શુભ નવરાત્ર. કદાચ આજે કેટલાક લોકો ભૂલી ગયા છે કે ગુજરાતમાં ફેલાઈને મુંબઈ સુધી વ્યાપેલ ગરબાનાં આજના સ્વરૂપના  બીજ ઠેઠ 1950ના દાયકામાં ફાઇન આર્ટસ કોલેજમાં રોપાયેલા. તેને વિકસાવનાર માળીઓમાં રાઘવભાઈએ  સિંહ  ફાળો આપેલો.  
તમારા કળા રસિક મિત્રોને આ સમાચાર જણાવશો. ..જ્યોતિ ભટ્ટ.   28 ઓક્ટોબર 2020


ડૉક્ટર રાઘવ કનેરિયાને દાવડાના આંગણાના સાહિત્ય અને કલા રસિક મિત્રો તરફથી અભિનંદન.

હાલમાં તેમના પત્ની શકુંતલા સાથે વડોદરામાં છે.
સંપર્ક માટે તેમના પુત્ર અંકુરની ઈમેઈલ…AnkurKaneria@hotmail.com

૨૦૧૮માં શ્રી દાવડાસાહેબ દ્વારા પ્રકાશિત શ્રી રાઘવભાઈ કનેરિયા વિષેના લેખોને ઘણો આવકાર મળેલ. દાવડાસાહેબ મહિનાઓ પછી પણ આશ્ચર્ય-આનંદ સાથે કહેતા કે કનેરિયાભાઈના વિભાગને હજી સુધી લોકો જોતા રહ્યા છે. એ પ્રકાશનો અહીં ફરીને મ્હાણીએ

વિભાગ-૧

રાધવ કનેરિયાનો જન્મ ૧૯૩૬માં એક ગરીબ ખેડૂત કુટુંબમાં થયો હતો. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી ૧૯૫૫ માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઈન આર્ટસ કોલેજમાં જોડાયા. એ જ વરસે એમની સાથે જોડાયેલા અને પછીથી મોટા કલાકારો તરીકે જાણીતા થયેલા અન્ય વિદ્યાર્થીઓ હતા જ્યોતિ ભટ્ટ, હિંમત શાહ, ગુલામમોહમ્મદ શેખ, વિનોદ શાહ, કૃષ્ણ છાતપર અને વિનોદરાય પટેલ. એમના અધ્યાપકો હતા માર્કંડ ભટ્ટ, એન.એસ. બેન્દ્રે, શંખો ચૌધરી અને કે. જી. સુબ્રમન્યમ જે બધા જ ભારતના કલાજગતના ખુબ જ મોટા નામો છે.

જ્યોતિભાઈ અને રાઘવભાઈની પ્રથમ વર્ષમાં જ પાકી દોસ્તી થઈ ગઈ. ૧૯૫૬ માં જ્યોતિભાઈને યુનિવર્સીટીના પ્રાણીશાસ્ત્ર વિભાગમાં એક મોટું મ્યૂરલ (ભીંતચિત્ર) તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું. જ્યોતિભાઈએ આ કામ માટે અન્ય બે મિત્રો અને રાઘવભાઈને મદદનીશ તરીકે લીધા. એમાંથી જે મહેનતાણું મળ્યું એ ચારે જણાએ વહેંચી લીધું. ત્યારે રાઘવભાઈની આર્થિક પરિસ્થિતી સારી ન હતી, અને અભ્યાસ છોડી દેવાનો વિચાર પણ આવ્યો હતો, પણ આ મહેનતાણું મળતાં એમને રાહત થઈ હતી.
વધું વાંચો…શિલ્પી રાઘવ કનેરિયા-૧ ( પી. કે. દાવડા )

વિભાગ-૨

શિલ્પ સિવાય રાધવભાઈના અન્ય શોખમાં ચિત્રકળા, ફોટોગ્રાફી અને ફોક મ્યુઝિક છે. એમના મોટા ભાગના સ્કલ્પચર્સ સ્ટિલ, બ્રોન્ઝ અને બ્રાસથી તૈયાર કરવામાં આવ્યા છે. પ્રિન્ટમાં ફાયર વર્ક કરીને તૈયાર કરેલ પ્રિન્ટ, પેન્સિલ અને ક્રેયોન ડ્રૉઇંગ્સનો સમાવેશ થાય છે.

(૧૯૭૪ માં રાઘવભાઈ પોતાના એક શિલ્પને ગ્રાઈંડ કરી રહ્યા છે.) આગળ વાંચો..શિલ્પી રાઘવ કનેરિયા-૨ ( પી. કે. દાવડા 

વિભાગ–

રાઘવભાઈના શિલ્પોમાં એમના નંદી અને વાછરડાં ખુબ પ્રસિધ્ધ છે. આજના એપીસોડમાં આપણે આવા ચાર શિલ્પ જોઈએ.

કુદાકુદ કરીને પોતાનો આનંદ વ્યક્ત કરતાં વાછરડાંનું શિલ્પ કાંસાનું છે. 15″×13″× 28″ ના શિલ્પને લાકડાના પ્લેટફોર્મ ઉપર Mount કરવામાં આવ્યું છે. શિલ્પનું શ્રી બાબુ સુથારે કરેલું અવલોકન પ્રમાણે છે.

ગતિ અને એમાં પણ પુનરાવર્તિત થતી ગતિને શિલ્પ જેવા સ્થિર માધ્યમમાં પ્રગટ કરવાનું કામ સાચે જ અઘરું છે. અહીં શિલ્પકારે એ કામ કર્યું છે. વાછરડાના સ્નાયુઓ પર નજર કરો. એમાં રહેલું tension ગતિ, એ પણ પુનરાવર્તિતિ ગતિ,નું સૂચન કરે છે. માથું નીચે. પૂંછડી ઉપર . અદભૂત સમતુલા.” આગળ વાંચો… શિલ્પી રાઘવ કનેરિયા-૩ ( પી. કે. દાવડા અને શ્રી બાબુ સુથાર )

વિભાગ-૪

ચિત્રમાં રાઘવભાઈ એક ધાતુના શિલ્પ ઉપર કામ કરી રહ્યા છે. એમની એકાગ્રતાને લઈને જાણે કે શિલ્પનો એક ભાગ બની ગયા છે. ચિત્ર મેં એટલા માટે પસંદ કર્યું છે કે જેથી વાંચકોને જાણ થાય કે શિક્પકારે માત્ર માનસિક નહીં પણ શારીરિક શ્રમ પણ ખૂબ કરવો પડે છે.

સાથે શિલ્પકળાની શ્રેણી હાલ પુરતી પુરી કરૂં છું. આશા છે કે શ્રી નરેંદ્ર પટેલ અને શ્રી રાઘવ કનેરિયા જેવા બે જગપ્રસિધ્ધ શિલ્પકારોની શિલ્પકળા તમને સૌને ખૂબ ગમી હશે. આગળ વાંચો… http://શિલ્પી રાઘવ કનેરિયા-૪ (અંતીમ) – પી. કે. દાવડા

પી. કે. દાવડા

શિલ્પી રાઘવ કનેરિયા-૪ (અંતીમ) – પી. કે. દાવડા

ગણેશ: ગણપતિ કદાચ સૌથી વધારે plastic દેવ છે આપણા. એમનાં અનેક રૂપો લોકોએ, કળાકારોએ કલપ્યાં છે. અહીં symmetryની મદદ. માથું નાનું ને દુંદ અતિશય મોટી. એમ છતાં બન્ને વચ્ચે સંવાદિતા. કાંસાના માધ્યમમાં આ પ્રકારની grace ઊભી કરવાનું કામ અઘરું છે. આભૂષણો. શ્રીફળના આકારે ગણપતિની મૂર્તિ. લોકકળામાં હોય છે એવા હાથ અને પગ. ખરેખર અદભૂત સંયોજન છે. ૨૦” X ૨૦” x ૩૦ની કાંસાનું શિલ્પ ખરેખર એક ઉત્કૃષ્ટ શિલ્પનો નમૂનો છે.

લોખંડના શિલ્પમાં એક ઊંડો વિચાર વ્યકત થાય છે. બીજમાંથી ફૂટતો ફણગો અથવા અંકુરિત થતું અનાજનું બી. રાઘવભાઈ કહે છે, “તેમાં ફણગો ફૂટતી વખતે બીજમા કેવા ફેરફાર થતાં હોય છે  તે મારી કલ્પના શક્તિ  દોડાવીને કૃતિ બનાવી છેસૌથી નીચે એક બીજ દેખાય છે. ધરતીની નીચે છે દર્શાવવા ઉપર એક ગોળાકાર નક્કર આકાર મુકવામાં આવ્યું છે અને એની ઉપર બીજમાંથી ફૂટી નીકેળેલો ફણગો દેખાય છે. ધાતુ જેવી કઠણ વસ્તુમાં આટલો નાજુક વિચાર વ્યક્ત કરવાનું અઘરૂં કામ અહીં રાઘવભાઈએ સારી રીતે પાર પાડ્યું છે. ૫૬ઊંચા શિલ્પની પહોળાઈ અને જાડાઈ ૩૩અને ૧૫છે.

હવે વિચાર ઉપર આધારિત ફૂટ ઊંચું, જાહેર જગ્યામાં મૂકાયલું શિલ્પ જુવો. અહીં પણ અંકુરિત થતાં બીજનો ઉંચો ફણગો દર્શાવ્યો છે. એક શિલ્પકાર, એક વિચાર પણ અભિવ્યક્તિના કદ અને આકાર તદ્દન જુદા. શિલ્પને આપવામાં આવેલા કેસરી રંગમાં પણ કંઈક સંદેશ તો હશે , પણ એને સમજવા આપણે રાઘવભાઈની ઊંચાઈએ પહોંચવું જોઈએ.

Reclining Woman નામનું લાકડાન બેઝ ઉપર જડેલું કાંસાનું શિલ્પ છે. ૧૫”X ૧૨” X ૧૮નું શિલ્પ Modern Art નો નમુનો છે. હાથ પાછળ રાખી એના ટેકે પોઝ આપતી સ્ત્રી છે કે આરામ કરતી સ્ત્રી છે? સ્ત્રીના અંગ ઉપાંગ અને એના વસ્ત્રોની કરચલીઓ વગેરેને ધાતુમાં ઢાળવી કેટલું અઘરૂં કામ છે એક શિલ્પકાર સમજી શક.

અને અંતમાં

ચિત્રમાં રાઘવભાઈ એક ધાતુના શિલ્પ ઉપર કામ કરી રહ્યા છે. એમની એકાગ્રતાને લઈને જાણે કે શિલ્પનો એક ભાગ બની ગયા છે. ચિત્ર મેં એટલા માટે પસંદ કર્યું છે કે જેથી વાંચકોને જાણ થાય કે શિક્પકારે માત્ર માનસિક નહીં પણ શારીરિક શ્રમ પણ ખૂબ કરવો પડે છે.

સાથે શિલ્પકળાની શ્રેણી હાલ પુરતી પુરી કરૂં છું. આશા છે કે શ્રી નરેંદ્ર પટેલ અને શ્રી રાઘવ કનેરિયા જેવા બે જગપ્રસિધ્ધ શિલ્પકારોની શિલ્પકળા તમને સૌને ખૂબ ગમી હશે.

પી. કે. દાવડા

શિલ્પી રાઘવ કનેરિયા-૩ ( પી. કે. દાવડા અને શ્રી બાબુ સુથાર )

એપીસોડ

રાઘવભાઈના શિલ્પોમાં એમના નંદી અને વાછરડાં ખુબ પ્રસિધ્ધ છે. આજના એપીસોડમાં આપણે આવા ચાર શિલ્પ જોઈએ.

કુદાકુદ કરીને પોતાનો આનંદ વ્યક્ત કરતાં વાછરડાંનું શિલ્પ કાંસાનું છે. 15″×13″× 28″ ના શિલ્પને લાકડાના પ્લેટફોર્મ ઉપર Mount કરવામાં આવ્યું છે. શિલ્પનું શ્રી બાબુ સુથારે કરેલું અવલોકન પ્રમાણે છે.

ગતિ અને એમાં પણ પુનરાવર્તિત થતી ગતિને શિલ્પ જેવા સ્થિર માધ્યમમાં પ્રગટ કરવાનું કામ સાચે જ અઘરું છે. અહીં શિલ્પકારે એ કામ કર્યું છે. વાછરડાના સ્નાયુઓ પર નજર કરો. એમાં રહેલું tension ગતિ, એ પણ પુનરાવર્તિતિ ગતિ,નું સૂચન કરે છે. માથું નીચે. પૂંછડી ઉપર . અદભૂત સમતુલા.

બેસવા જતા નંદીનું શિલ્પ 33″ ×17″ × 48″ નું સ્ટેઈનલેસ સ્ટીલ છે. લાગે છે કે મેટલ પ્લેટ ઉપર માઉંટ કરેલું છે. બેસવા જતા નંદીના શિલ્પમાં સમયની એક ક્ષણ જાણે કે કેદ થઈ ગઈ છે. ફોટોગ્રાફીમાં શક્ય છે, પણ શિલ્પમાં ખૂબ અઘરૂં છે. ઘૂંટણથી વળેલા આગળના બે પગ, ઊંચી ડોક, પાછળ તરફ ઢળેલા શિંગડા, ઉંચી ઉપાડેલી પૂંછ, કેટ કેટલું બારીક નિરિક્ષણ કરીને રાઘવભાઈએ શિલ્પને મૂર્ત સ્વરૂપ આપ્યું છે?

નંદિની સુંદરતા, તાકાત અને છટાનું નિરુપણ કરતું આ શિલ્પ સ્ટેઈનલેસ સ્ટીલમાથી બનાવેલ છે. સુંદર શિલ્પનું અવલોકન પણ મેં શ્રી બાબુ સુથાર પાસેથી કરાવ્યું છે. બાબુભાઈ લખે છે,

ગતિ નહીં, છટા પર ભાર. કોઈ એક ક્ષણમાં સ્થિર. પૂંછડાની અને શિંગડાંની દિશા જોઈ આપણને ગતિનો અનુભવ થાય પણ ચરણની સ્થિરતા એ ગતિને સ્થિર બનાવે. કોઈ એક જ ક્ષણમાં. સ્ટેનલેસ સ્ટીલના પતરાંને કારણે પરંપરાગત નંદિ કરતાં આ નંદિ જુદા લાગે. પોલા છતાં પોલા ન લાગે. નક્કરતાના ભાવને પતરાંના ઉપયોગથી વ્યક્ત કરવામાં આવ્યો છે.

રાઘવભાઈનું નંદીનું શિલ્પ ઉપરના બે શિલ્પથી અલગ પ્રકારનું છે. છટા તો રાઘવભાઈના અન્ય નંદીઓની છે, પણ શિલ્પ ઉપરનો શંણગાર અલગ તરી આવે છે. શિલ્પ બ્રોંઝ ધાતુનું બનેલું છે. લાગે છે કે શિલ્પનએ પથ્થરના પ્લેટ્ફોર્મ ઉપર મૂકવામાં આવ્યું છે. ટ્રેડીશન આર્ટથી હટીને મોર્ડન આર્ટ તરફનો ઝૂકાવ પણ નજરે પડે છે.

હવે પછીના ચોથા અને અંતીમ એપીસોડમાં આપણે રાઘવભાઈના અન્ય શિલ્પનું નિરીક્ષણ કરીશું.

શિલ્પી રાઘવ કનેરિયા-૨ ( પી. કે. દાવડા )

શિલ્પી રાઘવ કનેરિયા-૨

શિલ્પ સિવાય રાધવભાઈના અન્ય શોખમાં ચિત્રકળા, ફોટોગ્રાફી અને ફોક મ્યુઝિક છે. એમના મોટા ભાગના સ્કલ્પચર્સ સ્ટિલ, બ્રોન્ઝ અને બ્રાસથી તૈયાર કરવામાં આવ્યા છે. પ્રિન્ટમાં ફાયર વર્ક કરીને તૈયાર કરેલ પ્રિન્ટ, પેન્સિલ અને ક્રેયોન ડ્રૉઇંગ્સનો સમાવેશ થાય છે.

(૧૯૭૪ માં રાઘવભાઈ પોતાના એક શિલ્પને ગ્રાઈંડ કરી રહ્યા છે.)

(૧૯૮૧ માં બીજા જાણીતા ફોટોગ્રાફર કિશોર પારેખ સાથે માંડુમાં ફોટોગ્રાફસ લઈ રહ્યા છે.)

(૧૯૮૫ માં ગામડાંની દિવાલ ઉપરના ભીંતચિત્રનો ફોટોગ્રાફ લેતા રાઘવભાઈ)

(અત્યાર સુધી ફોટોગ્રાફીનો શોખ કાયમ છે. આ ૨૦૧૫ નો ફોટોગ્રાફ છે)

(કોલેજકાળમાં રાઘવભાઈ નાટકોમાં અને રાસ-ગરબામાં ભાગ લેતા. ૧૯૬૦ નો આ ફોટોગ્રાફ છે,)

એમના સ્કલ્પચર્સમાં પશુઓ જોવા મળે છે તેનું કારણ શું? આના જવાબમાં રાઘવભાઈ કહે છે, “મનેપહેલાથી પશુઓ અને ખાસ કરીને નંદી અને વાછરડાઓ માટે વિશેષ પ્રેમ હતો જે મારા આર્ટ વર્કનો વિષય રહ્યો છે. નાનપણથી પશુઓના ફિગર બનાવતો હતો અને શિલ્પકાર તરીકે પણ નંદીના ઘણાં શિલ્પ તૈયાર કર્યા છે.”

આજે આઇકોનિક સ્ટ્રકચર્સ કેમ તૈયાર નથી થતાં?  આના જવાબમાં તેઓ કહે છે, “અજંતાઇલૉરાથી લઇને તાજમહેલ સુધી અને માઉન્ટ આબુ કે દેલવાડાના દેરાથી દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરો સુધીના વિશાળ આઇકોનિક સ્ટ્રકચર્સ શિલ્પ તેમજ સ્થાપત્યના ઉદાહરણો રાજા મહારાજ અને ભામાશા જેવા દાનવીરોના લીધે બન્યા હતા.”

શિલ્પકળામાં શું બદલાવ આવ્યો છે? ના જવાબમાં તેઓ કહે છે, “પહેલાનાસમયમાં માત્ર હથોડી અને ટાંકણા વડે સ્કલ્પચર્સ બનતા હતા. જ્યારે આજે તેમાં ગ્રાઇન્ડર અને અન્ય ટૂલ્સનો ઉપયોગ થાય છે. પહેલા માટી, લાકડું ને પથ્થરનો ઉપયોગ કરીને સ્કલ્પચર બનાવવામાં આવતા હતા. જ્યારે હવે ફાઇબર ગ્લાસ, સ્ટિલ, વગેરે મટિરિયલ્સનો ઉપયોગ થાય છે.”

કલાજગતની આ એક દુર્લભ તસ્વીર સાથે આજનો અંક સમાપ્ત કરૂં છું. વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસના સંસ્થાપક પ્રોફેસર માર્કંડ ભટ્ટ સાથેની રાઘવભાઈની ૧૯૭૦ માં લીધેલી આ તસ્વીર છે. ફેકલ્ટીની સ્થાપના ૧૯૪૯ માં થયેલી.

આ અંકની બધી જ તસ્વીરો જગવિખ્યાત કલાકાર શ્રી જ્યોતિ ભટ્ટના સૌજન્યથી મને પ્રાપ્ત થઈ છે. શ્રી જ્યોતિભાઈનો હું હ્રદયપૂર્વક આભાર માનું છું.

આવતા અંકમાં આપણે રાઘવભાઈના શિલ્પની તસ્વીરો જોઈશું.

(પી. કે. દાવડા)

શિલ્પી રાઘવ કનેરિયા-૧ ( પી. કે. દાવડા )

શિલ્પી રાઘવ કનેરિયા-૧

રાધવ કનેરિયાનો જન્મ ૧૯૩૬માં એક ગરીબ ખેડૂત કુટુંબમાં થયો હતો. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી ૧૯૫૫ માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઈન આર્ટસ કોલેજમાં જોડાયા. વરસે એમની સાથે જોડાયેલા અને પછીથી મોટા કલાકારો તરીકે જાણીતા થયેલા અન્ય વિદ્યાર્થીઓ હતા જ્યોતિ ભટ્ટ, હિંમત શાહ, ગુલામમોહમ્મદ શેખ, વિનોદ શાહ, કૃષ્ણ છાતપર અને વિનોદરાય પટેલ. એમના અધ્યાપકો હતા માર્કંડ ભટ્ટ, એન.એસ. બેન્દ્રે, શંખો ચૌધરી અને કે. જી. સુબ્રમન્યમ જે બધા ભારતના કલાજગતના ખુબ મોટા નામો છે.

જ્યોતિભાઈ અને રાઘવભાઈની પ્રથમ વર્ષમાં જ પાકી દોસ્તી થઈ ગઈ. ૧૯૫૬ માં જ્યોતિભાઈને યુનિવર્સીટીના પ્રાણીશાસ્ત્ર વિભાગમાં એક મોટું મ્યૂરલ (ભીંતચિત્ર) તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું. જ્યોતિભાઈએ આ કામ માટે અન્ય બે મિત્રો અને રાઘવભાઈને મદદનીશ તરીકે લીધા. એમાંથી જે મહેનતાણું મળ્યું એ ચારે જણાએ વહેંચી લીધું. ત્યારે રાઘવભાઈની આર્થિક પરિસ્થિતી સારી ન હતી, અને અભ્યાસ છોડી દેવાનો વિચાર પણ આવ્યો હતો, પણ આ મહેનતાણું મળતાં એમને રાહત થઈ હતી.

કોલેજમાં પેઈન્ટીંગ વિભાગની સામગ્રી વિદ્યાર્થીઓએ જાતે ખરીદવી પડતી, પણ શિલ્પકળા વિભાગમાં માટી, પ્લાસ્ટર લાકડું, પથ્થર, ધાતુ વગેરે વિભાગ તરફથી પુરૂં પાડવામાં આવતું. રાઘવભાઈને પેઇન્ટીંગમાં વધારે રસ હોવા છતાં આર્થિક કારણોથી શિલ્પ વિભાગમાં રહેવું પડ્યું હતું. અનેક હાડમારીઓનો સામનો કરીને, રાત દિવસ જોયા વિના કામ કરીને દર વરસે પ્રથમ ક્રમે રહીને અભ્યાસક્રમ પૂરો કરી ડિપ્લોમા મેળવ્યો.

(૧૯૫૭ માં ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ – વડોદરા-માં પ્રથમ વર્ષના વિદ્યાર્થી રાઘવ કનેરિયા)

વર્ષો દરમ્યાન પોતાના ઘર આંગણે ઉછરેલા ગાય, વાછરડાં તથા નંદીના સ્વરૂપ એમની કૃતિઓમાં પ્રગટ થતાં રહેલાં. વિદ્યાર્થિકાળમાં તૈયાર કરેલી એમની એક કૃતિને લલિત કલા અકાદમી આયોજિત રાષ્ટ્રીય પ્રદર્શનમાં પુરસ્કાર મળેલો. પ્રસંગે એમના ખાસ મિત્ર જ્યોતિ ભટ્ટ્ને એટલો આનંદ થયો હતો કે એમણે આનંદનું વર્ણન કરતો એક લેખ માસિકના માર્ચ ૧૯૫૯ ના અંકમા લખેલો.

ડિપ્લોમા મેળવ્યા પછી એમણે બે વર્ષ માટે (૧૯૬૦ થી ૧૯૬૨) ભારત સરકારની નેશનલ શિષ્યવૃતિ મેળવી. ૧૯૬૪ માં બ્રિટીશ સરકારની કોમનવેલ્થ સ્કોલરશિપ મેળવી લંડનની રોયલ કોલેજ ઓફ આર્ટમાંથી M.A. ની ડીગ્રી મેળવી.

લંડનમાં અભ્યાસ દરમ્યાન એમને સર રોબર્ટ સેન્બરી એવોર્ડ મળેલો. ત્યાં અભ્યાસ પૂરો કરી લંડનની વોલ્થમાસ્ટો આર્ટ કોલેજમાં બે વર્ષ સુધી લેકચરર તરીકે કામ કર્યું. ત્યાર બાદ ફરી વડોદરા આવી ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સમાં અધ્યાપક બન્યા.

આમ તો ૧૯૬૦ થી પ્રયોગશીલ કલાકાર તરીકે જાણીતા થયા હતા, પણ ૧૯૭૦ સુધીમાં તો એમની ગણત્રી Perfectionist માં થવા લાગી. શરૂવાતમાં ઔદ્યોગિક પ્રોસેસ પછી નકામા તરીકે ફેંકી દેવાયલી વસ્તુઓનો ઉપયોગ કરી રાઘવભાઈ અનોખા શિલ્પ તૈયાર કરતા. આવા શિલ્પ તૈયાર કારવા તેઓ સામાન્ય પ્રક્રીયાઓ, જેવી કે ખીલ્લા ઠોકીને છૂટક ભાગને જોડવા, લાકડું કોરીને આકાર આપવો, છીણી હથોડીથી કોતરકામ કરવું વગેરે. એમના આવા શિલ્પોમાં એમની રમતિયાળ વૃતિ છતી થતી, પણ ત્યાર બાદના શિલ્પોમાં એમણે ગંભીર સંદેશ આપવાનું શરૂ કર્યું. ૧૯૮૦ માં માટીના ઘડા દ્વારા પ્રયોગા કર્યા, માટીની મૂર્તિઓ બનાવી અને ગ્રામ્ય કલાને છતી કરી.

શિલ્પકળાના અનેક સ્વરૂપો ખેડનારા રાઘવભાઈએ સ્ટીલ, બ્રોન્ઝ અને બ્રાસનો ઉપયોગ કરીને સુંદર શિલ્પોનું નિર્માણ કર્યું છે. એમના શિલ્પોમાં પશુઓ અને ખાસ કરીને આખલા જોવામાં આવે છે, એનું કારણ એમને નાનપણથી પશુઓ અને ખાસ કરીને નંદી અને વાછરડાઓ માટે વિશેષ પ્રેમ હતો.

વિદ્યાર્થીકાળમાં કરેલી એમની કૃતિ લલિત કલા એકેદેમી આયોજિત પ્રદર્શનમાં પુરસ્કૃત થઈ હતી, ત્યારે એમના સહપાઠીઓએ ઢોલનગારા સાથે વડોદરમાં ઉત્સવ ઉજવેલો.

૧૯૬૧ માં જગદીશ સ્વામીનાથન, જેરામ પટેલ, ગુલામમોહમ્મદ શેખ અને અન્ય કલાકારોએ સ્થાપેલા “ગ્રુપ ૧૮૯૦” માં બાર સભ્યો હતા. એમાંથી ૧૧ સભ્યો ચિત્રકાર હતા, માત્ર રાઘવ કનેરિયા શિલ્પી હતા. આ ગ્રુપનું પ્રથમ પ્રદર્શન દિલ્હીમાં લલિત કલા અકાદમીની ગેલેરીમાં, રવીન્દ્ર ભવનમાં યોજાયું હતું, જેનું ઉદઘાટન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ કરેલું. તેને માટે મુંબઈથી લોખંડના વજનદાર મૂર્તિશિલ્પો પહોંચાડવાનું સાહસ તો રાઘવભાઈએ કર્યું, પણ પાછા લઈ જવાના આકરાં ખર્ચની વ્યવસ્થા થઈ ન શકી, તેથી એક મિત્રના બગીચામાં જ એ છોડી આવ્યા.

(વધુ આવતા બુધવારે)