લગ્ન નિર્ધારિત થઇ ગયાં હતાં. કંકોતરીઓ વહેંચાઇ ગઇ હતી. ગ્રહશાંતિનો દિવસ આવી પહોંચ્યો હતો. પ્રતિષ્ઠિત ઘરનો પ્રસંગ હતો એટલે મહેમાનો પણ બધા૪ પ્રતિષ્ઠાવાન જ પધાર્યા હતા. બધું જ તૈયાર હતું પણ ખાટલે મોટી ખોડ કે ગોર મહારાજ જ ગાયબ હતા. કારણ ગમે તે હશે પણ એમનો ફોન આવી ગયો કે તબિયત અચાનક બગડી ગઇ હોવાથી આવી નહીં શકાય. યજમાન મોટી મૂંઝવણમાં મુકાઇ ગયા. લગ્નની ભરચક સિઝનમાં બીજી કન્યા મળી જાય પણ ગોર મહારાજ ન મળે. વરના પિતા રડમસ થઇ ગયા. હવે શું કરવું? Continue reading સત્ય ઘટના ( ડો. શરદ ઠાકર )→