Category Archives: સમાચાર/જાહેરાત
આંગણાંનો એપ્રીલ – મે – જૂન નો કાર્યક્રમ

આંગણાંનું નવું પુષ્પગુચ્છ
સોમવાર – ગુલામી અને આઝાદીનો સંઘર્ષ (દિલીપ ધોળકીયા)
મંગળવાર – ઉજાણી (વાચકોની કૃતિઓ)
બુધવાર – લલિતકળા
ગુરૂવાર – હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત)
શુક્રવાર – મને હજી યાદ છે (બાબુ સુથાર)
શનિવાર – રેખા ભટ્ટીની વાર્તાઓ (રેખા ભટ્ટી)
રવિવાર – લોકજીવનનાં મોતી (પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ)
પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ
“દાવડાનું આંગણું” ગૌરવપૂર્વક વાચકોને જાણ કરે છે કે આંગણાંને બબ્બે પદ્મશ્રી મહાનુભવોનો સાથ મળ્યો છે.
Continue reading પદ્મશ્રી જોરાવરસિંહ જાદવઆમંત્રણ
ટુંકી વાર્તા લખતા લેખકોને એપ્રીલ – મે –જુન દરમ્યાન દર શનિવારે વાર્તા વિભાગમાં પ્રગટ કરવા વાર્તાઓ મોકલવા આમંત્રણ છે. વાર્તાઓ વર્ડ ફોર્મેટમાં યુનીકોડમાં હોવી જરૂરી છે. વાર્તાઓ ઈ-મેઈલ દ્વારા pkdavda@gmail.com માં મોકલી શકો છો. આવેલી વાર્તાઓમાંથી સંપાદક અને સલાહકારોની પસંદગીની વાર્તાઓ આંગણાંમાં મૂકવામા આવશે. લેખકોને પ્રકાશનની તારીખની અગાઉથી જાણ કરવામાં આવશે.
-સંપાદક
સંપાદક
વાચકોનો અભિપ્રાય (પી. કે. દાવડા)
આંગણાંનું ફોર્મેટ સામાન્ય બ્લોગ્સ કરતાં થોડું અલગ છે. વડિલ વાચકોની સગવડ માટે આંગણાંમાં અક્ષરોની સાઇઝ મોટી રાખવામાં આવી છે.
અત્યારના સમયની સૌથી મોટી સમસ્યા છે, સમયનો અભાવ. આ સત્યને લક્ષમાં રાખીને હર દિન ૧૦ થી ૧૨ મીનીટમાં જોઈ શકાય એટલું જ સાહિત્ય મૂકવામાં આવે છે.
અઠવાડિયામાં એક દિવસ (દર બુધવારે) લલિતકળા વિભાગમાં ઉચ્ચ પ્રકારના અને સહેલાઈથી ન મળી શકે એવા નમૂના અને અન્ય સાહિત્ય મૂકવામાં આવે છે.
દર સોમવારે અને શુક્રવારે ધારાવાહી પ્રકારનું સાહિત્ય રજૂ કરવામાં આવે છે, જે ત્રણ મહીનાથી માંડીને બાર મહિના કે એનાથી પણ વધારે સળંગ એક જ વિષયના પ્રકરણો હોય છે.
સાહિત્યના અન્ય પ્રકારો નિબંધ, લેખ, વાર્તા, નવલકથા, ગીત, ગઝલ અને કવિતાઓ પણ નિયમિત રજૂ કરવામાં આવે છે.
વાચકોની સંખ્યા નિયમિત રીતે વધતી રહી છે.
આંગણાંને હજી વધારે લોકભોગ્ય બનાવવા તમારી પાસે કોઈ સજેશન હોય તો તમે અહીં કોમેંટમાં લખી શકો છો. તમારા સજેશન ઉપર પૂરતો વિચાર કરવામાં આવશે, અને શક્ય હશે તેવા સજેશન્શનો અમલ કરવામાં આવશે.
દર મંગળવારે ઉજાણી વિભાગમાં વાચકોની કૃતિઓ રજૂ કરવામાં આવે છે. તમે કલા અને સાહિત્યના ક્ષેત્રમાં કોઈપણ પ્રકારનું સર્જન કરતા હો, અને આંગણાંમાં પ્રગટ કરવાની ઇચ્છા હોય તો મને ઈ-મેઈલથી pkdavda@gmail.com માં મોકલી આપો.
અભિપ્રાય અને સલાહ સુચન જરૂર લખજો
(પી. કે. દાવડા – સંપાદક)