હે જી તારા આંગણિયે…

હે જી તારા આંગણિયે પૂછીને…..

આંગણાંમાં આપ સૌનું સ્વાગત છે. આંગણાંમાં સ્વચ્છ અને સંસ્કારી કલા અને સાહિત્ય રજૂ કરવામાં આવે છે.  ઉપર મેનુ આપવામાં આવ્યું છે, ત્યાં કોઈપણ એક વિભાગના નામ ઉપર ક્લીક કરી એ વિભાગમાં પહોંચી શકશો.

 સંપાદક

 પી કે. દાવડા

સલાહકાર

શ્રી બાબુ સુથાર

શ્રીમતિ જયશ્રી વિનુ મરચંટ

આંગણું  એટલે સંસ્કારી સાહિત્ય અને કલાનું પ્રદર્શન સ્થાન

મારૂં ઘર ભલે સાવ નાનું છે, પણ મારૂં આંગણું મોટું છે. અહીં છોડ છે અને ઝાડ પણ છે, માટી પણ છે અને રેતી પણ છે, ખાટલા પણ છે અને ઝૂલા પણ છે, અહીં પક્ષીઓની ચહલપહલ છે. અહીં સંસ્કારી સાહિત્ય અને કળાનો રસિકોનો મેળો છે.

મારા આંગણાંમાં કોંક્રીટની ફરશ નથી, એમાં ભીની માટીની ફોરમ છે. મારા આંગણામાં ઉગેલું એક પાંદડું કે ફૂલ જીવનમાં ભરપુર આશા, ઉલ્લાસ અને ઉંમંગ છે. એ નવી ચેતના જગાડે છે. હકારાત્મકતા લાવે છે. એમાં ધબકતા જીવનને જોઈ મનમાં ખૂબ ખુશી થાય છે, અને સાથે સાથે એ પણ સમજાય છે કે જીવન, સંબંધો, પ્રેમ, વ્હાલ, મિત્રતા અત્યંત નાજુક છે, એને નાના છોડની જેમ માવજતની જરૂર હોય છે. માવજતથી જેમ ફૂલો, ફળો અને છોડમાં જીવંતતા આવે છે તેમ જ સંબંધો પણ યોગ્ય ધ્યાન અને કાળજી લેવાથી ફોરી ઉઠે છે, મ્હોરી ઉઠે છે.

મારા આંગણાંની ભીની માટીમાં પડતા સાક્ષરોના પગલાંની છાપ જોઈને હું હરખાઉં છું. એમની ઉપસ્થિતિને માણવા આપ જેવા અતિથીઓ આવે છે એથી આંગણાંમાં કલરવ કાયમ ટકી રહે છે.

હું તો બસ આંગણાંને એક ખુણે ઊભો રહી અને આશ્ચર્યથી બધું જોયા કરૂં છું.

34 thoughts on “હે જી તારા આંગણિયે…

  1. ભાઈશ્રી દાવડાભાઈ,
    અમારા વતન ‘કાપડવણજ’ માં ભાઈશ્રી ડો. દિનેશભાઇને એમનાં સંશોધન બદલ , ચીન ખાતે એનાયત થયેલ ગ્લોબલ એવોર્ડ ‘ કે.મિત્તલ એવૉર્ડ ‘ નિમિત્તે સંન્માનિત કરવાનો પ્રોગ્રામ 19 ફેબ્રુ.ના દિન યોજાયો હતો.અમને બધા ભાઈ બહેનોને નિમંત્રિત કર્યા હતા. આંનદપૂર્વક પ્રસંગ ઉજવી 21 દિવસે ઘરે આવી ગઈ છું.હવે આપના આંગણા ની નિયમિત મુલાકાત લેવાશે. દિવસે દિવસે આંગણું વિસ્તરતું જાય છે તે બદલ આપને અભિનંદન.
    ફુલવતી શાહ

    Fulvati Shah

    Liked by 2 people

  2. ” હે દાવડાજીનું આંગણું પુછી કોઇ આવે તો આવકારો મીઠો મળશેજી

    સ્વાગતમાં સત્કાર ને અનુભવ કેરા ભાથાનું અનેરું ભોજન જમશોજી ”

    ” આંગણીયે આવશો ને આનંદ પામશો તો લહાવો લાખેણો લેશોજી

    પ્રેમેથી પુરષોતમજી ને નિરખશો સંગ્રહ કેરું વાચન અમ્રુત પીજોજી ”

    ‘ સ્વપ્ન જેસરવાકર ‘

    Liked by 1 person

  3. વહાલા દાવડાસાહેબ,
    અમને ગમતી રૅશનલ વાનગીઓ આપના આંગણાંમાં માણવા માટે અમે રજીસ્ટ્રેશન કરાવ્યું…
    …ગો.મારુ

    Liked by 1 person

  4. ભાઈ શ્રી દાવડાભાઈ,
    આપણા આંગણા માં “લલિત કલા ” વિભાગ ને આવકારી એ છીએ.આપને “ઝલક”
    બંધ કરવાની જરૂર નથી. આપ ઝલક માં ” કેમેરાની કરામત / ફોટોગ્રાફી “મૂકી શકો. અને
    લલિત કલા માં હસ્ત રેખા ચિત્રો જાણીતાં કલાકારો તેમજ ઉગતાં કલાકારોને પણ આવકારી
    શકો. મને મનમાં આવેલ વિચાર જણાવું છું. આપને અનુકુળ લાગે તો સૂચન સ્વીકારશો .
    આંગણાની રંગોળીમાં જેટલી વિવિધતા હશે તેટલું સુંદર જ દેખાશે
    ફુલવતી શાહ .

    Like

  5. દાવડા સાહેબ
    આપની ઈ બુક કવિતા વાંચી, અર્વાચિન કવિ , મધ્યકાલિન અને આજની કવિતાઓ, પરથી આપના સુંદર વિચારો
    કવિતાની ભાષામાં વ્યકત કર્યા. ખરેખર મઝા આવી!!!
    ,

    Liked by 1 person

  6. કોઈ છો સમરાંગણું તો કોઈ વારે પારણું……..હો આંગણું.
    કોઈ પુછીને અને કોઈ અ–તીથી થઈને આવે,
    આપણે તો હેતથી મળવાનું રુડું ટાંકણું………હો આંગણું.

    Liked by 1 person

  7. કૈ કૈ અને મંથરાની સાત્વિક ભાવના વિષે જાણી આનંદ થયો. આ બે સ્ત્રી પાત્રોના સંવાદમાં દેવી સરસ્વતી પોતે તેમની વાણીમાં પ્રવેસ્યા તેમની પાસે બોલાવડાવ્યું તેવો ઉલેખ પણ રામાયણમાં થયેલ છે. બન્ને સ્ત્રીઓ રામાવતારનું કાર્ય સફળ કરાવવામાં તમે કહ્યું તેમ બદનામી વહોરી નિમ્મિત થયા.

    Liked by 1 person

  8. દાવડાજીનું આંગણું હવે નવા નામથી જાણીતું થશે. આંગણું, અાભ બનીને વિસ્તરી રહ્યુ છે. જ્યાં જ્યાં તેઓ લઇ જાય છે તે તે જગ્યાઓ અને ઇતિહાસમાં ડૂબકી મારવા સ્વૈરવિહાર…વિમાન વિહાર જ કરવું પડે….નાસાના ખૂબ જ હોંશીયાર વિજ્ઞાની અને કોમળ હૃદયના ગુજરાતી કવિ…ડો. કમલેશ લુલાઅે..(.વડોદરાના ) સુનિતા વિલીયમ્સને વિનંતિ કરેલી કે અેરસ્પેસમાંથી પોતાની જન્મભૂમિની ગલી ગલીના ફોટા પાડીને મોકલજો. અને તે કોમળ હૃદયી કમલેશે પોતાનું હૃદય ઠાલવ્યુ છે….કહે છે કે…‘ તારો બની ગગનમાં, તરતો રહીશ હું………..ભોમથી બ્ર્હ્માંડમાં વિસ્તરતો રહીશ હું…‘ પી.કે જી પણ નાના આંગણામાંથી અાભમાં વિસ્તરે તે જ હવે માણવાનું રહેશે.

    Liked by 1 person

  9. દાવડાજીના આંગણામાં આટલી સરસ મઝાની, સાહિત્યથી રસભર ઉજાણી થતી હોય ત્યારે અવારનવાર મુલાકાત લેવા મન હંમેશ લલચાતું રહે છે! લલિતકળાના વિભાગમાં કલાગુરુનો વિશેષ પરિચય પણ ખુબ રસપ્રદ રહ્યો.
    દાવડાજી ખુબ ખુબ આભાર.
    રક્ષા

    Liked by 3 people

  10. ભાઈ શ્રી દાવડાભાઈ,
    આપનું આંગણું સાચે જ પુરસ્કાર યોગ્ય છે. સાહિત્ય રસિકો, કલાપ્રેમીઓ એવા આંગણાના મુલાકાતીઓનાં
    નામો જોઉં છું ત્યારે આંનદ થાય છે. આપ આંગણામાં પ્રવેશવાની ઈચ્છા દર્શાવતાં અતિથિઓ ને પ્રેમપૂર્વક જ્યારે
    પ્રવેશવાની સમજ આપોછો ત્યારે અચૂક મને મારી કૉલેજનાં સન્માન સમારંભમાં ગાયેલા ગીતની પંક્તિઓ યાદ
    આવે છે.
    ” સોહે આંગણું મહેમાન , મારે આંગણે આવો;
    કરું સ્નેહથી સન્માન , મારે આંગણે આવો…….. ”

    ફુલવતી શાહ

    Fulvati Shah

    Liked by 1 person

  11. આજ રોજ શ્રી પ્રવિણભાઈના ઈમેલ દ્વારા તમારા બ્લોગનો પરિચય થયો. અત્યંત આનંદ થયો. હજી તો આંગણામાં પગજ મુક્યો છે, બંગલામાં-ઘરમાં જવાનું તો હજી બાકી છે. આંગણું આટલું ભવ્ય છે, તો ઘર તો અતિ ભવ્ય હશે…ઘરને ખુણે ખુંચરે ફરી વળીશ…!! નિરાશ નહી થાઉં તેની ગેરંટી…

    Liked by 1 person

  12. દાવડાસાહેબ,
    આપના આંગણાના ચબૂતરામાં મોર , પોપટ,ચકલી,કબૂતર,બુલબુલ બધા જુદાજુદા પક્ષીઓ ચરતા ચરતા આનંદ કરી રહ્યા છે .હું પણ નાનું એક પક્ષી બની આનંદ લઈ રહી છું.આંગણામાં વીણી વીણી ને દાણા નાખવા બદલ આભાર

    Liked by 1 person

  13. બાબુ સુથારના પ્રસંગો વાચવાની મજા પડે છે. તેમજ અન્ય લેખો અને પ્રસંગો પણ રસપ્રદ અને જાણવાલાયક હોય છે. અભિનંદન સાહેબ….

    Liked by 2 people

  14. શું લખું? મારા શબ્દો ને વિચારો મારી આગળ આંગણે આવેલાઓએ લઈ લીધા પછી? મત લેવાના હોય તો આંગળી ઊંચી કરું છું; દેખાશે?

    Liked by 1 person

  15. ભાઈ શ્રી દાવડાભાઈ ,
    આપની વિનમ્રતાને બિરદાવવા કોઈ શબ્દો નથી. કમેન્ટ મુકવા પડતી તકલીફ નો આપે સરળ રસ્તો શોધ્યો
    તે બદલ આભાર.
    ફૂલવતી શાહ

    Liked by 1 person

  16. પોતાની ઓળખ

    ‘અમે નથી કો ‘
    ઘોડાપૂરે છલકાતી
    ને ઘુઘવાતી ને ઘુમરાતી
    મદમાતી ને ગાંડીતુર
    બે કાંઠે ઊભરાતી
    નદીના
    ડહોળાયેલાં ને વેગીલાં
    વહેણના અગાધ જલરાશિ !

    અમે તો છૈયેં
    વહી ગયેલી એ નદીના
    વિશાળ ને રેતાળ પટના
    પેટાળમાં છુપાઈને વહેતા
    નીતરેલાં ને નિર્મળ એવાં
    વીરડાની સરવાણી જેવાં
    પનિહારીની ગાગર ભરતાં
    ને તરસ્યાંનો તોષ છીએ એવાં
    મીઠાં શીતળ પાણી !’

    -રમેશ મ. કનોજીઆ

    રમેશભાઈની આ કવિતા આંગણાના વાચકો માટે મૂકી છે.

    સુરેન્દ્ર

    Liked by 2 people

  17. મુરબ્બી દાવડાભાઈ ,
    ત્રીજી વર્ષગાંઠે હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આપના જ્ઞાન અને અનુભવનો સૌને લાભ આપી બહુ મોટો પરોપકાર કર્યો છે.તે ઉપરાંત અન્ય વ્યક્તિઓના લેખ અને ચિત્રકલાના નમૂના રજુ કરી તેઓને પણ આંગણાના વાચકો સુધી રજુ કર્યાં છે. આપનું આંગણું દીર્ઘકાળ સુધી ફાલ્યુંફૂલ્યું રહે એ શુભેચ્છા સહ….
    ફૂલવતી શાહ ના સ્નેહવંદન।.

    Like

પ્રતિભાવ