ગુજરાતી સર્વનામો: સ્વવાચક અને પરસ્પરવાચક
આ લેખમાં આપણે ગુજરાતી સ્વવાચક અને પરસ્પરવાચી સર્વનામોની વાત કરીએ.
ગુજરાતી વ્યાકરણશાસ્ત્રીઓએ આ બન્ને પ્રકારનાં સર્વનામોની નોંધ લીધી છે અને એમની વર્ણનાત્મક યાદી પણ આપી છે. પણ એમણે આ સર્વનામો ગુજરાતી ભાષામાં કઈ રીતે કામ કરે છે એના પર ખાસ ધ્યાન આપ્યું નથી. જો કે, મીસ્ત્રીએ એમના Lexical Anaphors and Pronouns in Gujaratiમાં આ વિષય પર થોડી વાત કરી છે ખરી.
સ્વવાચક સર્વનામ:
મોટા ભાગના વ્યાકરણશાસ્ત્રીઓ સ્વવાચક સર્વનામમાં ‘પોતે’, ‘મેતે’, ‘મેળે’, ‘જાતે’, ‘પંડે, ‘ખુદ’, ‘સ્વયં’ વગેરેનો સમાવેશ કરે છે. આમાંનાં કેટલાંક પ્રાદેશિક બોલીઓમાં બોલાય છે તો કેટલાંક સામાજિક બોલીઓમાં. જો કે, માન્ય ગુજરાતીમાં ‘પોતે’ સૌથી વધારે વપરાય છે.
પણ, પ્રશ્ન એ થાય કે ‘પોતે’નું મૂળ સ્વરૂપ શું હશે? ભાયાણી કહે છે કે ‘પોતે’ એક રૂઢ થઈ ગયેલું સ્વરૂપ છે. એમ હોવાથી એને જ citation form ગણવું પડે. જો એમ કરવા જઈએ તો આપણે વિભક્તિના બીજા પ્રત્યયો ‘પોતે’ને લગાડવા પડે. પણ એવું તો નથી લાગતું. ગુજરાતીમાં આપણને ‘પોતે’નાં આટલાં સ્વરૂપો મળી આવે છે:
પોતે |
pote |
પોતાને |
potane |
પોતાનું |
potanũ |
પોતાથી |
potathʰi |
પોતામાં |
potamã |
પોતાનામાં |
potanamã |
પોતાનાથી |
potanatʰi |
જો આપણે ‘પોતે’ને મૂળ સ્વરૂપ ગણીએ તો આપણે એમ કહેવું પડશે કે ‘પોતાને’, ‘પોતામાં’ જેવાં સ્વરૂપો ‘પોતે’ને વિભક્તિનો પ્રત્યય લગાડીને બનાવવામાં આવ્યાં છે. અને જો આપણે આ દલીલનો પણ સ્વીકાર કરીએ તો આપણે એમ કહેવું પડશે કે ‘પોતે’ને ‘-ને’ લગાડ્યા પછી એના અંત્ય ‘-એ’નો ‘-આ’ થઈ જાય છે. આ દલીલ મને સ્વીકાર્ય લાગતી નથી. કેમ કે વિભક્તના ‘-એ’નો -આ થતો હોય એવાં કોઈ ઉદાહરણ ગુજરાતીમાં મળતાં નથી.
એમ હોવાથી આપણે એમ કહેવું પડે કે ‘પોતે’નું મૂળ ‘પોત્’ (pot) છે અને આ ‘પોત્’ને વિભક્તિના પ્રત્યયો લાગે છે. એ રીતે જોતાં ઉપર આપેલાં ‘પોતે’નાં સ્વરૂપો આ રીતે થાય:
પોત્.એ |
pot.e |
પોત્.આ.ને |
pot.a.ne |
પોત્.આ.નું |
pot.a.nũ |
પોત્.આ.થી |
pot.a.thʰi |
પોત્.આ.માં |
pot.a.mã |
પોત્.આ.નામાં |
pot.a.namã |
પોત્.આ.નાથી |
pot.a.natʰi |
બની શકે તો ગુજરાતી ભાષાના જોડણી દોષ અને સાચી જોડણીઓ વિષે એક લેખ લખશો ; ક્યારે દીર્ઘ ઈ આવે અને ક્યારે ક્યાં સંજોગોમાં હ્ર્સ્વ ઈ લખાય વગેરે ; અને ક્યારે અનુસ્વાર બહુવચન માટે વપરાય વગેરે વિષે બની શકે તો લખવા વિનંતી! Thanks.
LikeLike
‘પોતે’નું મૂળ સ્વરૂપ અંગે વિચાર આવે…આત્મન્ પરથી ઉદ્દભવેલો શબ્દ જેનો અર્થ પોતે એવો થાય છે. ભારતીય દર્શનશાસ્ત્રોમાં આત્મા વિશે ઘણું વર્ણન કરવામાં આવ્યું છે તે મુજબ કોઇ પણ જીવાત્માનું સાચું સ્વરુપ તે શરીર નહિં પણ અંદર રહેલો આત્મા છે. આત્માને અનુભવગમ્ય કહ્યો છે અને તેનો પૂર્ણ રીતે અનુભવ કરી શકાય છે જેને આત્મસાક્ષાત્કાર કહેવામાં આવે છે
LikeLike