ગુજરાતીમાં વિશેષણો: છૂટક નોંધો
ગુજરાતી વ્યાકરણશાસ્ત્રીઓએ ગુજરાતી ભાષાનાં વિશેષણોની ઠીક ઠીક ચર્ચા કરી છે. જો કે, એ ચર્ચા મુખ્યત્વે બે પ્રવાહોમાં વહેંચાય જાય છે. એક તે સૂચનાત્મક/આદેશાત્મક (prescriptive) અને બીજી તે વર્ણનાત્મક (descriptive). મારો અભિગમ, મેં આ શ્રેણીના આરંભમાં નોંધ્યું છે એમ typological છે. હું વિશેષણોની typologyમાં ગુજરાતી વિશેષણો કઈ રીતે બંધ બેસે છે એના પર વધારે ધ્યાન આપવા માગું છું.
બધાજ ગુજરાતી વ્યાકરણશાસ્ત્રીઓ ગુજરાતી વિશેષણો સાથે સંકળાયેલી બે હકીકતો સાથે સંમત થાય છે: (૧) ગુજરાતી વિશેષણો કાં તો અસાધિત હોય, કાં તો સાધિત હોય; અને (૨) ગુજરાતી વિશેષણો કાં તો અવિકારી હોય, કાં તો વિકારી હોય. આપણા વ્યાકરણશાસ્ત્રીઓ ‘અસાધિત’ માટે ઘણી વાર ‘મૂળ’ અથવા તો ‘સાદું’ જેવી સંજ્ઞાઓ પણ વાપરતા હોય છે.
મૂળ વિશેષણ અને સાધિત વિશેષણ:
ગુજરાતીમાં વિવિધ પ્રત્યયોના ઉપયોગ વડે આપણે નામ, સર્વનામ, ક્રિયાપદ અને ક્રિયાવિશેષણોમાંથી વિશેષણો બનાવી શકીએ છીએ. જો કે, એમ કરતી વખતે આપણે જે તે નામ/સર્વનામ/ક્રિયાપદ અને ક્રિયાવિશેષણના અંગને પ્રત્યય લગાડતા હોઈએ છીએ. નહીં કે શબ્દને. જેમ કે, જ્યારે આપણે -નાર પ્રત્યય વાપરીને ‘હસવું’ ક્રિયાપદમાંથી વિશેષણ બનાવીએ ત્યારે આપણે ‘હસવું’ને નહીં, પણ ‘હસ્-‘ને ‘-નાર’ પ્રત્યય લગાડતા હોઈએ છીએ અને એ રીતે ‘હસનાર’ વિશેષણ બનાવતા હોઈએ છીએ. જો કે, કેટલાક શબ્દોમાં મૂળ અને શબ્દ બન્ને એક જ હોય છે. જેમ કે, ‘ઉતાવળ’ શબ્દ લો. ‘ઉતાવળ’ અંગ પણ છે ને શબ્દ પણ. એને -ઈયું પ્રત્યય લગાડીને આપણે ‘ઉતાવળિયું’ વિશેષણ બનાવી શકીએ.
એટલું જ નહીં, ઘણી વાર આપણે વિશેષણમાંથી પણ બીજાં વિશેષણો બનાવતા હોઈએ છીએ. ત્યારે પણ આપણે વિશેષણ બનાવતો પ્રત્યય મૂળ વિશેષણના અંગને જ લગાડતા હોઈએ છીએ. જેમ કે, ‘આઘું’ વિશેષણ લો. એમાંથી ‘આઘેરું’ બનાવવા માટે આપણે ‘આઘું’ને નહીં પણ ‘આઘ્-‘ને -એરું પ્રત્યય લગાડતા હોઈએ છીએ.
સાધિત વિશેષણો માટે આપણે કયા પ્રત્યયો વાપરીએ છીએ અને એ પ્રત્યયો વપરાય ત્યારે મૂળ શબ્દમાં (કે પ્રત્યયમાં પણ) કોઈ ફેરફાર થાય છે કે નહીં એ એક તપાસનો વિષય છે. એ વિશે વધુ માહિતી મેળવવા માટે ઊર્મિ દેસાઈનાં ‘વ્યાકરણવિમર્શ’ પુસ્તક જોવા જેવું છે. એમાં એમણે આવા પ્રત્યયોની લાંબી યાદી, અલબત્ત ઉદાહરણો સહિત, આપી છે.
અવિકારી અને વિકારી વિશેષણો:
ગુજરાતી વિશેષણો અવિકારી અને વિકારી એમ બે વર્ગમાં પણ વહેંચાઈ જાય છે. આમાંનાં વિકારી વિશેષણો જે તે નામનાં લિંગ અને વચન પ્રમાણે લિંગવચન લેતાં હોય છે. જો કે, આ વિશેષણો સ્ત્રીલિંગ બહુવચન નામો માટે વપરાય ત્યારે વચનનો પ્રત્યય લેતાં નથી. જેમ કે:
એકવચન |
બહુવચન |
|
પુલ્લિંગ |
ઊંચો છોકરો |
ઊંચા છોકરા/ઓ |
સ્ત્રીલિંગ |
ઊંચી છોકરી |
ઊંચી છોકરીઓ |
નપુસંકલિંગ |
ઊંચું છોકરું |
ઊંચાં છોકરાં/ઓ |
અવિકારી વિશેષણોનું સ્વરૂપ. નીચે આપેલા કોઠામાં બતાવ્યું છે એમ, આ રીતે બદલાતું નથી.
એકવચન |
બહુવચન |
|
પુલ્લિંગ |
હોંશિયાર છોકરો |
હોંશિયાર છોકરા/ઓ |
સ્ત્રીલિંગ |
હોંશિયાર છોકરી |
હોંશિયાર છોકરીઓ |
નપુસંકલિંગ |
હોંશિયાર છોકરું |
હોંશિયાર છોકરાં/ઓ |
‘ગુજરાતીમાં વિશેષણો: છૂટક નોંધો’મઝાનો લેખ માણતા ‘ગુજરાતીમાં વિશેષણો કઈ રીતે કામ કરે છે અથવા તો ગુજરાતી વ્યાકરણમાં એ કઈ રીતે ભાગ લે છે એના પર સંશોધન કરવું જોઈએ’ વાતે-“બુર્ઝવા” વિશેષણ યાદે
.
સુરેશ જોષી કહે છે કે ‘બુર્ઝવા અને જડભરત લોકો પોતાના કાવ્યથી દૂર રહે માટે જાણી કરીને એ દુર્બોધતાનો આશ્રય લે છે. આવા લોકો તરફથી મળેલી માન્યતાને એ અપમાન લેખે છે.’ ‘(શૃણ્વન્તુ’)
.
રા.પા.
‘દયા બયા છે સહુ દંભ ; મિથ્યા
આચાર બુર્ઝવા જન માત્ર કલ્પિત.
.’
બુર્ઝવા (Bourgeois)વર્ગ પાસે સત્તા અને પૈસા છે, આ વર્ગ સામાજિક અને સંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પ્રભાવશાળી છે.સાર્ત્રની દલીલ છે કે ફ્રેંચ રીવોલ્યુસન (French Revolution) પછી બુર્ઝવા વર્ગ માટે લખવા લાગ્યો છે.
.
કાર્લ માર્કસે તેમને પેટી-બુર્ઝવા કહ્યા છે. પેરીટ એટલે ફ્રેંચ ભાષામાં નાનું અથવા કોઈ ચીજવસ્તુનો ઉપવિભાગ.
.
બુર્ઝવા – મધ્યવર્ગીય સ્થિતિમાં જન્મ્યાનું એ પરિણામ .સામ્યવાદીઓ માટે “બુર્ઝવા” શબ્દ એક એવું વિશેષણ છે જે વિશેષણનો તેઓ, જેઓ પ્રતિકાર કરે તેમને માટે કરે છે. ખાસ કરીને સામ્યવાદીઓ “પોતે માની લીધેલા સ્વસ્થ સમાજ”ની સ્થાપના માટે જે કામ કરી રહ્યા છે
LikeLike