(જયશ્રીબહેનના “જિદગી એક સફર હૈ સુહાના” ધારાવાહીના ૨૦ માં એપીસોડ સાથે, આંગણાં પૂરતું આ ધારાવાહી અહીં સમાપ્ત થાય છે. થોડા દિવસમાં જ આ બધા લેખ અને થોડા વધારાના લેખ મુંબઈમાં એક વિમોચન સમારંભમાં એક પુસ્તક સ્વરૂપે પ્રગટ થશે. પુસ્તકના વિમોચન બાદ હું એની વધારાની વિગતો આંગણાંમાં મૂકીશ. જયશ્રીબહેનના આ ધારાવાહીને લીધે આંગણાંના મુલાકાતીઓની સંખ્યામાં સારો વધારો થયો છે. આંગણાંનું માન વધ્યું છે. એ મને મોટાભાઈ માને છે, એટલે આભાર માનીને એમની લાગણીની કીમત ઓછી નહીં કરું. આંગણાંના “ધારાવાહી” વિભાગના સંપાદનનું કામ મેં જયશ્રીબહેનને સોંપ્યું છે, એટલે હવે પછીના બધા ધારાવાહી લખાણોની પસંદગી અને સંપાદન જયશ્રીબહેન કરશે.
એમના અગાઉના ૧૯ એપીસોડસ હ્રદયસ્પર્શી હતા, પણ આ એપીસોડે હચમચાવી દીધો. એક ક્ષણમાં જીવન કેવો પલટો લે છે?
“તેરે બિના જિંદગીસે કોઈ શિકવા તો નહીં!”
આજે આ અંતિમ પ્રકરણમાં આપને વિનુ, મારા સ્મૃતિશેષ પતિનો પરિચય કરાવવાનું મન છે. અમારા લગ્નના ૪૫ વર્ષો પછી અને વિનુની આ ફાની જગતમાંથી વિદાયના બે વર્ષ અને અગિયાર માસ પછી, મન હજી માનતું નથી કે એ જતા રહ્યા છે, અને હવે, પાછા આવવાની શક્યાતા જ નથી.
Continue reading જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૨૦ (જયશ્રી વિનુ મરચંટ)